દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે! શું આ છે નવી શિક્ષણ વ્યવસ્થા?

દેશમાં પેપરલીક, ભરતી અને શિક્ષણ સુધારાની ચર્ચા વચ્ચે એક એવો મુદ્દો સામે આવ્યો છે, જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. સંસદમાં શિક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં 1,00,843 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકના સહારે આખી શાળા ચાલી રહી છે. બીજી તરફ અનેક રાજ્યોમાં લાખો શિક્ષકોની જગ્યાઓ હજુ પણ ખાલી છે. એટલું જ નહીં, હજારો શાળાઓ એવી પણ છે જ્યાં શિક્ષક તો છે, પરંતુ એકપણ વિદ્યાર્થી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા આ હકીકત સામે ટકી શકશે?

 દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે! શું આ છે નવી શિક્ષણ વ્યવસ્થા?
| Updated on: Aug 03, 2026 | 10:00 PM

દેશભરમાં પેપરલીક ના વિવાદ વચ્ચે જ્યારે અન્ય વિવાદો પર ચર્ચા ચાલી રહી હતી એ સમયે સંસદમાં એક સવાલના જવાબમાં દેશના શિક્ષણ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી કે સમગ્ર દેશની 1,00,843 શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે. ત્યારે દેશના વિદ્યાર્થીઓનું ભાવિ કેટલી હદે અંધકારમય છે તેનો અંદાજો લગાવી શકાય છે.

દેશની શિક્ષણ વ્યવસ્થા અને દેશભરની શાળાઓ અંગે સંસદમાં એવી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી પરંતુ સંસદમાં ચાલી રહેલા સતત હંગામા વચ્ચે આ અત્યંત જરૂરી વાતો દબાઈને રહી ગઈ. તેને એટલુ મહત્વ ન અપાયુ. દેશની શિક્ષણ વ્યવસ્થા માટે આ અતિ ગંભીર મુદ્દો છે. કારણ કે આ મુદ્દો દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. એકતરફ આપણે દેશની GenZ દ્વારા પેપરલીક મુદ્દે જંતરમંતર પર ઉગ્ર આંદોલન કરવામાં આવ્યુ અને સરકારને ઝુકવુ પડ્યુ અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવુ પડ્યુ. એ તમામ ઘટનાક્રમ વચ્ચે આ મુદ્દો ક્યાંક ખોવાઈ ગયો.

દેશની સંસદમાં શિક્ષણ મંત્રાલયે જણાવ્યુ કે દેશની 1,00,843 શાળામાં માત્ર એક જ શિક્ષક છે. આ એક લાખ સ્કૂલોમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો સામેલ છે. સંસદમાં આ જાણકારી શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરી એ શિક્ષકોની ખાલી પડેલી જગ્યા સંબંધિત એક સવાલના જવાબમાં રજૂ કર્યા હતા.

જેમા સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આંધ્ર પ્રદેશ આ યાદીમાં સૌથી ઉપર છે. જ્યાં 16,357 શાળા માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે. દેશમાં આંધ્રપ્રદેશ આ યાદીમાં સૌથી ટોપ પર છે. ત્યારબાદ ઝારખંડ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. ઝારખંડમાં 9, 827 સ્કૂલ માત્ર એક શિક્ષકના સહારે ચાલે છે જ્યારે મહારાષ્ટ્રમાં 9,269 સ્કૂલ એક શિક્ષકના સહારે પર ચાલી રહી છે.  ત્યારબાદ કર્ણાટકનો નંબર આવે છે જ્યાં 8,042, ઉત્તરપ્રદેશમાં 7,874, રાજસ્થાનમાં 7,200, પશ્ચિમ બંગાળમાં 6,769 એવી સ્કૂલો છે જે માત્ર એક ટીચરના સહારે ચાલી રહી છે.

આ સાત રાજ્યોમાં મળીને સમગ્ર દેશની કૂલ સિંગલ ટીચરવાળી સ્કૂલનો લગભગ 65 ટકા હિસ્સો છે.

અન્ય રાજ્યોની શું સ્થિતિ છે ?

એવુ નથી કે આ સ્થિતિ માત્ર પછાત કે અંતરિયાળ રાજ્યો પૂરતી સીમિત છે પરંતુ દેશના લગભગ કહેવાતા વિકસીત અને મોટા રાજ્યોની પણ આ જ સ્થિતિ છે.

  • તેલંગાણામાં 4,793 સ્કૂલો એવી છે જ્યા માત્ર એક જ ટીચર છે.
  • તમિલનાડુમાં 3,957 શાળા માત્ર એક ટીચરના સહારે ચાલે છે.
  • અસમમાં 3,159 સ્કૂલ માં માત્ર એક ટીચર છે.
  • હિમાચલ પ્રદેશમાં 3,128 સ્કૂલમાં એક જ શિક્ષક છે.
  • ઉત્તરાખંડમાં 2,655 સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક છે.
  • છત્તીસગઢ ની 2461 સ્કૂલમાં પણ માત્ર એક જ શિક્ષક છે.

જોકે સંસદમાં પૂછાયેલા સવાલમાં સરકારી સ્કૂલોના શિક્ષક ના આંકડાની જાણકારી માગવામાં આવી હતી પરંતુ એક જ શિક્ષકવાળી શાળાઓ વિશે આપવામાં આવેલી જાણકારીમાં તમામ પ્રકારના મેનેજમેન્ટવાળી શાળાઓ સામેલ છે. જેમા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી, પરફોર્મિંગ આર્ટ્સ, મ્યુઝિક સહિતની શાળાઓ સામેલ છે.

