યુપીમાં હવે દાદા નહી હનુમાનદાદા છે, ભાજપ આ વખતે 300 બેઠકો મેળવશેઃ અમિત શાહ

|

Dec 26, 2021 | 3:01 PM

UP Election: અમિત શાહે (Amit Shah) કહ્યું, 'જો બાબુજી (કલ્યાણ સિંહ)એ મને માર્ગદર્શન ન આપ્યું હોત તો 2014, 2017 અને 2019માં મારી જીત શક્ય ન બની હોત. આજે બાબુજી અમારી સાથે નથી, પરંતુ અહીંની ભીડ કહે છે કે તેમની યાદ તમારા મનમાં અકબંધ છે.

યુપીમાં હવે દાદા નહી હનુમાનદાદા છે, ભાજપ આ વખતે 300 બેઠકો મેળવશેઃ અમિત શાહ
Union Home Minister Amit Shah

Follow us on

UP Assembly Election : આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 ને (Uttar Pradesh Assembly Election 2022) ધ્યાનમાં રાખીને, તમામ રાજકીય પક્ષો જનતાને આકર્ષવા માટે પોતપોતાની યુક્તિઓ અજમાવી રહ્યા છે. જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વ્યૂહરચનાકાર અમિત શાહે (Amit Shah) આજે કાસગંજમાં (Kasganj) એક મોટી રેલીને સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ‘વ્રજ ક્ષેત્ર ભાજપનો ગઢ હતો, છે અને રહેશે. આજે બાબુજી (કલ્યાણસિંહ -Kalyan Singh) અમારી સાથે નથી, પરંતુ અહીંની ભીડ જ કહે છે કે તેમની યાદ તમારા મનમાં હજુ પણ છે.


શાહે કહ્યું, “અગાઉ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે લોકો તેમની દીકરીઓને સ્કૂલ અને કૉલેજમાં મોકલવામાં શરમાતા હતા. 5 વર્ષની અંદર યોગી આદિત્યનાથના (Yogi Adityanath) નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) તમામ ગુંડાઓ ભાગી ગયા. પહેલા લોકો સ્થળાંતર કરતા હતા, હવે ગુંડાઓની હિજરત શરુ થઈ ગઈ છે. પહેલા ઉતરપ્રદેશમાં ફઈ અને ભત્રીજાએ સરકાર ચલાવી તેમા સામાન્ય નાગરીકોનો કોઈ જ ભલુ નહોતુ થયુ. આ જાતિવાદ અને પરિવારવાદના પક્ષો છે. 2014માં હું ઈન્ચાર્જ હતો, ત્યારે હુ જ્યા જાઉ ત્યાં લોકો કહેતા કે આ એસપીના ગુંડાઓ હેરાન કરે છે. હવે દરેક જિલ્લામાં માત્ર હનુમાન દાદા જ છે. યોગીજીના શાસનમાં બધા ગુંડાઓ ભાગી ગયા.

અમિત શાહે અખિલેશ યાદવ પર કર્યા આકરા પ્રહારો 
અમિત શાહે કહ્યું, ‘કોંગ્રેસના સમયમાં આતંકવાદીઓ દરરોજ ઘૂસતા હતા. તેઓ અમારા લોકો અને સૈનિકોને મારીને જતા રહ્યા હતા. પુલવામાના ઉરીમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. ભૂલી ગયા કે આ વખતે કોંગ્રેસની સરકાર નથી. મનમોહન સિંહ વડાપ્રધાન નથી. અમે 10 દિવસમાં સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં લાંચ આપીને બદલો લીધો.’ ઉત્તર પ્રદેશના લોકો તમને ઓળખે છે. તમારા 5 વર્ષમાં 700 થી વધુ રમખાણો થયા. યોગી આદિત્યનાથના સાડા ચાર વર્ષમાં કોઈએ એક પણ હુલ્લડ કરવાની હિંમત કરી નથી.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

રામમંદિરની માંગણી કરનારાના બેન્ડ વગાડવામાં આવતા
અમિત શાહે કહ્યું, ‘અમે ઉત્તર પ્રદેશમાં વિકાસના કામો કર્યા છે. પહેલા દરેક જિલ્લામાં એક બાહુબલી હતો. આજે દરેક જિલ્લામાં એક પ્રોડક્ટ છે. અગાઉ દરેક જિલ્લામાં મિની સીએમ હતા. આજે દરેક જિલ્લામાં એક ઉદ્યોગ છે. અગાઉ દરેક જિલ્લામાં કૌભાંડ થયું હતું. આજે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ છે. જે લોકો મંદિર બનાવવાની માંગણી કરતા હતા, તેમના પર લોકો લાકડીઓ ફેંકતા હતા. ગોળીઓ છોડવામાં આવી હતી. પરંતુ મોદી સરકારે વર્ષ 2019માં રામજન્મભૂમિનો શિલાન્યાસ કર્યો. હવે રામ મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ

શનૈલની સગાઈ : સ્મૃતિ ઈરાનીની દિકરી શનૈલે કરી સગાઈ, ફોટો શેર કરતા સ્મૃતિએ જમાઈને આપી ચેતવણી

આ પણ વાંચોઃ

પેટ્રોલપંપના કર્મચારીના ખાતામાં અચાનક આવી ગયા 76.20 લાખ રૂપિયા, ખરીદી લીધી મોંઘી કાર અને બાઇક, પછી જોવા જેવી થઈ

Next Article