Gehraiyaan movie review : દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની ‘ગહેરાઈયાં’ ફિલ્મની નવી પેઢીને શું શીખવાડવા માંગે છે ?

|

Feb 11, 2022 | 11:58 AM

આ ફિલ્મમાં અલીશા અને ટિયા એવી બે પિતરાઈ બહેનો છે જેઓ ખૂબ જ સારા બોન્ડ ધરાવે છે પરંતુ આ બંને વચ્ચે ઘણું મોટું નાણાકીય અંતર છે. અલીશા અને કરણ રિલેશનશિપમાં છે.

Gehraiyaan movie review :  દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની ગહેરાઈયાં ફિલ્મની નવી પેઢીને શું શીખવાડવા માંગે છે ?
gehraiyaan (image-deepika Instagram)

Follow us on

Gehraiyaan movie review : દીપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Caturvedi), ધૈર્ય કારવા (Dhairya Karwa) અને અનન્યા પાંડે (Ananya Pandey) સ્ટારર ‘ગહેરાઈયાં’ આજે એટલે કે 11 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. શકુન બત્રાની ‘ગહેરાઈયાં’ ગૂંચવાયેલા સંબંધોની વાર્તા છે. આ પહેલા પણ દિગ્દર્શક શકુન બત્રાએ ‘કપૂર એન્ડ સન્સ’ અને એક મૈં ઔર એક તુ (EK Mai Aur Ek Tu) જેવી રિલેશનશિપ પર આધારિત ફિલ્મો બનાવી છે. આ વખતે શકુન બત્રા પોતાની ફિલ્મના પાત્રોને અલગ રીતે રજૂ કરી રહ્યા છે.

શું છે ‘ગહેરાઈયાં’ની વાર્તા

અલીશા ખન્ના (દીપિકા પાદુકોણ), ટિયા ખન્ના (અનન્યા પાંડે), ઝૈન (સિદ્ધાંત ચતુર્વેદી) અને કરણ અરોરા (ખૈર્ય કારવા) ફિલ્મ ‘ગેહરાઈયાં’ની વાર્તાના ચાર મુખ્ય પાત્રો છે. વાર્તા આ ચારની આસપાસ ફરે છે. અલીશા અને ટિયા એવી બે પિતરાઈ બહેનો છે જેઓ એક મહાન બોન્ડ શેર કરે છે. પરંતુ આ બંને વચ્ચે ઘણું મોટું નાણાકીય અંતર છે.

અલીશા અને કરણ રિલેશનશિપમાં છે. જ્યારે ટિયા ઝૈનને મળે છે, બાદમાં બંને એકબીજાને પસંદ કરે છે અને ડેટિંગ કરવાનું શરૂ કરે છે. તેથી એક દિવસ ટિયા અને ઝૈન અલીશા અને કરણને મળે છે. ચારેય જણ ખૂબ ફરે છે અને સાથે સમય વિતાવે છે પરંતુ આ દરમિયાન ઝૈન અને અલીશા એકબીજાની નજીક આવી જાય છે. આટલું જ નહીં તેઓ એકબીજાને ડેટ કરવાનું પણ શરૂ કરી દે છે. હવે બંનેના સંબંધો તેમના પાર્ટનર સાથે ખરાબ થવા લાગે છે. અહીં ટિયા-ઝૈન અને કરણ-અલિશા વચ્ચે અંતર આવવા લાગે છે અને આકર્ષણ સમાપ્ત થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સિવાય આ ચાર વચ્ચે અન્ય કેટલીક સમસ્યાઓ પણ છે. જ્યારે ટિયા અને કરણને સત્ય વિશે ખબર પડે છે ત્યારે વાર્તા ખૂબ જ રસપ્રદ વળાંક લે છે. જ્યારે અલીશા અને ઝૈનનું સત્ય સામે આવશે ત્યારે શું થશે? આ ફિલ્મ ‘ગહેરાઈયાં’ની વાર્તા છે. વાર્તા પરથી કેટલાક અનુમાન લગાવી શકાય છે, પરંતુ ફિલ્મનો ક્લાઈમેક્સ અલગ છે. જેનો વિચાર પણ ન કરી શકાય.

વાર્તા એકદમ આજની પેઢીની વાર્તા છે. આપણે જેને પ્રેમ કરીએ છીએ તેનાથી ક્યારે છૂટા પડીએ છીએ? આજના સમાજમાં સંબંધોને કોઈ ગરિમા નથી. બધું હોવા છતાં કંઈક બીજું મેળવવાની ઇચ્છામાં તેઓ તેમના જીવનને વેડફી નાખે છે.

શા માટે આ ફિલ્મ જોવી જોઈએ?

મોટી કાસ્ટ ધરાવતી આ ફિલ્મ વીકએન્ડ પર જોવા માટે બનાવવામાં આવી છે પણ જો તમને ગંભીર પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ ન હોય તો કદાચ આ ફિલ્મ તમારા માટે નથી પરંતુ જો તમે નવી પેઢીના જીવનમાં શું ચાલી રહ્યું છે તે નજીકથી જાણવું હોય તો ફિલ્મ ગેહરાઈયાં અવશ્ય જુઓ.

વેબ મૂવી: ગહેરાઈયાં,

સ્ટાર કાસ્ટ: દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, ધૈર્ય,

નિર્દેશક: શકુન બત્રા,

ક્યાં જોઈ શકો છો: એમેઝોન પ્રાઇમ વિડિયો રેટિંગ: 3 સ્ટાર્સ

આ પણ વાંચો: Shaktimaan Film Teaser : મોટા પડદા પર ‘શક્તિમાન’ ફરશે પરત, મુકેશ ખન્ના બોલ્યા, કહ્યું હતું ને કે હું મોટી જાહેરાત કરીશ

આ પણ વાંચો: New Film: 12 વર્ષ બાદ સંજય દત્ત અને સુનીલ શેટ્ટીની જોડી ફરી મચાવશે ધૂમ, ટૂંક સમયમાં નવી ફિલ્મમાં સાથે કરશે કામ

Published On - 11:12 am, Fri, 11 February 22

Next Article