North Eastern Election Results 2023: પૂર્વોત્તરમાં સારા પ્રદર્શન પર ભાજપને ગર્વ, જીત પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહી આ વાત

|

Mar 02, 2023 | 3:47 PM

ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની વાપસી થઈ છે. જો કે મેઘાલયની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ગુરુવારે કેન્દ્રની મોદી સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને વિકાસના એજન્ડાની પ્રશંસા કરી હતી.

North Eastern Election Results 2023: પૂર્વોત્તરમાં સારા પ્રદર્શન પર ભાજપને ગર્વ, જીત પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહી આ વાત

Follow us on

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે એટલે કે ગુરુવારે મતોની ગણતરી થઈ રહી છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની વાપસી થઈ છે. જો કે મેઘાલયની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ગુરુવારે કેન્દ્રની મોદી સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને વિકાસના એજન્ડાની પ્રશંસા કરી હતી. ભાજપ ત્રિપુરામાં મોટાભાગની સીટો પર આગળ છે, જ્યારે તેનું ગઠબંધન નાગાલેન્ડમાં સત્તા જાળવી રાખવા માટે આગળ છે.

કેન્દ્રએ પ્રદેશમાં શાંતિ અને વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, પ્રદેશના લોકોએ જોયું છે કે કેન્દ્રએ પ્રદેશમાં શાંતિ અને વિકાસ લાવવા માટે કેટલી નજીકથી અને નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, પછી તે મોટા પ્રોજેક્ટ હોય જેમ કે હાઇવે બનાવવાનું હોય કે પીવાનું પાણી, વીજળી, મફત રાશન અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા જેવી બાબતો.

આ પણ વાંચો : Nagaland Election Result 2023: નાગાલેન્ડમાં રચાયો ઈતિહાસ, 60 વર્ષમાં પહેલીવાર વિધાનસભામાં મહિલાઓની થશે એન્ટ્રી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ત્રિપુરામાં ભાજપે સમસ્યાઓનું નિરાકરણ કર્યું

તેમણે કહ્યું કે અગાઉ કેન્દ્ર અને પૂર્વોત્તર વચ્ચે ઘણું અંતર હતું, પરંતુ મોદીની આગેવાનીવાળી સરકારે આ અંતરને પાર કર્યું છે. રિજિજુએ કહ્યું કે ત્રિપુરાના લોકોએ જોયું છે કે કેવી રીતે ભાજપે જૂની સમસ્યાઓનું નિરાકરણ કરીને તેમને આપેલા વચનો પૂરા કરવા માટે કામ કર્યું છે.

આ પણ વાંચો : Nagaland Election Results 2023: પીએમ મોદીને ગુરુ માનનારા અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતા તેમજેન ઈમ્નાએ મોટી જીત

કોંગ્રેસનો સફાયો થશે: તરુણ ચુગ

ભાજપના મહાસચિવ તરુણ ચુગે ત્રિપુરા અને મેઘાલયના પ્રારંભિક પરિણામોમાં ભાજપની પ્રભાવશાળી લીડ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ભાજપ પૂર્વોત્તરમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે અને કોંગ્રેસનો સફાયો કરવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત વલણો અનુસાર, ભાજપે ત્રિપુરામાં ત્રણ બેઠકો જીતી અને 60 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 29 બેઠકો પર આગળ. તેના સહયોગી આઈપીએફટીએ એક સીટ જીતી જ્યારે, નાગાલેન્ડમાં NDPP-BJP ગઠબંધન 39 સીટો પર આગળ.

ઈનપુટ – ભાષા

Published On - 3:46 pm, Thu, 2 March 23

Next Article