Success Story : અળસિયાનું ખાતર તૈયાર કરી આ પ્રગતિશીલ ખેડૂત દર મહીને કરે છે દોઢ લાખની કમાણી

|

Feb 17, 2022 | 2:48 PM

Organic Farming Profit: ઓર્ગેનિક ખેતી માટે અળસિયાનું ખાતર બનાવવા ઉપરાંત, દેશી જંતુનાશક પણ અહીં તૈયાર કરવામાં આવે છે, જે પાકના રોગો અને ફુલ ખરવા જેવી સમસ્યાઓ સાથે ઘટાડી અને પાકની ઉપજમાં વધારો કરે છે.

Success Story : અળસિયાનું ખાતર તૈયાર કરી આ પ્રગતિશીલ ખેડૂત દર મહીને કરે છે દોઢ લાખની કમાણી
Progressive farmer (PC: Aajtak)

Follow us on

દેશ અને રાજ્યોની સરકાર ઓર્ગેનિક ખેતી (Organic Farming)ને પ્રોત્સાહન આપી રહી છે. સરકારના આ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે હવે જાગૃત ખેડૂત (Farmer)આગળ આવીને ખેતીની ફળદ્રુપ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી, હરિયાણાના રેવાડીના નાંગલ મુંડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત જૈવિક ખેતી માટે અળસિયાનું ખાતર તૈયાર કરી રહ્યા છે અને તેને દેશના ઘણા રાજ્યોમાં મોકલી રહ્યા છે.

હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં અળસિયાના ખાતરની સપ્લાય કરવામાં આવી રહી છે તેની સાથે સાથે અળસિયા ખાતર બનાવવાની તાલીમ લેવા માટે દૂર-દૂરથી ખેડૂતો પણ અહીં પહોંચી રહ્યા છે. ખેડૂત કુલજીત યાદવ દર મહિને એકથી દોઢ લાખ રૂપિયા કમાય છે.

ખેડૂત કુલજીત યાદવ કહે છે કે યુરિયાના ઉપયોગને કારણે જમીનની ઉપજ ઘટવાની સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ દિવસેને દિવસે બગડી રહ્યું છે, જેને હવે ઓર્ગેનિક ખેતી દ્વારા સુધારી શકાય છે. દેશના અન્ય ખેડૂતોને આ માહિતી આપવાથી મનને રાહત મળે છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

ઓર્ગેનિક ખેતી માટે અળસિયાનું ખાતર બનાવવા ઉપરાંત, દેશી જંતુનાશક પણ અહીં તૈયાર કરવામાં આવે છે, જે પાકના રોગો અને ફુલ ખરવા જેવી સમસ્યાઓ સાથે ઘટાડી અને પાકની ઉપજમાં વધારો કરે છે. આ દેશી જંતુનાશક બનાવવા માટે, આકડો, લીમડો, ધતૂરો, કુંવારપાઠા, તમાકુ, લાલ કે લીલા મરચાં, એરંડાના પાન સહિત 35 પ્રકારની વનસ્પતિઓનું મિશ્રણ કરીને પ્રવાહી સ્પ્રે તૈયાર કરવામાં આવે છે.

આ દેશી પદ્ધતિથી બનાવેલ જંતુનાશક દવાનો પાક પર છંટકાવ કરવાથી છોડના તમામ પ્રકારના રોગોથી છુટકારો મળે છે અને ફૂલ ખરવા જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. પ્રવાહીની એક બોટલ 30 લિટર પાણીમાં ભેળવીને એક એકર પાકમાં છાંટવામાં આવે તો તે ઉત્પાદન વધારવાની સાથે ફૂલો ખરતાં અટકાવવામાં પણ ખુબ જ અસરકારક છે.

આ પણ વાંચો: Foodgrains Production in India: દેશમાં રેકોર્ડ 316.06 મિલિયન ટન અનાજ ઉત્પાદન, કેન્દ્ર સરકારે મુખ્ય પાકોનો જાહેર કર્યો અહેવાલ

આ પણ વાંચો: Ranji Trophy 2022: રણજી ટ્રોફી 2 વર્ષ બાદ 9 સ્થળો પર મેચ સાથે આજથી ફરી શરુ, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પર રહેશે સૌની નજર

Next Article