આથિયા શેટ્ટીની પ્રેગ્નેન્સી પર નજીકના મિત્રએ કર્યો ખુલાસો, સુનીલ શેટ્ટીની કોમેન્ટ બાદ સામે આવ્યું સત્ય

|

Apr 01, 2024 | 8:08 PM

ડાન્સ દીવાનેમાં સુનીલ શેટ્ટીના એક સ્ટેટમેન્ટે ધૂમ મચાવી દીધી હતી. તેના શબ્દો વિશે એવી ચર્ચા હતી કે તે ટૂંક સમયમાં જ નાના બનવાના છે પરંતુ હવે એક નજીકના મિત્રએ સત્ય જાહેર કર્યું છે.

આથિયા શેટ્ટીની પ્રેગ્નેન્સી પર નજીકના મિત્રએ કર્યો ખુલાસો, સુનીલ શેટ્ટીની કોમેન્ટ બાદ સામે આવ્યું સત્ય
KL Rahul - athiya shetty

Follow us on

સુનીલ શેટ્ટી ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં જજ બન્યો છે. તેને શોમાં કંઈક એવું કહ્યું કે ત્યારપછી એવી અટકળો શરૂ થઈ ગઈ કે તેની દીકરી આથિયા શેટ્ટી જલ્દી જ માતા બનવા જઈ રહી છે. સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે જ્યારે તેઓ આવતા વર્ષે જજ તરીકે આવશે ત્યારે નાનાની જેમ સ્ટેજ પર આવશે. તેમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું હતું કે આથિયા અને કેએલ રાહુલ માતા-પિતા બનવાના છે. પરંતુ હાલના રિપોર્ટ મુજબ આ રિપોર્ટમાં કોઈ સત્ય નથી.

પ્રેગ્નેન્સીના સમાચાર સાચા નથી

આથિયા અને કેએલ રાહુલના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. આવામાં સુનીલ શેટ્ટીના જવાબ પછી, ચર્ચાઓ શરૂ થઈ કે તેમના ઘરમાં કિલકારી ગુંજશે. અત્યાર સુધી કપલે આ વિશે મૌન જાળવી રાખ્યું છે અને કોઈ પુષ્ટિ મળી નથી. મીડિયા રિપોર્ટ મુજબ આ માત્ર અફવાઓ છે અને સાચી નથી.

હેરાન છે સુનીલ શેટ્ટી

એક નજીકના સૂત્રએ કહ્યું કે ‘આ ચર્ચામાં કોઈ સત્ય નથી. નાના બનવા વિશે સુનીલની કોમેન્ટનો અર્થ મજાક સમાન હતો. તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. સૂત્રએ વધુમાં કહ્યું, ‘તે માત્ર મજાકમાં વાતચીત હતી. સુનિલે આ વાત મજાકમાં કહી હતી. હવે તે પણ હેરાન છે કે બધાએ તેની કોમેન્ટ કેવી રીતે લીધી. તે આ ચર્ચા બિલકુલ ઈચ્છતો ન હતા. આ અજાણતા થયું. ઘણા લોકોએ આખી ક્લિપ જોઈ નથી અને માત્ર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓના આધારે જ તેઓને ખાતરી થઈ છે. આ વાતથી તે હેરાન છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લાઈફ એન્જોય કરી રહ્યાં છે આથિયા અને કેએલ રાહુલ

સૂત્રએ ખુલાસો કર્યો છે કે ‘તે બંને સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહ્યાં છે. તેઓ તેમના પરિવારને આગળ લઈ જવા માંગે છે પરંતુ હાલમાં તેઓ માત્ર જીવનનો આનંદ માણી રહ્યા છે. હાલમાં પ્રેગ્નેન્સીની અટકળોમાં કોઈ સત્ય નથી. જ્યારે પણ આવું થશે ત્યારે તેઓ તેની જાહેરાત કરશે અને પોતાની ખુશી દરેક સાથે શેર કરશે. પરિવાર આગળ આવશે અને શેર કરશે કારણ કે તે શેટ્ટી પરિવારનો સ્વભાવ છે. અત્યારે તેઓ ઈચ્છે છે કે આ મજાકને માત્ર મજાક તરીકે જ લેવામાં આવે.

આ પણ વાંચો: હું ધન્ય છું કે.. પિતા બોની કપૂરને કેવો લાગે છે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા? જાણો શું કહ્યું

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article