ગુજરાતની વેજલપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live આ વખતની ટર્મમાં ભાજપે અમિત ઠાકરને ટિકિટ આપી વેજલપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમિત ઠાકરનો વિજય થયો છે તેમને 60,000 જેટલા મત પ્રાપ્ત થયા છે. તેમની પાસે રૂપિયા 2,50,02,218ની જંગમ મિલકત છે. તેમને LLM સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે રાજેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 5,96,76,218ની જંગમ મિલકત છે. રાજેન્દ્ર પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમને ડી.સી.ઈ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે કલ્પેશ પટેલને (ભોલો) ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 7,99,208ની જંગમ મિલકત છે. કલ્પેશ પટેલે B.Com કર્યુ છે.
ભાજપની વિજયકુચ અમદાવાદ શહેરની વેજલપુર બેઠકમાં યથાવત રહેવા પામી છે. ભાજપના ઉમેદવાર કિશોર ચૌહાણ, 22,567 મતે જીત્યા હતા. કિશોર ચૌહાણને 1,17,748 મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મિહીર શાહને 95,181 મત મળ્યાં હતા.
કિશોર ચૌહાણ આ અગાઉ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યાં હતા. જો કે, 2012ની સરખામણીએ 2017ની ચૂંટણીમા કિશોર ચૌહાણના વિજયી મતોની સરસાઈમાં ધટાડો થયો હતો. 2012 કરતા 2017ની ચૂંટણીમાં કિશોર ચૌહાણની સરસાઈમાં 18416 મતોનો ઘટાડો થયો હતો. 2012ની ચૂંટણીમાં કિશોર ચૌહાણને 1,13,507 મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના મૂર્તુજાખાન પઠાણને 75,522 મત મળ્યાં હતા.
વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 380533 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,95,104 પુરુષ મતદારો અને 1,85,413 મહિલા મતદારો નોંધાયેલા છે. 2017માં આ બેઠક ઉપર કુલ 3,26,977 મતદારો નોંધાયેલા હતા. છેલ્લા પાંચ વર્ષમાં 53, 500થી મતદારોનો વધારો નોંધાયો છે.
વેજલપુર બેઠક ઉપર મુસ્લિમ અને ઓબીસી મતદારો સૌથી વધુ હોવાથી નિર્ણાયક ભૂમિકામાં છે. વેજલપુર બેઠકમાં 3 લાખથી વધુ મતદારો લઘુમતિ સમૂદાયના છે. જ્યારે આ વિસ્તારમાં મતદારોની સંખ્યાને આધારે તેમની ટકાવારી 32 ટકા જેટલી થાય છે. જો કે ઓબીસી મતદારો 22 ટકા ગણી શકાય. સવર્ણ મતદારો 27 ટકા જેટલા થાય છે. ઈતર મતદારોની ટકાવારી 11 ટકા જેટલી ગણાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
Published On - 2:54 am, Thu, 8 December 22