
બોલિવુડના દિગ્ગજ નિર્માતા કરણ જોહર હાલમાં સોશિયલ મીડિયા પર છવાયા છે. તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાક ફેરફાર કર્યા છે. જેને જોઈ બધા હેરાન રહી ગયા છે. કરણ જોહરે બોલિવુડના ફેમસ સ્ટારને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી અનફોલો કર્યા છે. જેમાં શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન અને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા જેવા નજીકના મિત્રોના નામ સામેલ છે.
ચાહકોએ નોટિસ કર્યું કે, વરુણ ધવન,સિદ્ધાર્થ મલ્હોત્રા, મલાઈકા અરોરા અને અનન્યા પાંડે જેવા સ્ટાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોલોઅર્સના લિસ્ટમાંથી ગાયબ છે.
એક સમયે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવતા કરણ જોહરના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઘટીને માત્ર 78 થઈ ગયા છે, જ્યારે પ્લેટફોર્મ પર તેમના પોતાના 17 મિલિયન ફોલોઅર્સ છે. આ મોટા પરિવર્તનમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમણે અભિનેતા કાર્તિક આર્યનને પણ અનફોલો કરી દીધો છે, જે ટૂંક સમયમાં જોહરના બેનર હેઠળ નિર્મિત આગામી ફિલ્મ “નાગઝિલા” માં અભિનય કરશે.
સોશિયલ મીડિયા પર યુઝર્ એવું પણ કહી રહ્યા હતા કે, થોડા સમય પહેલા સુધી પ્રિયંકા ચોપરાને ફોલો કરી રહ્યા હતા. હવે તેના લિસ્ટમાં કોઈ મોટું બોલિવુડ સ્ટાર નથી. તે જેનો ફોલોઅર્સ કરી રહ્યા છે. જેમાં કેવલ ધર્મા પ્રોડક્શનનાં સીઈઓ અપૂર્વ મહેતા અને તેના બિઝનેસ પાર્ટનર અદાર પુનાવાલા જેવા નામ સામેલ છે.
હવે કરણ જોહરે ખુદ આની પાછળનું કારણ પણ જણાવ્યું છે. કરણ જોહરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, આ એક ડિજિટલ ડિટોક્સ છે. હું ઈન્સ્ટાગ્રામ પર સમય અને એનર્જી ઓછી ખર્ચ કરવા માટે બધાને અનફોલો કરી રહ્યો છું. હવે કરણ જોહર ઈન્સ્ટાગ્રામ પર માત્ર 47 લોકોને ફોલો કરી રહ્યો છે. જેમાં કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા જેવા તેના મિત્રોના નામ સામેલ છે.
કરણ જોહરે તાજેતરમાં જ તેમની ફિલ્મ “ચાંદ મેરા દિલ” રિલીઝ કરી, જેમાં અનન્યા પાંડે અને લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં અભિનીત “નાગઝિલા” નામની ફિલ્મનું પણ નિર્માણ કરી રહ્યા છે.