આ તો વાત થઈ એવા રાજ્યોની જ્યાં સૌથી વધુ શાળાઓ સિંગલ ટિચરના સહારે ચાલી રહી છે. હવે એ રાજ્યોની સ્થિત પણ જોઈ લઈએ જ્યાં એકંદરે થોડી સારી સ્થિતિ છે અને સૌથી ઓછી એવી સ્કૂલો છે જે સિંગલ ટિચરના સહારે ચાલી રહી છે. જેમા

  • કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીની સ્થિતિ સૌથી વધુ સારી છે. જ્યાં માત્ર 7 શાળાઓ સિંગલ ટિચરના સહારે ચાલી રહી છે.
  • લદ્દાખની અંદર માત્ર 28 શાળા માત્ર એક માસ્ટરજીના સહારે ચાલી રહી છે.
  • સિક્કિમની અંદર 31 શાળા સિંગલ ટિચર વાળી છે.
  • નાગાલેન્ડમાં 35 શાળાની અંદર માત્ર એક જ શિક્ષક છે
  • કેરલની અંદર 67 સ્કૂલો એવી છે જે સિંગલ ટિચરના સહારે ચાલી રહી છે.

દેશની રાજધાની દિલ્હીમાં પણ 7 સ્કૂલો એવી છે જ્યાં એક જ શિક્ષક છે તો સૌથી મોટો સવાલ એ છે કે શું દેશની શાળાઓમાં શિક્ષકોની સૌથી મોટી ઘટ નથી?
તો સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ કે જેટલા શિક્ષકો રિટાયર થઈ રહ્યા છે. તેનાથી 50 થી 60 હજાર શિક્ષકોની ભર્તી કરાઈ રહી છે. તો સવાલ એ છે કે શું એટલી મોટી શિક્ષકોની કમી છે કે એ ઘટાડાને સરકાર પહોંચી નથી શક્તી.

આના માટે રેશિયો સમજવાની જરૂર છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સરેરાશ રેશિયો શું હોય છે. તો પ્રાઈમરી થી લઈને અપર પ્રાઈમરી અને સેકન્ડરી થી લઈને હાયર સેકન્ડરીમાં શું રેશિયો રાખવામાં આવ્યો છે?

  • પ્રાઈમરી શાળામાં 19 બાળકોએ 1 ટીચર હોવા જોઈએ તે સરેરાશ રેશિયો છે.
  • અપર પ્રાઈમરી (ધોરણ 8,9) સ્કૂલમાં 17 બાળકો પર 1 શિક્ષક હોવા જોઈએ.
  • સેકન્ડરીમાં (ધો. 10) 15 બાળકો પર એક શિક્ષક હોવા જોઈએ.
  • હાયર સેકન્ડરીમાં (ધો. 11,12 ) 23 બાળકો પર એક શિક્ષક હોવા જોઈએ.

શિક્ષક તો છે પરંતુ વિદ્યાર્થી ન હોય તેવી કેટલી શાળાઓ?

નીતિ આયોગે સંસદમાં આપેલા આંકડા ખરેખર ચોંકાવનારા છે. તેના પર ના તો સંસદ ચિંતા કે ચર્ચા કરે છે ના તો વિધાનસભા. નીતિ આયોગની રિપોર્ટ જણાવે છે કે દેશભરમાં 7,993 સ્કૂલ એવી છે જ્યાં શિક્ષક તો છે પરંતુ એકપણ વિદ્યાર્થી નથી. જેમા પશ્ચિમ બંગાળમાં 3812 સ્કૂલમાં એકપણ વિદ્યાર્થી નથી. તેલંગાણામાં 2245 સ્કૂલમાં એકપણ બાળક નથી.

રાજ્યો અને ખાલી શિક્ષક ની પોસ્ટ

દેશના મોટા રાજ્યોની વાત કરીએ તો

  • બિહાર: 2,77,070
  • ઝારખંડ: 99,565
  • પશ્ચિમ બંગાળ: 77,788
  • ઉત્તર પ્રદેશ: 77,400
  • મધ્ય પ્રદેશ: 52,019
  • કર્ણાટક: 38,163

શિક્ષકોની પોસ્ટ ખાલી છે. આ રાજ્યોના આંકડા દર્શાવે છે કે જેટલા શિક્ષકો હોવા જોઈએ એટલા છે જ નહીં. શિક્ષકોને સર્વે, ચૂંટણીની કામગીરી, નેતાઓના સ્વાગત સત્કાર જેવા નોનટીચિંગ કામોમાં લગાવી દેવાથી શિક્ષણના નક્કી કરેલા દિવસોમાંથી લગભગ 14% સમય ભણાવવા કરતા અન્ય પ્રવૃતિમાં જ ખર્ચાઈ જાય છે.

“તમામ સુખ સુવિધા માત્ર ગુજરાતને નહીં બિહારને પણ મળવી જોઈએ, બિહારના બાળકો માત્ર મજદૂરી કરવા તો પેદા નથી થતા”- જીત બાદ પીકેનો હુંકાર

Published On - 9:59 pm, Mon, 3 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.