ભગવંત માન પંજાબમાં AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે, અરવિંદ કેજરીવાલે લોકોના સૂચનો પછી કરી જાહેરાત

|

Jan 18, 2022 | 2:49 PM

Punjab Assembly Election: ભગવંત માન પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. અરવિંદ કેજરીવાલે તેમના નામની જાહેરાત કરી છે.

ભગવંત માન પંજાબમાં AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે, અરવિંદ કેજરીવાલે લોકોના સૂચનો પછી કરી જાહેરાત
Bhagwat Maan (file photo)

Follow us on

આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબના મુખ્યમંત્રી (Punjab Elections) પદના ઉમેદવાર તરીકે ભગવંત માનનું (Bhagwant Mann) નામ પસંદ કર્યું. મોહાલીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) લોકો દ્વારા કરવામાં આવેલા કુલ વોટિંગના આધારે જાહેર કરાયેલા નંબર હેઠળ ભગવંત માનના નામ પર મહોર લગાવી હતી. પંજાબમાં 21 લાખ લોકોએ ફોન અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ ટેલિવોટમાં ભગવંત માનના નામ પર મહત્તમ લોકોએ સહમતિ દર્શાવી હતી. તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રથમ પસંદગી હતા.

સૌથી વધુ અભિપ્રાય માન માટે

અહીં નોંધનીય બાબત એ છે કે કુલ 21 લાખ 59 હજાર 437 લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આમાંથી કેટલાક લોકોએ અરવિંદ કેજરીવાલના નામ પર પોતાની પસંદગીની નોંધણી પણ કરાવી હતી, પરંતુ તે મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. બાકીના 93 ટકા લોકોએ ભગવંત માનનું નામ પસંદ કર્યું. 3.6 ટકા લોકોએ નવજોત સિંહ સિદ્ધુનું નામ પસંદ કર્યું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ટેલિવોટિંગ માટે જાહેર કરાયેલા નંબર પર કોઈના નામનો વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. જો કોઈ વ્યક્તિએ તેમની પસંદગીની નોંધણી કરાવવી હોય તેમણે, તેણે કૉલ પર બીપ પછી, એસએમએસ દ્વારા અથવા વોટ્સએપ પર મેસેજ કરીને નામ જણાવવુ પડતું હતું. આ રીતે મળેલા ડેટા દ્વારા સીએમના ચહેરાની જાહેરાત કરવામાં આવી છે.

પંજાબમાં  એકમાત્ર AAP દ્વારા  મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત 
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે સ્પષ્ટ છે કે AAP પંજાબની ચૂંટણી જીતશે. એક રીતે, મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કરાયેલ વ્યક્તિ પંજાબના આગામી મુખ્યમંત્રી હશે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ AAPનો ઉત્સાહ બેવડાયો છે. 48 વર્ષીય ભગવંત માન સંગરુરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે અને પાર્ટીના રાજ્ય એકમના વડા છે. ખરેખર, AAPના ‘જનતા ચૂંટશે આપના સીએમ’ અભિયાન હેઠળ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષોમાં, AAP એકમાત્ર સંગઠન છે જેણે તેના મુખ્ય પ્રધાનપદના ચહેરાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ

Punjab Elections: આ સમુદાય 22 સીટો પર જીત અને હાર વચ્ચે ઉભો છે જેના કારણે પંજાબની ચૂંટણીની તારીખ બદલાઈ ગઈ

આ પણ વાંચોઃ

Punjab Assembly Election 2022: શું ચન્ની બનશે પંજાબના સીએમ? કોંગ્રેસે સોનુ સૂદનો વીડિયો પોસ્ટ કરીને આપ્યો મોટો સંકેત

Next Article