સમયસર લોન ચૂકવવા પર ખેડૂતોને થશે ફાયદો, આ રાજ્યની સરકાર આપશે વ્યાજમાં 50% ની સહાય

|

Sep 27, 2021 | 5:12 PM

ઘણી વખત ખેડૂતો કૃષિ કામ માટે લોન લેવા માંગે છે પરંતુ ઉંચા વ્યાજ દરને કારણે તેઓ તે લઈ શકતા નથી. તેમની સમસ્યાને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

સમયસર લોન ચૂકવવા પર ખેડૂતોને થશે ફાયદો, આ રાજ્યની સરકાર આપશે વ્યાજમાં 50% ની સહાય
Agriculture Loan

Follow us on

રાજસ્થાન સરકાર એવા ખેડૂતો (Farmers) માટે ભેટ લઈને આવી છે જેમણે વિકાસ બેંકોમાંથી લોન (Bank Loan) લીધી છે. લાંબા ગાળાની કૃષિ લોન લેનારા ખેડૂતો માટે પાંચ ટકા વ્યાજ (Interest Rate) સબસિડીની યોજના અમલમાં મુકવામાં આવી છે.

હવે જે ખેડૂતો લોનની રકમ સમયસર ચૂકવે છે તેમને પાંચ ટકાના દરે લોન મળશે. સહકારી મંત્રી ઉદયલાલ અંજનાએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ યોજના 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે.

યોજના 1, એપ્રિલ 2021 થી અમલી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સહકાર મંત્રી ઉદયલાલ આંજણાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વ્યાજનો આ દર સૌથી ઓછો છે. ઘણી વખત ખેડૂતો કૃષિ કામ માટે લોન લેવા માંગે છે પરંતુ ઉંચા વ્યાજ દરને કારણે તેઓ તે લઈ શકતા નથી. તેમની સમસ્યાને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ આ યોજના 1 એપ્રિલ 2021 થી લાગુ કરવામાં આવી છે.

1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2022 ની વચ્ચે લોન લેનાર તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાંબા ગાળાની કૃષિ લોન 10 ટકાના વ્યાજ દરે ઉપલબ્ધ હોવા છતાં, સમયસર લોન ચૂકવનારા ખેડૂતોને 5 ટકાની સહાય આપવામાં આવી છે અને આગળ પણ આપવામાં આવશે.

રાજ્ય સરકાર અલગથી કૃષિ બજેટ રજૂ કરશે

કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે રાજસ્થાન સરકાર સતત પગલાં લઈ રહી છે. બુધવારે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, આગામી વર્ષથી રાજ્ય સરકાર અલગ કૃષિ બજેટ રજૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને સસ્તા દરે વીજળી પૂરી પાડે છે અને ખેડૂતોને કૃષિ કાર્ય માટે માત્ર 90 પૈસા પ્રતિ યુનિટના દરે વીજળી આપવામાં આવી રહી છે.

રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વ્યાજ સહાયની યોજના જો ગુજરાતમાંં પણ લાગુ કરવામાં આવે છે તો ગુજરાતના અનેક ખેડૂતોને તેનો લાભ મળશે. દર વર્ષે ઉદ્દભવતી દુષ્કાળ અને અતિવૃષ્ટી જેવી પરિસ્થિતિઓથી થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે આ પ્રકારની લોનથી ખેડૂતોને રાહત મળી શકે છે.

 

આ પણ વાંચો : Success Story : માઈક્રોસોફ્ટની 80 લાખ રૂપિયાની નોકરી છોડી ખેતી શરૂ કરી, ફૂલોની ખેતીથી કરે છે અઢળક કમાણી

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે

Published On - 5:10 pm, Mon, 27 September 21

Next Article