PM Modi Gujarat Visit : PM Modi એ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું આદિવાસી સમાજની કોંગ્રેસે મજાક ઉડાવી, ભાજપ સરકારે સમાજની ચિંતા કરી

|

Oct 20, 2022 | 5:44 PM

PM Modi Gujarat Visit : ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ બે દિવસમાં સતત વિપક્ષ પર સતત પ્રહાર કર્યા છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં પણ વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસી નેતાઓ(Congress)રાજકીય લાભ માટે આદિવાસી સમાજની(Tribal)મજાક ઉડાવે છે

PM Modi Gujarat Visit : PM Modi એ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું આદિવાસી સમાજની કોંગ્રેસે મજાક ઉડાવી, ભાજપ સરકારે સમાજની ચિંતા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

PM Modi Gujarat Visit : ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ બે દિવસમાં સતત વિપક્ષ પર સતત પ્રહાર કર્યા છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં પણ વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસી નેતાઓ(Congress)રાજકીય લાભ માટે આદિવાસી સમાજની(Tribal)મજાક ઉડાવે છે. PM મોદીએ કહ્યું કે, આદિવાસી દિકરીઓને પ્રગતિ કરવાની તક મળી છે. આ ડબલ એન્જિનની સરકારે છેવાડાના સમાજનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. તો વધુમાં કહ્યું કે, આપના આશીર્વાદ અમારો વિશ્વાસ છે, આપના આશીર્વાદ અમારૂ સામર્થ્ય છે. નિરંતર આપની પ્રગતિ કરતા રહીએ એ માટે આશીર્વાદ જાળવી રાખજો. ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાથી સૌથી પહેલી 24 કલાક વીજળી મારા ડાંગ જિલ્લાને મળી હતી. આદિવાસીઓના 300 ગામમાં વીજળી પહોંચાડી હતી. આઝાદી બાદ દાયકા સુધી કોંગ્રેસની સરકાર રહી  આદિવાસીઓના જીવન અને મુસીબતોને ઓછી કરવાની ક્યારેય ચિંતા કરી નથી.

આખરે ભાજપની સરકાર જ આદિવાસી સમાજની ચિંતા કરી

તો વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આદિવાસી સમાજના દિકરા બિરસા મુંડાએ આઝાદી માટે જીંદગી ખપાવી દીધી, પણ અગાઉની સરકારે તેમને યાદ રાખ્યા નહીં. બાળકોએ અમારા આવ્યા બાદ બિરસા મુંડા નામ સાંભળ્યુ હશે. આઝાદી બાદ અટલજીની સરકાર સુધી આદિવાસી માટે કોઈ મંત્રાલય નહોતુ. પણ અમે આવતાની સાથે જ નવું મંત્રાલય શરૂ કર્યું. આખરે ભાજપની સરકાર જ આદિવાસી સમાજની ચિંતા કરી.

આદિવાસી સમાજના બાળકોને ગંભીર બિમારીઓથી બહાર લાવ્યા

તો વધુમાં વડાપ્રધાને ઉમેર્યું કે, આદિવાસી સમાજના બાળકોને ગંભીર બિમારીઓથી બહાર લાવ્યા. તો ગર્ભવતી મહિલાને પૌષ્ટિક આહાર મળે તે માટે પ્રયત્નો કર્યા. તેમજ બાળકોને સંજીવની યોજના થકી દૂધ પહોંચાડવાનુ બિડુ પણ સરકારે ઝડપ્યુ. તો આયુષ્માન યોજનાથી 5 લાખ સુધીની સહાય મળવાથી ગંભીર બિમારીઓની સમયસર સારવાર શક્ય બની છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

અનેક યોજનાથી આદિવાસી યુવકોને ફાયદો થયો

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર બનતા જ અમે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ જ બદલી નાખી. આજે આદિવાસી સમાજના યુવકો આગળ વધ્યા. આદિવાસી વિસ્તારમાં પણ યુવાનો ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે, અને વિદેશમાં પણ જતા થયા છે. અમે આદિવાસી વિદ્યાર્થીઓના સ્કોલરશિપમાં પણ વધારો કર્યો.જેથી અનેક યોજનાથી આદિવાસીઓને યુવકોને ફાયદો થયો

મંગુભાઈએ આદિવાસી સમાજ માટે ઘણુ કામ કર્યું

તો ઉમેર્યું કે, અમે વીજળીની સાથે પાણીની પણ પાછળ પડ્યા. આજે આદિવાસી ભાઈઓ નાનાકડી જમીનમાં કાજુની ખેતી કરતા થયા છે. ઉકાઈ યોજનાનો લાભ લોકોને મળી રહે તે માટે અમે પ્રયત્ન કર્યા. એક સમયે 100 માંથી 25 ઘરોમાં પણ પાણી પહોંચતુ નહોતી. હવે મોટાભાગના ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચ્યુ થયુ છે. મંગુભાઈ આજે મધ્યપ્રદેશના ગવર્નર છે, અને મધ્યપ્રદેશનુ કલ્યાણ કરી રહ્યા છે. આ સાથે તેમણે આદિવાસી સમાજ માટે ઘણુ કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી એ કેવડિયાથી મિશન લાઇફનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહ્યા હતા. તો તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં કુલ 2,192 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી.

 

Published On - 5:41 pm, Thu, 20 October 22

Next Article