Success Story: શાકભાજીમાંથી શોધી અથાણું બનાવાની રીત, કરોડોના ટર્નઓવર સાથે હજારો મહિલાઓને આપી રોજગારી

હાલમાં કૃષ્ણા યાદવ ચાર કંપનીઓના માલિક છે અને આ કંપનીઓનું ટર્નઓવર કરોડોનું છે. કૃષ્ણાએ જણાવ્યું કે આજે તેમની કંપનીમાં હજારો મહિલાઓ કામ કરી રહી છે.

Success Story: શાકભાજીમાંથી શોધી અથાણું બનાવાની રીત, કરોડોના ટર્નઓવર સાથે હજારો મહિલાઓને આપી રોજગારી
The turnover of Krishna Yadav's companies is in crores. (Photo- DD Kisan Video Grab)
| Edited By: | Updated on: Dec 20, 2021 | 9:09 AM

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બુલંદશહેર જિલ્લાના રહેવાસી ગોવર્ધન યાદવ અને તેની પત્ની રોજગારની શોધમાં દિલ્હી આવ્યા હતા. કોઈ ખાસ કામ ન મળવાને કારણે, દિલ્હીના નજબગઢ વિસ્તારમાં, તેણે શેરિંગ પર થોડી જમીન લઈને શાકભાજી ઉગાડવાનું કામ શરૂ કર્યું. કૃષ્ણા યાદવ (Krishna Yadav)ને ખેતરોમાં ઉગાડવામાં આવતી શાકભાજી (Vegetables)ને સાચવવાની કોઈ ટેકનિકની જાણકારી ન હતી, જેના કારણે બાકીની શાકભાજી બગડી જતી હતી. જેના કારણે તેના માટે શાકભાજી વેચીને પોતાનું પેટ ભરવું મુશ્કેલ બની ગયું હતું.

આ દરમિયાન એક મિત્રના માધ્યમથી તેમને અથાણું બનાવવાની તાલીમ આપતા હોવાની ખબર પડી. તેમણે ટ્રેનિંગ સેન્ટરમાં અથાણું (Pickles) બનાવવાનું કૌશલ્ય શીખ્યું અને શાકભાજીની સાથે અથાણું વેચવાનું શરૂ કર્યું.

અથાણાંમાં શાકભાજી કરતાં અનેક ગણો ફાયદો

પહેલા તો લોકોએ કૃષ્ણા યાદવના અથાણાના કોઈ ખાસ વખાણ નહોતા કર્યા. પરંતુ જ્યારે મહેનત અને લગનથી તેનો બિઝનેસ ચાલુ થયો તો લોકો તેના વખાણ કરવા લાગ્યા. કૃષ્ણા યાદવ પહેલા માત્ર કેરી, લીંબુ અને આમળાનું અથાણું કેવી રીતે બનાવવું તે જાણતા હતા. પરંતુ તાલીમ લીધા બાદ તેઓ તમામ પ્રકારના અથાણાં બનાવતા શીખી ગયા. તેમાં શાકભાજીમાંથી અથાણું બનાવવાનો પણ સમાવેશ થતો હતો.

શાકભાજીમાંથી અથાણું બનાવવાનો ફાયદો એ હતો કે ખેતરમાં ઉગાડવામાં આવતી શાકભાજી યોગ્ય ભાવે વેચાતી ન હોય તો તેને સૂકવીને અથાણું બનાવવાનું શરૂ કર્યું. આ રીતે જ્યારે તેમણે જોયું કે શાકભાજી કરતાં અથાણાં બનાવવામાં અનેક ગણો ફાયદો છે તો તેઓએ શાકભાજી વેચવાનું બંધ કરી દીધું અને માત્ર અથાણું બનાવવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

કૃષ્ણા યાદવ ઘર જેવું અથાણું બનાવે છે

ધંધો થોડો આગળ વધ્યો ત્યારે કૃષ્ણા યાદવે પાડોશી મહિલાઓને સાથે લઈને મોટાપાયે અથાણું બનાવવાનું શરૂ કર્યું. પછી આ રીતે તેમનું કામ ફેક્ટરીમાં ફેરવાઈ ગયું. કૃષ્ણા યાદવે અથાણું બનાવવાની તેમની દાદીની રેસીપી અજમાવી, જે તેમણે બાળપણથી તેમની માતા દ્વારા અથાણું બનાવતા જોઈ હતી.

તેમણે પોતાના ખેતરોમાં ઉગાડેલા પાક, ગાજર, ટામેટા, કોબી અને આમળાનું અથાણું ખૂબ જ સરળ રીતે બનાવ્યું, જેમાં કોઈ હાનિકારક ઘટકો ઉમેરવામાં આવ્યા ન હતા. લોકો ઘરે બનાવેલા અથાણાંમાં જેટલું તેલ નાખે છે તેટલું જ તેલ નાખતા. પછી સાદગીથી બનાવેલા અથાણાંનું વેચાણ વધ્યું. સફળતા મળ્યા બાદ તેમનું કાર્ય પણ વિસ્તરવા લાગ્યું.

કરોડોમાં છે ટર્નઓવર અને મહિલાઓને મળી રોજગારી

તેમણે વધુ ખેતરો ભાડા પેટે લીધા અને પોતાની જેમ મહિલાઓ સાથે જોડાવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ખેતરોની તાજી લણણીમાંથી અથાણાંની નવી જાતો વિકસાવી. બાદમાં તેને નજીકના બજારોમાં વેચવાનું કામ શરૂ કર્યું જે ખૂબ જ સફળ રહ્યું.

હાલમાં કૃષ્ણા યાદવ ચાર કંપનીઓના માલિક છે અને આ કંપનીઓનું ટર્નઓવર કરોડોનું છે. કૃષ્ણાએ જણાવ્યું કે આજે તેમની કંપનીમાં હજારો મહિલાઓ કામ કરી રહી છે. કૃષ્ણા યાદવની અથાક મહેનત જોઈને સરકારે પણ તેમના કામની પ્રશંસા કરી. આ સાથે તેમને ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: Technology: રોડ સેફ્ટી ફિચર્સ સાથે માર્ગ પરિવહન મંત્રાલયે લોન્ચ કરી નવી નેવિગેશન એપ

આ પણ વાંચો: Viral: ઘોડાને લઈ જતા આ બાળકે જીત્યું બધાનું દિલ, જુઓ આ વાયરલ વીડિયો