AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani સાથેના સંબંધોના અહેવાલો વચ્ચે, સિદ્ધાર્થ મલ્હોત્રાને પુછ્યો લગ્નનો પ્લાન, જાણો શું મળ્યો જવાબ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધોના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે બંનેમાંથી કોઈએ આ અહેવાલો પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તાજેતરમાં જ સિદ્ધાર્થને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું.

Kiara Advani સાથેના સંબંધોના અહેવાલો વચ્ચે, સિદ્ધાર્થ મલ્હોત્રાને પુછ્યો લગ્નનો પ્લાન, જાણો શું મળ્યો જવાબ
Kiara Advani, Sidharth Malhotra
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 6:39 PM
Share

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. શેરશાહ (Shershaah) ફિલ્મને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી માત્ર અભિનેતાનો જ દબદબો નથી, પરંતુ તે જ સમયે તેના અને કિયારા અડવાણી (Kiara Advani) ના સંબંધોના સમાચાર પણ ખૂબ ચર્ચામાં છે. ચાહકો પણ હવે જાણવા માંગે છે કે સિદ્ધાર્થ ક્યારે લગ્ન કરશે. હાલમાં જ લગ્નના સમાચાર પર સિદ્ધાર્થે પોતાનો જવાબ આપ્યો છે.

વાસ્તવમાં, એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે સિદ્ધાર્થને લગ્નના પ્લાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘સારું, અત્યારે લગ્નનો કોઈ પ્લાન નથી. મને લાગે છે કે આ એવી વસ્તુ છે જેનો પોતાનો કોર્સ છે જેમ કે ફિલ્મ નિર્માણ હજી થયું નથી. મારી પાસે સ્ટોરી નથી, સ્ક્રિપ્ટ અને કાસ્ટ તૈયાર છે. હવે આ ક્યારે થશે, જેવી મને ખબર પડશે હું બધાને કહીશ.

શેરશાહમાં ગમી બંનેની જોડી

તમને જણાવી દઈએ કે શેરશાહમાં સિદ્ધાર્થ અને કિયારાની કેમેસ્ટ્રી બધાને પસંદ આવી હતી.બંને એકસાથે ખૂબ જ સારા લાગી રહ્યા હતા. જો કે, કિયારા અને સિદ્ધાર્થ ઘણો સમય સાથે વિતાવતા જોવા મળ્યા છે. બંને સાથે લંચ કે ડિનર પર જાય છે. ક્યારેક બંને એકબીજાના માતા-પિતા સાથે જાય છે. એટલું જ નહીં, કિયારા અને સિદ્ધાર્થ એકબીજાના ઘરે પણ જાય છે.

જોકે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ આ રિલેશનશિપના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ ચાહકો ચોક્કસપણે બંનેના સંબંધની સ્થિતિ જાણવા માંગે છે.

શેરશાહ પછી બદલાઈ ગયું જીવન

તમને જણાવી દઈએ કે શેરશાહ પછી સિદ્ધાર્થના ફિલ્મ ગ્રાફમાં ઘણો બદલાવ આવ્યો છે. સિદ્ધાર્થનું કહેવું છે કે શેરશાહ પછી હવે લોકો તેને વધુ ગંભીરતાથી લેવા લાગ્યા છે. તેણે કહ્યું, ‘મને લાગે છે કે સફળતા તમારામાં જે બદલાવ લાવે છે તે છે તમારી સેંસ ઓફ પર્ફોર્મરનાં રુપે. હવે હું ફિલ્મને લઈને ટીમ કે દિગ્દર્શકને જે પણ સૂચન આપું છું, તો મારા શબ્દોમાં થોડોક દમ લાગે છે.

તેણે વધુમાં કહ્યું કે, ‘ત્રણ વર્ષ પહેલા જો મેં આ જ સમજણ સાથે આ જ અભિપ્રાય આપ્યો હોત, તો તેઓએ વિચાર્યું હોત કે કરવું કે નહીં. પરંતુ હવે તેઓ તમારું કામ જુએ છે જે દર્શકો સાથે જોડાયેલું છે. આ મારા માટે ખૂબ જ સકારાત્મક પરિવર્તન છે. હું એમ નથી કહેતો કે હું બહેતર છું અને નિયંત્રણ કરવા માંગુ છું. હું ફક્ત એટલું જ કહું છું કે પ્રયાસ કરવામાં કોઈ નુકસાન નથી.

સિદ્ધાર્થની આગામી ફિલ્મો

સિદ્ધાર્થની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે મિશન મજનૂ(Mission Majnu), થેંક ગોડ (Thank God) અને ધર્મા પ્રોડક્શનની અનટાઈટલ્ડ એક્શન ફિલ્મમાં પણ જોવા મળશે. મિશન મજનુમાં સિદ્ધાર્થ સાથે રશ્મિકા મંદાના (Rashmika Mandanna) લીડ રોલમાં છે. બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

થેંક ગોડમાં સિદ્ધાર્થની સાથે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને અજય દેવગણ (Ajay Devgn) લીડ રોલમાં છે. ધર્માની ફિલ્મ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

આ પણ વાંચો :- Kamal Hassan Magic: મેટાવર્સમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા કમલ હાસન

આ પણ વાંચો :- સિંગર નેહા ભસીન પર ગુસ્સે થયા સલમાન ખાન, Bigg Boss 15ને સ્ક્રિપ્ટેડ કહેવા બદલ આપ્યો ઠપકો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">