પોતાનાથી 31 વર્ષ નાની અનન્યા પાંડે સાથે સ્ક્રીન શેર કરશે અક્ષય કુમાર, શંકરન નાયરની બાયોપિકમાં સાથે મળશે જોવા

|

Jun 08, 2022 | 4:04 PM

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) અને અનન્યા પાંડે (Ananya Panday) વકીલ અને એક્ટિવિસ્ટ શંકરન નાયરની બાયોપિકમાં જોવા મળી શકે છે.

પોતાનાથી 31 વર્ષ નાની અનન્યા પાંડે સાથે સ્ક્રીન શેર કરશે અક્ષય કુમાર, શંકરન નાયરની બાયોપિકમાં સાથે મળશે જોવા
Akshay Kumar And Ananya Pandey
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) ટૂંક સમયમાં દિવંગત વકીલ અને એક્ટિવિસ્ટ શંકરન નાયરની બાયોપિકમાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સ મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે અને તેની ટીમે આ ફિલ્મ પર ગ્રાઉન્ડ વર્ક શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ હશે, જેનું નામ ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સી શંકરન નાયર’ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અનન્યા પાંડે (Ananya Pandey) પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મમાં અક્ષય સાથે જોવા મળશે અનન્યા પાંડે

મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અનન્યા પાંડે પણ મહત્વના રોલમાં જોવા મળશે. જો કે અનન્યાને હજુ આ ફિલ્મ માટે સત્તાવાર રીતે સાઈન કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ માટે તેનું નામ ફાઈનલ થઈ ગયું છે. ફિલ્મમાં અક્ષય એક વકીલ-કાર્યકરની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અનન્યા જુનિયર વકીલની ભૂમિકામાં જોવા મળશે.

કોણ છે શંકરન નાયર?

શંકરન નાયર મદ્રાસ હાઈકોર્ટમાં વકીલ અને જજ હતા. શંકરન 1897માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા અને તેઓ નાની ઉંમરમાં યુવા મલયાલી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. શંકરને 1915માં વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે સેવા આપી હતી, પરંતુ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી રાજીનામું આપ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અક્ષય ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં જોવા મળ્યો હતો

અક્ષય કુમાર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં જોવા મળ્યો હતો. મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ કે જેઓ ભારતના બહાદુર યોદ્ધા હતા તેમના જીવનની વાર્તા આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મ ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી છે અને નિર્દેશિત કરી છે. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત માનુષી, સંજય દત્ત, સોનુ સૂદ, સાક્ષી તંવર, આશુતોષ રાણા, લલિત તિવારી અને માનવ વિજ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો અનન્યા પાંડે વિજય દેવરાકોંડા સાથે Ligerમાં જોવા મળશે. આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Next Article