દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજા, વેકેશનમાં લોકો હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ ગોઠવતા હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી પ્લાનિંગ કરીને બુકિંગ કરે છે. પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે સિમલા-મનાલી, ગોવા, કેરળ જવાનું પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. દુબઈ ખુલ્યું હોવા છતાં લોકો કોરોના કાળમાં વિદેશ જતા ડરી હ્યાં છે. ગુજરાત બહાર જવાને બદલે સાસણ, જૂનાગઢ […]
Follow us on
દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજા, વેકેશનમાં લોકો હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ ગોઠવતા હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી પ્લાનિંગ કરીને બુકિંગ કરે છે. પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે સિમલા-મનાલી, ગોવા, કેરળ જવાનું પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. દુબઈ ખુલ્યું હોવા છતાં લોકો કોરોના કાળમાં વિદેશ જતા ડરી હ્યાં છે. ગુજરાત બહાર જવાને બદલે સાસણ, જૂનાગઢ રોપ-વે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે પ્રવાસીઓ બુકિંગ કરાવી રહ્યાં છે. ગુજરાતી પરિવારોને ટ્રેન અને બસમાં કોરોના સંક્રમણનો ડર સતાવે છે. એટલે જ ખાનગી કારમાં નજીકના સ્થળોએ જવાના પ્રવાસ ગોઠવાયા છે. ટૂર ઓપરેટરોને દિવાળી સુધરવાની આશા હતી. પરંતુ પર્યટકોના આયોજન બદલાતા અમદાવાદ, રાજકોટના ટૂર ઓપરેટરને 500 કરોડનું નુકસાન વેઠવું પડશે.