
બોલિવૂડ ફિલ્મ ધુરંધર 2 ને લઈને દુનિયાભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ધુરંધરના પહેલા ભાગને પહેલાથી જ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને પહેલા ભાગ કરતા પણ વધુ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ધુરંધર 2 એ 1000 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મની સાથે રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ઉસ્તાદ ભગત સિંહને વધુ સારો રિસ્પોન્સ મળ્યો નથી. પરંતુ આ સમય દરમિયાન બીજી એક સાઉથ ફિલ્મ રિલીઝ થઈ છે જેનું કલેક્શન આશ્ચર્યજનક રહ્યું છે.
‘Aadu 3’ ફિલ્મે રિલીઝના પહેલા અઠવાડિયામાં જ સારું પ્રદર્શન કર્યું છે. ‘ધૂરંધર 2’ અને ‘ઉસ્તાદ ભગત સિંહ’ જેવી રિલીઝ વચ્ચે પણ ‘Aadu 3’ ફિલ્મ 100 કરોડની કમાણીની ખૂબ નજીક પહોંચી ગઈ છે.
SacNilk ના અહેવાલો અનુસાર, ‘Aadu 3’ ની વાત કરીએ તો ફિલ્મે રિલીઝના સાતમા દિવસે 2 કરોડનું કલેક્શન કર્યું છે. આ કલેક્શન નોંધપાત્ર ન ગણાય પરંતુ ધુરંધર 2 ની રિલીઝ અને સફળતા વચ્ચે પોતાની કમાણી જાળવી રાખી છે. અહેવાલો સૂચવે છે કે તેનું બજેટ રૂપિયા 20 કરોડ હતું.
ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન પહેલાથી જ રૂપિયા 94 કરોડ (આશરે $1.94 બિલિયન) ની કમાણી કરી ચૂક્યું છે. ફિલ્મનું કલેક્શન વિદેશમાં મજબૂત થયું છે. જયસૂર્યની ફિલ્મ પહેલાથી જ લગભગ રૂપિયા 50 કરોડ (આશરે $1.50 બિલિયન) ની કમાણી કરી ચૂકી છે. એવી અપેક્ષા છે કે આ ફિલ્મ ગુરુવાર, 27 માર્ચે રૂપિયા 100 કરોડ (આશરે $1.5 બિલિયન) ક્લબમાં જોડાશે.
રણવીર સિંહની ધુરંધર 2 દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. તે 1,000 કરોડ (US$1.2 બિલિયન) થી વધુ કમાણી કરનારી 10મી ભારતીય ફિલ્મ બની છે. તેને રિલીઝ થયાને ફક્ત એક અઠવાડિયા થયો છે. આ ઉપરાંત ઉસ્તાદ ભગત સિંહે કંઈ નોંધપાત્ર કમાણી કરી નથી. રૂપિયા 150 કરોડ (US$1.5 બિલિયન) ના બજેટ સાથે બનેલી આ ફિલ્મ હજુ સુધી રૂપિયા 90 કરોડ (US$1.2 બિલિયન) ની પણ કમાણી કરી નથી. જે ‘Aadu 3’ ના કલેક્શનથી પાછળ છે. હવે બોક્સ ઓફિસ રેસમાં આમાંથી કઈ મલયાલમ અને તેલુગુ ફિલ્મ આગળ ઉભરે છે તે જોવાનું બાકી છે.
વૈશ્વિક તણાવથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર થઈ રહી છે અસર, અક્ષય કુમારે આ રીતે વ્યક્ત કરી ચિંતા… વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:54 pm, Thu, 26 March 26