સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને લાઈગરથી (Liger) બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) દેશના મોસ્ટ એલિજિબલ બેચલરમાંથી એક છે. તેની અપકમિંગ ફિલ્મ લાઈગર ઘણી ચર્ચામાં રહી છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્યારે વિજય ફિલ્મ નિર્માતા કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણમાં પહોંચ્યો અને કરણે તેને તેની કરંટ રિલેશનશિપ વિશે પૂછ્યું, ત્યારે તેને કોઈ પણ વાત જણાવવાની ના પાડી. પરંતુ ફરી એકવાર એક્ટરની રિલેશનશિપને લઈને અફવાઓનું બજાર ગરમ છે અને ‘વિજય દેવરકોંડા રશ્મિકા મંદન્ના સાથેના રિલેશનશિપમાં છે’ આ ચર્ચા દરેક જગ્યાએ છે. પરંતુ બંનેએ હંમેશા એ વાતની ના પાડી છે કે તેઓ રિલેશનશિપમાં છે.
હાલમાં જ સાઉથની ફિલ્મ અર્જુન રેડ્ડીમાં મજબૂત પાત્ર ભજવીને ફેમસ થયેલા એક્ટર વિજયે એક ફેમસ મેગેઝીનમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેને કહ્યું કે તેના પિતા પાસેથી પ્રેમ અને પૈસા વિશે શું શીખ્યું. આ સાથે તેને પોતાના સંબંધો વિશે પણ વાત કરી છે. વિજય દેવરકોંડાએ જણાવ્યું કે કેવી રીતે તેની એક્સ ગર્લફ્રેન્ડે પ્રેમ પ્રત્યે તેની નજર બદલી.
TV9 नेटवर्क के MD & CEO @justbarundas ने रियल ‘लाइगर’ @TheDeverakonda से की एक्सक्लूसिव बातचीत. Duologue With Barun Das में उन्होंने फिल्म, फिलॉसफी और ज़िंदगी को लेकर किए कई खुलासे.
जल्द स्ट्रीम हो रहा है News9Plus पर…डाउनलोड करें>> https://t.co/tWblVmeQlX pic.twitter.com/e42dLfd1Lb
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) August 24, 2022
વિજય દેવરકોંડાએ કહ્યું કે મારા પિતાએ મને શીખવ્યું કે પ્રેમ એ બકવાસ છે અને પૈસા સૌથી મહત્વની વસ્તુ છે. જો તમારી પાસે પૈસા છે, તો તમારી પાસે બધું છે. જો તમારી પાસે પૈસા હશે, તો લોકો તમને પ્રેમ કરશે, તમારું સમ્માન કરશે અને તમારા માટે બધું કરશે. વિજયે વધુમાં કહ્યું કે, મારા પિતાની આ વાત મારા મનમાં એટલી ઘર કરી ગઈ છે કે જ્યારે પણ કોઈ મારી પાસે આવે છે, ત્યારે મને લાગે છે કે તે મારી પાસે કોઈને કોઈ ઈચ્છા સાથે આવ્યા છે.
વિજય કહે છે કે જ્યારે પણ કોઈએ મને કહ્યું કે તે મને પ્રેમ કરે છે, ત્યારે મેં ક્યારેય કહ્યું નથી કે હું પણ તને પ્રેમ કરું છું અને આજ સુધી મારી સાથે એવું થઈ રહ્યું છે કે પ્રેમ કુદરતી રીતે જે હોવો જોઈએ તે રીતે થઈ રહ્યો નથી.
વધુમાં વિજય કહે છે કે, હું એક્ટર બન્યા પછી લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતો. મારા પાર્ટનરે મને ઘણું શીખવ્યું. તેને મને અહેસાસ કરાવ્યો કે પ્રેમ કોઈ વ્યવહારની વસ્તુ નથી. તેના બદલે લોકો તમને નિઃસ્વાર્થપણે પ્રેમ કરી શકે છે, તમે જે છો તેના માટે લોકો તમને પ્રેમ કરી શકે છે. વિજયનું માનવું છે કે તેને તે જાણવામાં તેને ઘણો સમય લાગ્યો કે તેના પિતાની વિચારસરણી ખોટી હતી, પરંતુ તે આજે જ્યાં પહોંચી ગયો છે. પિતાના પાઠને કારણે પહોંચ્યો છે. પરંતુ વિજય દેવરકોંડાએ એ પણ ખુલાસો કર્યો કે હવે તેમનો સંબંધ પૂરો થઈ ગયો છે.