કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ પર થયો વિવાદ, કોંગ્રેસે કહ્યું આ નેહરુ અને ગાંધી પરિવારને બદનામ કરવાની કોશિશ છે

|

Jul 23, 2022 | 2:10 PM

'ઇમરજન્સી' (Emergency) ફિલ્મને પ્રોડ્યુસ કંગના રનૌતે (Kangana Ranaut) કરી છે. આ ફિલ્મનું નિર્દેશન પણ એક્ટ્રેસે પોતે કર્યું છે. આ પહેલા કંગના રનૌત 'થલાઈવી' ફિલ્મમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની ભૂમિકા ભજવી ચૂકી છે.

કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી પર થયો વિવાદ, કોંગ્રેસે કહ્યું આ નેહરુ અને ગાંધી પરિવારને બદનામ કરવાની કોશિશ છે
Kangana Ranaut's film Emergency
Image Credit source: Instagram

Follow us on

કંગના રનૌત (Kangana Ranaut) બોલિવૂડની તે એક્ટ્રેસમાંની એક છે, જેમના નિવેદનો માત્ર વિવાદાસ્પદ જ નથી પરંતુ ફિલ્મો પર પણ કારણોસર ચર્ચામાં રહે છે. કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’એ પણ હોબાળો મચાવ્યો હતો અને હવે તેની અપકમિંગ ફિલ્મ ‘ઇમરજન્સી’ (Emergency) વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મમાં કંગના રનૌત ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે.

કંગનાએ આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. કોંગ્રેસે ‘ઇમરજન્સી’ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ ફિલ્મ દ્વારા ઇન્દિરા ગાંધીની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. આ વિશે મધ્યપ્રદેશ કોંગ્રેસનો આરોપ છે કે આ ફિલ્મ દ્વારા નેહરુ-ગાંધી પરિવારને બદનામ કરવાની કોશિશ થઈ શકે છે. આ ફિલ્મના હાલમાં જ રિલીઝ થયેલા ટીઝરથી જાણવા મળે છે કે કંગના રનૌત તેમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ પહેલા કંગના રનૌત તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે સાથે ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળી હતી. તેણે જે. જયલલિતાની ભૂમિકા ભજવી છે.

મધ્યપ્રદેશ કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો

કંગનાની આ ફિલ્મને લઈને મધ્યપ્રદેશ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. ભોપાલના કોંગ્રેસના ધારાસભ્ય પી.સી. શર્માએ આરોપ લગાવ્યો- કંગના રનૌત ભાજપના અઘોષિત પ્રવક્તા તરીકે નિવેદનો આપી રહી છે અને હવે જે રીતે તેને લીડ રોલ આપવામાં આવ્યો છે, મને લાગે છે કે આ ફિલ્મ દ્વારા નેહરુ-ગાંધી પરિવારની ઈમેજ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવશે.

આ પણ વાંચો

સેન્સર બોર્ડ સારી રીતે જુએ આ ફિલ્મ

કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા શર્માએ કહ્યું હતું કે સેન્સર બોર્ડે રિલીઝ પહેલા આ ફિલ્મના સીન સારી રીતે જોવા જોઈએ. ભલે ફિલ્મ દ્વારા નેહરુ-ગાંધી પરિવાર પર પ્રહાર કરવાની કોશિશ કરવામાં આવશે, પરંતુ દેશની જનતા નહેરુ-ગાંધી પરિવારના બલિદાન અને દેશના વિકાસમાં તેમના યોગદાનને સારી રીતે જાણે છે.

ભાજપે કર્યો પલટવાર

કોંગ્રેસના આરોપો પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે પ્રવક્તા રાજપાલ સિસોદિયાએ કહ્યું- પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. તે તેની નાયિકા હતી. કોંગ્રેસ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવી રહી છે. કોંગ્રેસ જાણે છે કે ઇમરજન્સી દેશના લોકતંત્ર પર કાળો ડાઘ હતો અને આ ફિલ્મથી તેમની પાર્ટી એક્સપોઝ થઈ શકે છે.

Next Article