અટલ બિહારી વાજપેયી સહિત આ લોકોના નામ પર રાખવામાં આવશે DUની નવી કોલેજોનું નામ, સરકારે આપી મંજુરી

દિલ્હી યુનિવર્સિટીની (Delhi University) નવી કોલેજો અને કેન્દ્રોના નામ અંગે માહિતી આપવામાં આવી છે. આ કોલેજો દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

અટલ બિહારી વાજપેયી સહિત આ લોકોના નામ પર રાખવામાં આવશે DUની નવી કોલેજોનું નામ, સરકારે આપી મંજુરી
Delhi University
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2022 | 9:40 AM

દિલ્હી યુનિવર્સિટીની નવી કોલેજો અને કેન્દ્રોના નામ અંગે ચર્ચા ચાલી રહી છે. અટલ બિહારી વાજપેયી, અરુણ જેટલી, અમર્ત્ય સેન અને સાવિત્રી બાઈ ફુલેના નામ એવા લોકોમાં સામેલ છે જેમના નામ પર આ કોલેજો અને કેન્દ્રોનું નામ રાખી શકાય. Delhi Universityની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ગયા વર્ષે એક ઠરાવ પસાર કર્યો હતો કે આગામી કોલેજો અને કેન્દ્રોનું નામ સ્વામી વિવેકાનંદ, સુષ્મા સ્વરાજ, વીડી સાવરકર અને સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર રાખવામાં આવશે.

આ નિર્ણય પર લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રાલયે અન્ય નામો પણ સૂચવ્યા હતા. અટલ બિહારી વાજપેયી, સાવિત્રીબાઈ ફૂલે, અરુણ જેટલી, ચૌધરી બ્રહ્મ પ્રકાશ, સી.ડી. દેશમુખ અને પ્રોફેસર અમર્ત્ય સેનનાં નામ સૂચવ્યાં. કાઉન્સિલે કહ્યું કે, ડીયુના વાઇસ ચાન્સેલર આ નામોને અંતિમ રૂપ આપશે.

કોંગ્રેસ સાંસદે ઉઠાવ્યો હતો આ પ્રશ્ન

કેરળના કોંગ્રેસના સાંસદ કોડીકુન્નીલ સુરેશે આ નિર્ણય પર લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પ્રશ્નમાં, તેમણે પૂછ્યું હતું કે, શું સરકાર ‘લેગસી વ્યક્તિઓના નામ પર કૉલેજનું નામ રાખવાની નીતિ’ પર ફરીથી વિચાર કરવાનો પ્રસ્તાવ મૂકે છે કે નહીં? તેમણે પૂછ્યું કે, શું સરકારે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલા નિર્ણયોને ટાળવા માટે કોઈ વ્યવસ્થા કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આના પર મંત્રાલયે, સુરેશ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, DU તેના વૈધાનિક સંસ્થાઓની મંજૂરી સાથે તમામ શૈક્ષણિક અને વહીવટી નિર્ણયો લેવા માટે સક્ષમ છે.

ક્યાં બનશે નવી કોલેજો

દિલ્હી યુનિવર્સિટી નવી કોલેજો શરૂ કરવાની દિશામાં પ્રથમ પગલાં તરીકે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)ના દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે બે સુવિધા કેન્દ્રો સ્થાપવા પર કામ કરી રહી છે. નજફગઢ અને ફતેહપુર બેરી ખાતે ડીયુને ફાળવેલી જમીનના પ્લોટ પર બે કેન્દ્રો સ્થાપવાની દરખાસ્ત છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">