
આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, જેમાં કોંગ્રેસને 136, ભાજપને 65 અને જેડીએસને 19 સીટો મળી છે.
આ પણ વાંચો: Karnataka Election Results 2023 : કર્ણાટક વિધાનસભાની છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામો, જે તમારે જાણવા છે જરૂરી
આ બધાની વચ્ચે અમે તમને 2018ની વિધાનસભા ચૂંટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કયો પક્ષ મેદાનમાં હતો? કયા પક્ષને કેટલી બેઠકો મળી? દરેક પક્ષને કેટલા મત મળ્યા? ચાલો જાણીએ કે વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીની શું સ્થિતિ હતી.
વર્ષ 2018માં, ભારતના ચૂંટણી પંચે 27 માર્ચના રોજ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે મુજબ 12મી મેના રોજ મતદાન થયું હતું અને 15મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 224 વિધાનસભા માટે 222 મતવિસ્તારમાં 12 મેના રોજ મતદાન થયું હતું. બીજી તરફ, જયનગર સીટના આઉટગોઇંગ ધારાસભ્યના મૃત્યુ અને રાજરાજેશ્વરી નગર સીટ પર વોટર આઈડી કૌભાંડના કારણે અહીં 28 મેના રોજ મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં કુલ 72.13% મતદાન થયું હતું. વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) મશીનોનો ઉપયોગ તમામ મતદાન મથકોમાં કરવામાં આવ્યો હતો. રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ 28 મેના રોજ પૂરો થયો હતો.
વર્ષ 2018 માં, રાજ્યના ચૂંટણી મેદાનમાં મુખ્ય હરીફાઈ સત્તાધારી કોંગ્રેસ, વિપક્ષ ભાજપ અને BSP સાથે ગઠબંધનમાં લડી રહેલા JDS વચ્ચે હતી. કર્ણાટક પ્રજ્ઞાવનાથ જનતા પાર્ટી (KPJP) પણ મેદાનમાં હતી. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની ચૂંટણીમાં જંપલાવ્યું હતું. 15મી મેના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ, બહુમતીથી આઠ બેઠકો ઓછી રહી હતી. કોંગ્રેસને સૌથી વધુ વોટ ટકાવારી મળી છે. પરંતુ, તે માત્ર 78 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જેડીએસને માત્ર 37 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે ચૂંટણી બાદ ત્રિશંકુ વિધાનસભાની રચના કરવામાં આવી હતી.
ભાજપ
મત- 1,31,85,384
મતની ટકાવારી – 36.2
કોંગ્રેસ
મત- 1,38,24,005
મતની ટકાવારી – 38.0
જેડીએસ
મત- 66,66,307
મતની ટકાવારી – 18.3
બસપા
મત- 1,08,592
મતની ટકાવારી – 0.3
સ્વતંત્ર
મત- 14,37,045
મતની ટકાવારી – 3.9
કેપીજેપી
મત – 74,229
મતની ટકાવારી – 0.2
અન્ય પક્ષો અને ઉમેદવારો
મત- 6,83,632
મતની ટકાવારી – 2.2
NOTA
મત- 3,22,841
મતની ટકાવારી – 0.9
કોંગ્રેસ – 42.9 ટકા
ભાજપ – 36 ટકા
જેડીએસ – 33.3 ટકા
અને અન્ય – 5.8 ટકા
ભાજપ 65
કોંગ્રેસ 136
જેડીએસ 19
અન્ય 4
વર્ષ 2018ની ચૂંટણીમાં, ત્રિશંકુ વિધાનસભાના જનમત પછી ભાજપને સરકાર બનાવતા અટકાવવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કર્યું હતું. કોંગ્રેસે જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને સીએમ તરીકે સ્વીકાર્યા હતા. આમ છતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. તેમણે પાર્ટીને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. આ પછી, ભાજપના બીએસ યેદિયુરપ્પાએ 17 મેના રોજ રાજ્યના સીએમ તરીકે શપથ લીધા હતા.
આ દરમિયાન કોંગ્રેસ અને જેડીએસે ભાજપ પર તેમના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના અનેક આરોપો લગાવ્યા હતા. આ અંગે કોંગ્રેસે 6 ઓડિયો જાહેર કર્યા અને ભાજપ પર તેમના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસે યેદિયુરપ્પા પર બીસી પાટીલને તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. જેડીએસના વડા એચડી કુમારસ્વામીએ ભાજપ પર બહુમતી મેળવવા માટે તેમના ધારાસભ્યોને 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો.
જો કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કોંગ્રેસ અને જેડીએસે પણ શપથ ગ્રહણ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર એકે સિકરી, એસએ બોબડે અને અશોક ભૂષણની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી કરી હતી અને બાદમાં મુખ્યમંત્રીના શપથગ્રહણ પર પ્રતિબંધ મૂક્યો ન હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:18 pm, Sat, 13 May 23