Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર બોલિવૂડ સ્ટાર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું યોગ્ય જવાબ આપવો પડશે

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલાગામમાં થયેલા આતંકી હુમલાથી તમામ લોકો દુખી છે.અનુપમ ખએર, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર અને રવીના ટંડન સહિત તમામ સ્ટાર આ ઘટના પર રિએક્શન આપી રહ્યા છે.

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર બોલિવૂડ સ્ટાર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું યોગ્ય જવાબ આપવો પડશે
| Updated on: Apr 23, 2025 | 12:14 PM

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. સામાન્ય લોકોથી લઈ બોલિવુડ સ્ટાર પણ આ ઘટના બાદ આઘાતમાં છે.અનુપમ ખએર, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર અને રવીના ટંડન સહિત તમામ સ્ટાર આ ઘટના પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રિએક્શન આપી રહ્યા છે. કેટલાક સ્ટારે તો આનો યોગ્ય જવાબ આપવાની પણ વાત કરી છે. તો કેટલાકે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

આનો યોગ્ય જવાબ આપવો પડશે

સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી લખ્યું તેમણે આપણા લોકોને ક્રુરતાથી માર્યા છે. તેને માફ કરી શકાશે નહી. આ આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે, અમે ચૂપ બેસીશું નહી. આનો યોગ્ય જવાબ આપવો પડશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને નિવેદન કરી શકે, તે બધાને એવી સજા આપો તેના તેઓ હક્કદાર છે.

 

 

અનુપમ ખેરે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું ખોટું, ખોટું ખોટું! પહલગામ હત્યાકાંડ! શબ્દ આજે નપુંસક છે! આટલું જ નહી એક વીડિયોમાં કહ્યું આજે જે પહલગામમાં હિંદુઓની સાથે નરસંહાર થયો છે. જેમાં 26 લોકોના મોત થયા છે.

 

 

અજય દેવગને પણ પહલગામમાં થયેલા આતંકી હુમલા પર દુખ વ્યક્ત કર્યું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળી દુખ થયું , મારી પ્રાર્થના અને સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.

 

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો