Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sagwan Farming: આ ઝાડની કરો ખેતી, 10 વર્ષ બાદ કરાવશે કરોડોની કમાણી, જાણો સમગ્ર માહિતી

ભારતભરમાં સાગના લાકડાનું બજાર વિશાળ છે. બજારમાં સાગના લાકડાની માંગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો હોય છે. તમે સાગની ખેતી કરીને સારો નફો મેળવી શકો છો.

Sagwan Farming: આ ઝાડની કરો ખેતી, 10 વર્ષ બાદ કરાવશે કરોડોની કમાણી, જાણો સમગ્ર માહિતી
Sagwan Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 11:15 AM

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ તેમ છતાં ખેડૂતો (Farmers)ને તકલીફનો સામનો કરવો પડે છે. મોટાભાગના ખેડૂતોની વાર્ષિક આવક ઘણી ઓછી છે, જેના કારણે તેમના પર દેવું વધતું જાય છે. વર્ષોથી સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવે છે.

જો કે, ખેડૂતો ઘણી વસ્તુઓની ખેતી કરીને સારી કમાણી કરે છે. તે પૈકી એક સાગના ઝાડની ખેતી છે. સાગનું લાકડું બજારમાં ખૂબ મોંઘું વેચાય છે અને જો ખેડૂતો આ વૃક્ષને પોતાના ખેતરમાં વાવે તો થોડા વર્ષોમાં કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે.

વર્ષમાં સાગનું વાવેતર ક્યારે કરવું?

તમે ભારતમાં ગમે ત્યાં સાગની ખેતી કરી શકો છો. તેને રોપવા માટે શ્રેષ્ઠ મહિનો સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે. જો કે તે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉગાડી શકાય છે. નિષ્ણાતોના મતે સાગના છોડ વાવવા માટે 6.50થી 7.50 વચ્ચેની જમીનની pH મૂલ્ય વધુ સારી માનવામાં આવે છે. જો તમે આ જમીનમાં સાગની ખેતી કરશો તો તમારા વૃક્ષો વધુ સારા અને વહેલા ઉગશે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

કેટલા વર્ષોમાં વૃક્ષ તૈયાર થાય છે?

એક વખત સાગનું વૃક્ષ વાવ્યા પછી તમારે ઓછામાં ઓછા 10-12 વર્ષ રાહ જોવી પડે છે. આ સ્થિતિમાં તમે ખેતરની બાજુની પટ્ટી પર સાગના વૃક્ષો વાવી શકો છો અને તમે વચ્ચે અન્ય મહત્વપૂર્ણ પાકની ખેતી કરી શકો છો. સાગના પાનમાં કડવાશ હોવાથી પ્રાણીઓ પણ તેને ખાવાનું પસંદ કરતા નથી.

સાગના લાકડાનો ઉપયોગ શું છે

સાગના લાકડાનું બજાર વિશાળ છે. બજારમાં સાગના લાકડાની માંગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો છે. આવી સ્થિતિમાં તમે સાગની ખેતી કરીને સારો નફો મેળવી શકો છો. સાગનું એક વૃક્ષ હજારો રૂપિયામાં વેચાય છે. સાથે જ સાગના ઝાડના લાકડાના ઉપયોગની વાત કરીએ તો તે ખૂબ જ મજબૂત હોય છે અને તેમાંથી બનાવેલું ફર્નિચર વર્ષો સુધી ટકી રહે છે. ઘરની બારીઓ, વહાણ, બોટ, દરવાજા વગેરેમાં સાગના લાકડાનો ઉપયોગ થાય છે અને તે વર્ષો સુધી ચાલે છે.

સાગનું વાવેતર કર્યા પછી શું કરવું?

જેમ દરેક પાક માટે દેખભાળ જરૂરી હોય છે, તેવી જ રીતે સાગની ખેતી માટે પણ જરૂરી છે કે તમે શરૂઆતના થોડા વર્ષો તેની કાળજી લેતા રહો. વાવ્યા બાદ પ્રથમ ત્રણથી ચાર વર્ષ સુધી સાગના ઝાડની સારી રીતે કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે શરૂઆતના સમયમાં તેનું ધ્યાન રાખશો તો આવનારા સમયમાં તમને જે નફો મળશે તે ખૂબ જ વધી જશે.

તમારે સમયાંતરે તમારા ખેતરને ખેડવાની જરૂર પડશે. પ્રથમ વર્ષમાં લગભગ ત્રણ વખત અને બીજા વર્ષે બે વાર, ખેતરમાં યોગ્ય રીતે ખેતર ખેડો અને નિયમિત અંતરે પાણી અને ખાતર વગેરે આપતા રહો. જો કે એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે જરૂર કરતાં વધુ પાણી આપો છો તો તમારા ઝાડમાં ફૂગનું જોખમ રહે છે.

ખેતીમાંથી બમ્પર કમાણી થશે, કરોડો રૂપિયાનો નફો થશે

દરેક ખેડૂત ઈચ્છે છે કે તે જે ખેતી કરે છે તેનાથી તેને સારી એવી રકમ મળે. સાગના વૃક્ષો વાવવા માટે ઘણી મહેનત અને ઘણા વર્ષોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં લોકો પણ સારો નફો ઈચ્છે છે. જો કોઈ ખેડૂત એક એકરમાં સાગના 500 વૃક્ષો વાવે તો 10-12 વર્ષ પછી તે તેને લગભગ એક કરોડ રૂપિયામાં વેચી શકે છે.

આ રીતે તમે તમારા ખેતરોમાં સાગના વૃક્ષો વાવીને બમ્પર કમાણી કરી શકો છો. એક ઝાડની કિંમતની વાત કરીએ તો તે બજારમાં સરળતાથી 30-40 હજાર રૂપિયામાં વેચાય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વૃક્ષની કિંમત પણ વધતી જાય છે. અનેક એકરમાં વૃક્ષો વાવીને તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો.

આ પણ વાંચો : Arvind Kejriwal Corona Positive: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

આ પણ વાંચો : Maharashtra Corona Alert: NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત કોરોનાની ઝપેટમાં, આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ પણ થયો સંક્રમિત

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">