પંજાબમાં (Punjab) આવતા મહિનાની 14 તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્ય વિધાનસભામાં 117 બેઠકો છે અને તેનો કાર્યકાળ માર્ચ 2022માં સમાપ્ત થશે. ગત વખતે મુખ્ય વિપક્ષી પાર્ટી બનેલી આમ આદમી પાર્ટી (AAP) આ વખતે સત્તા કબજે કરવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. પાર્ટીએ હવે આગામી ચૂંટણી માટે ગઠબંધનની ગેરહાજરીમાં સંયુક્ત સમાજ મોરચા (SSM)ને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. AAPએ સંયુક્ત સમાજ મોરચા પર આરોપ લગાવ્યો છે કે તે ભાજપ સાથે ગઠબંધનમાં છે અને AAPના ઉમેદવારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.
ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ એસએસએમના પ્રમુખ બલબીર સિંહ રાજેવાલ સાથે ગઠબંધન માટે વાતચીત કરી રહ્યા છે, પરંતુ તે સફળ થયું ના હતું. કારણ કે તેઓ આપ કરતા વધુ ટિકિટ માંગી રહ્યા હતા. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે SSMના એકલા જવાના નિર્ણયને કારણે AAPને સૌથી વધુ નુકસાન થશે.
AAPના પંજાબના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ચૂંટણી પંચ પર ‘મોરચા’ને મદદ કરવા માટે રજીસ્ટ્રેશનમાં છૂટ આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તે AAPને દૂર રાખવાના બીજેપીના કાવતરાનો ભાગ છે. જ્યારે ચઢ્ઢાએ કોઈનું નામ લીધું ન હતું, તે સ્પષ્ટ હતું કે તેમનો અર્થ ‘SSM’ હતો, જેણે ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા ચૂંટણી પંચમાં નોંધણીની પ્રક્રિયા શરૂ કરી હતી.
AAPના દાવાઓ બાદ, ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા કહ્યું કે અગાઉની 2019, 2020 અને 2021ની ચૂંટણીઓમાં સમાન જોગવાઈઓ કરવામાં આવી હતી. શુક્રવારે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ રાજ્યોમાં નવા રાજકીય પક્ષોની નોંધણી માટે નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. આના પર SSM નેતાઓએ કહ્યું કે AAP તેની નિરાશા બતાવી રહી છે કારણ કે તે પંજાબમાં સીટ ગુમાવી રહી છે.
પાર્ટીના નેતા મનજીત સિંહ કહે છે, ‘ચૂંટણી પંચે ચોથી વખત આવું કર્યું છે. તેણે 2019ની સામાન્ય ચૂંટણીઓ, 2020ની બિહારની ચૂંટણીઓ અને માર્ચ 2021ની રાજ્યની ચૂંટણીઓ પહેલાં પણ આવું કર્યું હતું. તમે ધાકધમકી અનુભવો છો અને મનઘડત આક્ષેપો કરીને ખોટો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. AAP ધારાસભ્ય મીત હરેએ ‘SSM’ પર ‘AAP’ નેતાઓને ભગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી માટે 109 ઉમેદવારોની જાહેરાત કરી છે. હવે માત્ર 8 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. તેથી હવે કોઈ પ્રકારનું ગઠબંધન થાય તેવું લાગતું નથી. પાર્ટીએ જલંધર ઉત્તરથી દિનેશ ધલ, સમરાલાથી જગતાર સિંહ, સાહનેવાલથી હરદીપ સિંહ મુંડિયન, મોગાથી ડૉ. અમનદીપ કૌર અરોરા અને ભટિંડા ગ્રામીણથી અમિત રતન કોટફટ્ટાને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો : કોરોના રસીકરણ મહાભિયાનને એક વર્ષ પૂર્ણ, 70 % વસ્તી એક વર્ષમાં થઇ ફૂલી વેક્સીનેટેડ, તો 30 કરોડ બાળકોને મળ્યો પહેલો ડોઝ
આ પણ વાંચો : ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે લગ્ન પહેલા કરાવ્યું ટેટૂ, જુઓ તસ્વીર