AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટોલીવુડ માટે રાહત પેકેજની ઘોષણા, ચિરંજીવી અને અન્ય કલાકારોએ CM જગમોહન રેડ્ડીનો માન્યો આભાર

કોરોના મહામારીની અસર માત્ર બોલીવુડ જ નહીં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલિવૂડ (Tollywood) પર પણ પડી છે. કોરોના મહામારીમાંથી ઊગરવા માટે આંધ્રપ્રદેશ સરકારે (Andhra Pradesh Government) ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ભેટ આપી છે.

ટોલીવુડ માટે રાહત પેકેજની ઘોષણા, ચિરંજીવી અને અન્ય કલાકારોએ CM જગમોહન રેડ્ડીનો માન્યો આભાર
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 07, 2021 | 7:41 PM
Share

કોરોના મહામારીની અસર માત્ર બોલીવુડ જ નહીં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલિવૂડ (Tollywood) પર પણ પડી છે. કોરોના મહામારીમાંથી ઊગરવા માટે આંધ્રપ્રદેશ સરકારે (Andhra Pradesh Government) ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી વાયએસ જગમોહન રેડ્ડી (CM YS Jaganmohan Reddy)ની નેતૃત્વવાળી આંધ્રાપ્રદેશ સરકારે મંગળવારે ફિલ્મ થિયેટર માલિકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે રાહત પેકેજનું એલાન કર્યું છે.

સરકારના આ નિર્ણયથી ચિરંજીવી (Chiranjivee) જેવા ઘણા કલાકારોએ ખુશ થઈને મુખ્યમંત્રી રેડ્ડીનો આભાર માન્યો હતો. જણાવી દઈએ કે સરકારે 2020ના ત્રણ મહિનાના નિર્ધારિત શુલ્કને માફ કરી દીધા છે. જુલાઈથી સપ્ટેમ્બર 2020 સુધીની અવધિ માટે છ મહિના સુધી ચૂકવણીઓ સ્થગિત કરી દીધી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નિર્ભર હજારો પરિવારોને મળશે લાભ

થિયેટર એક્સિબિટર્સ દ્વારા લેવામાં આવતી લોન પર વ્યાજ સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય સરકાર દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઘણી વસ્તુઓની ઘોષણા કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ સરકારના આ પગલાથી એક્સિબિટર્સને કોરોનામાંથી નીકળવામાં મોટી મદદ મળશે. તે જ સમયે, મેગાસ્ટાર ચિરંજીવી, નિર્માતા દિલ રાજુ અને અન્ય ફિલ્મ હસ્તીઓએ આ રાહત પેકેજ માટે સીએમ જગનમોહન રેડ્ડીનો આભાર માન્યો છે.

ચિરંજીવીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે- “કોવિડના સમય દરમિયાન ફિલ્મ ઉદ્યોગ માટે રાહત પેકેજની ઘોષણા કરવા બદલ માનનીય સીએમ શ્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીનો મારો હૃદયપૂર્વક આભાર.” તમારો સહાનુભૂતિપૂર્ણ ટેકો આ ઉદ્યોગ પર નિર્ભર હજારો પરિવારોને મદદ કરશે. ”

નિર્માતા દિલ રાજુએ તેમના પ્રોડક્શન હાઉસ પરથી ટ્વીટ કર્યું- “રોગચાળાથી ખરાબ રીતે અસર પામેલા તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે જરૂરી રાહત પગલાં બદલ અમે આંધ્રપ્રદેશના માનનીય સીએમ જગનમોહન રેડ્ડીનો આભાર માનું છું.”

તમને જણાવી દઈએ કે ગત વર્ષના દેશવ્યાપી લોકડાઉનને કારણે ફિલ્મ્સના શૂટિંગ અને રિલીઝ બંધ થવાના કારણે થિયેટર માલિકો અને ત્યાં કામ કરતા કર્મચારીઓના ખિસ્સા પર ભારે અસર પડી હતી. અનલોક પ્રક્રિયા પછી થિયેટરોમાં ફિલ્મો રજૂ કરવામાં આવી, પરંતુ કેટલાક કડક નિયમો સાથે ફિલ્મની રજૂઆત પછી, સિનેમાને સાત મહિના બંધ હોવાને કારણે સિનેમાની ખોટ થવાને કારણે માલિકો નુકસાનની ભરપાઈ નથી કરી શકતા. આવી સ્થિતિમાં રાહત પેકેજ તેમના માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો: ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈ ICCએ T20 વિશ્વકપને લઈને આપ્યુ મોટુ નિવેદન, તૈયાર છે બેકઅપ પ્લાન

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">