Punjab Election 2022: CMનાં ચહેરા વગર જ ચૂંટણીનાં રણ મેદાનમાં કોંગ્રેસ ઉતરશે, જાતિગત સમીકરણને સેટ કરવાનો પ્રયાસ

|

Dec 25, 2021 | 9:04 AM

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે દિલ્હીમાં અત્યાર સુધીમાં સ્ક્રીનીંગ કમિટીની બે બેઠકો યોજાઈ ચુકી છે. પાર્ટીએ પરિવાર દીઠ માત્ર એક જ ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.

Punjab Election 2022: CMનાં ચહેરા વગર જ ચૂંટણીનાં રણ મેદાનમાં કોંગ્રેસ ઉતરશે, જાતિગત સમીકરણને સેટ કરવાનો પ્રયાસ
Navjot Singh Sidhu and Charanjit Singh Channi (File photo)

Follow us on

Punjab Election 2022: આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી(Punjab Election 2022) પહેલા કોંગ્રેસ પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરાની જાહેરાત કરી શકશે નહીં અને પાર્ટી સામૂહિક નેતૃત્વ પસંદ કરે તેવી શક્યતા છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે અંતિમ નિર્ણય લેવા માટે ચર્ચા ચાલી રહી છે. સપ્ટેમ્બરમાં કેપ્ટન અમરિંદર સિંહને હટાવ્યા બાદ કોંગ્રેસે પંજાબના પહેલા દલિત સીએમ ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi)ને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે મોટાભાગના રાજ્યના નેતાઓ માને છે કે પક્ષે જાતિ સમીકરણને સંતુલિત કરવા માટે સામૂહિક નેતૃત્વ પસંદ કરવું જોઈએ. પંજાબની ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીએ રાજ્યના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી. એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે તેમણે પાર્ટી નેતૃત્વ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે કે પાર્ટીએ આગામી ચૂંટણીમાં સામૂહિક રીતે લડવું જોઈએ. 

આ પગલાથી પાર્ટી મતોના ધ્રુવીકરણના જોખમની અવગણના કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. મુખ્ય પ્રધાન તરીકે ચન્નીનો ચહેરો દલિત સમુદાયમાંથી મત મેળવે તેવી શક્યતા છે, જે રાજ્યની વસ્તીના 32 ટકા છે. પરંતુ રાજ્યમાં જાટ શીખ અને હિંદુઓની પણ મોટી વસ્તી છે. નવજોત સિંહ સિદ્ધુ (શીખ જાટ) ને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા અને સુનીલ જાખડ (જાટ) ને ચૂંટણી પ્રચાર સમિતિના વડા તરીકે નિયુક્ત કર્યા સાથે પાર્ટીએ તે સમય માટે રાજ્યમાં સમાન તર્જ પર જાતિ સંતુલન જાળવી રાખ્યું હતું. 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુખજિંદર સિંહ રંધાવા જાટ શીખ છે, જ્યારે અન્ય નાયબ મુખ્ય પ્રધાન ઓપી સોની હિન્દુ સમુદાયના છે. એ પણ મહત્વનું છે કે પાર્ટીએ સુનીલ જાખરને સ્ક્રીનિંગ કમિટીમાં સામેલ કર્યા છે, જ્યારે આ પહેલા પ્રચાર સમિતિના વડાને ક્યારેય આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. કોંગ્રેસ પણ ઉમેદવારોની ચૂંટણી માટે દરેક બેઠકનો સર્વે કરી રહી છે. ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં અત્યાર સુધીમાં સ્ક્રીનિંગ કમિટીની બે બેઠકો યોજાઈ ચૂકી છે. પાર્ટીએ પરિવાર દીઠ માત્ર એક જ ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. 

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ઉમેદવારોને ‘મેરિટ’ના આધારે ટિકિટ આપવામાં આવશે. તેમણે પત્રકારોને કહ્યું, “કોંગ્રેસ એક બિનસાંપ્રદાયિક પક્ષ છે જ્યાં ચર્ચાઓ અને વિવાદો યોગ્ય રીતે થાય છે. મેરિટના આધારે ટિકિટ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિજેતા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસમાં યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવે છે. 

સોનિયા ગાંધી સાથે સાંસદોની મુલાકાત

આ પહેલા ગુરુવારે પંજાબના પાર્ટી સાંસદોએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સરકારના પડકારો અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિઝન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર રહેલા એક સાંસદે ANIને કહ્યું, “નેતાઓએ સૂચન કર્યું કે સરકાર અને પાર્ટી વચ્ચે સંકલન સુધારવાની જરૂર છે કારણ કે પંજાબ કોંગ્રેસના પ્રમુખ (નવજોત સિંહ સિદ્ધુ)ના નિવેદનોને કારણે સરકારને ઘણી વખત નુકસાન થયું છે. ” 

આ બેઠક દરમિયાન, સાંસદોએ લુધિયાણા જિલ્લા કોર્ટમાં થયેલા બોમ્બ વિસ્ફોટ અને તાજેતરના મોબ લિંચિંગની ઘટનાઓ સહિત ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. મીટિંગમાં, સાંસદોએ પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના ગૃહ પ્રધાનની લિંચિંગની ઘટનાઓની નિંદા ન કરવા બદલ ટીકા કરી હતી. સાંસદોએ રાજ્યમાં આતંકવાદના ઇતિહાસને ટાંકીને સાંપ્રદાયિક શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે 77 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેણે હવે પોતાની પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ બનાવીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

Next Article