Sagwan Farming: આ ઝાડની કરો ખેતી, 10 વર્ષ બાદ કરાવશે કરોડોની કમાણી, જાણો સમગ્ર માહિતી

ભારતભરમાં સાગના લાકડાનું બજાર વિશાળ છે. બજારમાં સાગના લાકડાની માંગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો હોય છે. તમે સાગની ખેતી કરીને સારો નફો મેળવી શકો છો.

Sagwan Farming: આ ઝાડની કરો ખેતી, 10 વર્ષ બાદ કરાવશે કરોડોની કમાણી, જાણો સમગ્ર માહિતી
Sagwan Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 11:15 AM

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ તેમ છતાં ખેડૂતો (Farmers)ને તકલીફનો સામનો કરવો પડે છે. મોટાભાગના ખેડૂતોની વાર્ષિક આવક ઘણી ઓછી છે, જેના કારણે તેમના પર દેવું વધતું જાય છે. વર્ષોથી સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવે છે.

જો કે, ખેડૂતો ઘણી વસ્તુઓની ખેતી કરીને સારી કમાણી કરે છે. તે પૈકી એક સાગના ઝાડની ખેતી છે. સાગનું લાકડું બજારમાં ખૂબ મોંઘું વેચાય છે અને જો ખેડૂતો આ વૃક્ષને પોતાના ખેતરમાં વાવે તો થોડા વર્ષોમાં કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે.

વર્ષમાં સાગનું વાવેતર ક્યારે કરવું?

તમે ભારતમાં ગમે ત્યાં સાગની ખેતી કરી શકો છો. તેને રોપવા માટે શ્રેષ્ઠ મહિનો સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે. જો કે તે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉગાડી શકાય છે. નિષ્ણાતોના મતે સાગના છોડ વાવવા માટે 6.50થી 7.50 વચ્ચેની જમીનની pH મૂલ્ય વધુ સારી માનવામાં આવે છે. જો તમે આ જમીનમાં સાગની ખેતી કરશો તો તમારા વૃક્ષો વધુ સારા અને વહેલા ઉગશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેટલા વર્ષોમાં વૃક્ષ તૈયાર થાય છે?

એક વખત સાગનું વૃક્ષ વાવ્યા પછી તમારે ઓછામાં ઓછા 10-12 વર્ષ રાહ જોવી પડે છે. આ સ્થિતિમાં તમે ખેતરની બાજુની પટ્ટી પર સાગના વૃક્ષો વાવી શકો છો અને તમે વચ્ચે અન્ય મહત્વપૂર્ણ પાકની ખેતી કરી શકો છો. સાગના પાનમાં કડવાશ હોવાથી પ્રાણીઓ પણ તેને ખાવાનું પસંદ કરતા નથી.

સાગના લાકડાનો ઉપયોગ શું છે

સાગના લાકડાનું બજાર વિશાળ છે. બજારમાં સાગના લાકડાની માંગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો છે. આવી સ્થિતિમાં તમે સાગની ખેતી કરીને સારો નફો મેળવી શકો છો. સાગનું એક વૃક્ષ હજારો રૂપિયામાં વેચાય છે. સાથે જ સાગના ઝાડના લાકડાના ઉપયોગની વાત કરીએ તો તે ખૂબ જ મજબૂત હોય છે અને તેમાંથી બનાવેલું ફર્નિચર વર્ષો સુધી ટકી રહે છે. ઘરની બારીઓ, વહાણ, બોટ, દરવાજા વગેરેમાં સાગના લાકડાનો ઉપયોગ થાય છે અને તે વર્ષો સુધી ચાલે છે.

સાગનું વાવેતર કર્યા પછી શું કરવું?

જેમ દરેક પાક માટે દેખભાળ જરૂરી હોય છે, તેવી જ રીતે સાગની ખેતી માટે પણ જરૂરી છે કે તમે શરૂઆતના થોડા વર્ષો તેની કાળજી લેતા રહો. વાવ્યા બાદ પ્રથમ ત્રણથી ચાર વર્ષ સુધી સાગના ઝાડની સારી રીતે કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે શરૂઆતના સમયમાં તેનું ધ્યાન રાખશો તો આવનારા સમયમાં તમને જે નફો મળશે તે ખૂબ જ વધી જશે.

તમારે સમયાંતરે તમારા ખેતરને ખેડવાની જરૂર પડશે. પ્રથમ વર્ષમાં લગભગ ત્રણ વખત અને બીજા વર્ષે બે વાર, ખેતરમાં યોગ્ય રીતે ખેતર ખેડો અને નિયમિત અંતરે પાણી અને ખાતર વગેરે આપતા રહો. જો કે એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે જરૂર કરતાં વધુ પાણી આપો છો તો તમારા ઝાડમાં ફૂગનું જોખમ રહે છે.

ખેતીમાંથી બમ્પર કમાણી થશે, કરોડો રૂપિયાનો નફો થશે

દરેક ખેડૂત ઈચ્છે છે કે તે જે ખેતી કરે છે તેનાથી તેને સારી એવી રકમ મળે. સાગના વૃક્ષો વાવવા માટે ઘણી મહેનત અને ઘણા વર્ષોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં લોકો પણ સારો નફો ઈચ્છે છે. જો કોઈ ખેડૂત એક એકરમાં સાગના 500 વૃક્ષો વાવે તો 10-12 વર્ષ પછી તે તેને લગભગ એક કરોડ રૂપિયામાં વેચી શકે છે.

આ રીતે તમે તમારા ખેતરોમાં સાગના વૃક્ષો વાવીને બમ્પર કમાણી કરી શકો છો. એક ઝાડની કિંમતની વાત કરીએ તો તે બજારમાં સરળતાથી 30-40 હજાર રૂપિયામાં વેચાય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વૃક્ષની કિંમત પણ વધતી જાય છે. અનેક એકરમાં વૃક્ષો વાવીને તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો.

આ પણ વાંચો : Arvind Kejriwal Corona Positive: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

આ પણ વાંચો : Maharashtra Corona Alert: NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત કોરોનાની ઝપેટમાં, આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ પણ થયો સંક્રમિત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">