પ્રેમ વ્યક્ત કરી શકતા નથી, વિજય દેવરકોંડાનો હેરાન કરી દે એવો ખુલાસો

|

Aug 25, 2022 | 4:59 PM

વિજય દેવરકોંડાએ (Vijay Deverakonda) પહેલીવાર પોતાની રિલેશનશિપ વિશે કેટલાક ખુલાસા કર્યા છે. તમને જણાવી દઈએ કે વિજય લાંબા સમયથી રિલેશનશિપમાં હતો. પરંતુ હવે તેના રિલેશનશિપનો અંત આવી ગયો છે.

પ્રેમ વ્યક્ત કરી શકતા નથી, વિજય દેવરકોંડાનો હેરાન કરી દે એવો ખુલાસો
Vijay Deverakonda

Follow us on

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને લાઈગરથી (Liger) બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) દેશના મોસ્ટ એલિજિબલ બેચલરમાંથી એક છે. તેની અપકમિંગ ફિલ્મ લાઈગર ઘણી ચર્ચામાં રહી છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્યારે વિજય ફિલ્મ નિર્માતા કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણમાં પહોંચ્યો અને કરણે તેને તેની કરંટ રિલેશનશિપ વિશે પૂછ્યું, ત્યારે તેને કોઈ પણ વાત જણાવવાની ના પાડી. પરંતુ ફરી એકવાર એક્ટરની રિલેશનશિપને લઈને અફવાઓનું બજાર ગરમ છે અને ‘વિજય દેવરકોંડા રશ્મિકા મંદન્ના સાથેના રિલેશનશિપમાં છે’ આ ચર્ચા દરેક જગ્યાએ છે. પરંતુ બંનેએ હંમેશા એ વાતની ના પાડી છે કે તેઓ રિલેશનશિપમાં છે.

હાલમાં જ વિજયે કર્યો એક મોટો ખુલાસો

હાલમાં જ સાઉથની ફિલ્મ અર્જુન રેડ્ડીમાં મજબૂત પાત્ર ભજવીને ફેમસ થયેલા એક્ટર વિજયે એક ફેમસ મેગેઝીનમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેને કહ્યું કે તેના પિતા પાસેથી પ્રેમ અને પૈસા વિશે શું શીખ્યું. આ સાથે તેને પોતાના સંબંધો વિશે પણ વાત કરી છે. વિજય દેવરકોંડાએ જણાવ્યું કે કેવી રીતે તેની એક્સ ગર્લફ્રેન્ડે પ્રેમ પ્રત્યે તેની નજર બદલી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહીં જુઓ વિજયના ધમાકેદાર ઇન્ટરવ્યુની ઝલક

જાણો શું છે વિજયનું કહેવું

વિજય દેવરકોંડાએ કહ્યું કે મારા પિતાએ મને શીખવ્યું કે પ્રેમ એ બકવાસ છે અને પૈસા સૌથી મહત્વની વસ્તુ છે. જો તમારી પાસે પૈસા છે, તો તમારી પાસે બધું છે. જો તમારી પાસે પૈસા હશે, તો લોકો તમને પ્રેમ કરશે, તમારું સમ્માન કરશે અને તમારા માટે બધું કરશે. વિજયે વધુમાં કહ્યું કે, મારા પિતાની આ વાત મારા મનમાં એટલી ઘર કરી ગઈ છે કે જ્યારે પણ કોઈ મારી પાસે આવે છે, ત્યારે મને લાગે છે કે તે મારી પાસે કોઈને કોઈ ઈચ્છા સાથે આવ્યા છે.

વ્યક્ત નથી કરી શકતો પ્રેમ

વિજય કહે છે કે જ્યારે પણ કોઈએ મને કહ્યું કે તે મને પ્રેમ કરે છે, ત્યારે મેં ક્યારેય કહ્યું નથી કે હું પણ તને પ્રેમ કરું છું અને આજ સુધી મારી સાથે એવું થઈ રહ્યું છે કે પ્રેમ કુદરતી રીતે જે હોવો જોઈએ તે રીતે થઈ રહ્યો નથી.

જાણો શું છે વિજયનું કહેવું

વધુમાં વિજય કહે છે કે, હું એક્ટર બન્યા પછી લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતો. મારા પાર્ટનરે મને ઘણું શીખવ્યું. તેને મને અહેસાસ કરાવ્યો કે પ્રેમ કોઈ વ્યવહારની વસ્તુ નથી. તેના બદલે લોકો તમને નિઃસ્વાર્થપણે પ્રેમ કરી શકે છે, તમે જે છો તેના માટે લોકો તમને પ્રેમ કરી શકે છે. વિજયનું માનવું છે કે તેને તે જાણવામાં તેને ઘણો સમય લાગ્યો કે તેના પિતાની વિચારસરણી ખોટી હતી, પરંતુ તે આજે જ્યાં પહોંચી ગયો છે. પિતાના પાઠને કારણે પહોંચ્યો છે. પરંતુ વિજય દેવરકોંડાએ એ પણ ખુલાસો કર્યો કે હવે તેમનો સંબંધ પૂરો થઈ ગયો છે.

Next Article