Kharif 2022: ખેડૂતોએ કપાસ અને તલના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ

|

Jun 03, 2022 | 3:31 PM

ખેડૂતોને (Farmers) ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

Kharif 2022: ખેડૂતોએ કપાસ અને તલના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ
Cotton Crop

Follow us on

ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ (Kharif) સિઝનની શરૂઆત થશે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરશે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

કપાસનું આગોતરું આયોજન

1. સામાન્ય રીતે વાવણીલાયક વરસાદ થયેથી જુન મહિનાના બીજા અઠવાડીયાથી જુલાઈના પ્રથમ અઠવાડીયા સુધીમાં કપાસનું વાવેતર કરી શકાય.

2. તેનાથી વહેલું વાવેતર કરવાથી કપાસમાં જીંડવાની ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધે છે, તેથી કપાસનું ઉત્પાદન ઘટે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

3. કપાસની તમારા વિસ્તાર માટે પ્રચલિત જાતનું વાવેતર કરવું.

4. કપાસના બિજને વાવતા પહેલા પેકેટ દીઠ 40 ગ્રામ એઝેટોબેકટર અને 40 ગ્રામ ફોસ્ફરસ સોલ્યુલીલઈઝિંગ બેકટેરીયા (પી.એસ.બી) કલ્ચરનો પટ્ટ આપી 30 મીનીટ સુધી છાયડામાં સુકવીને વાવણી કરો.

5. હેક્ટર દીઠ રાસાયણિક ખાતર 180 – 37.50 – 112.50 કિલો એન.પી.કે. આપવું.

6. ચોમાસાની અનિયમિતતા તેમજ રોગ-જીવાતોનાં કારણે કપાસ નિષ્ફળ જવાને શક્યતા રહે તેવા સમયે આંતરપાક પદ્ધતિ અપનાવાવી.

7. ભાષ્મિક અને ખારી ભાષ્મિક જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ અને ડીએપી ખાતર આપવાથી ફાયદો થાય છે.

8. રોગ જીવાતના વધુ ઉપદ્રવને કારણે પાક નિષ્ફળ જાય તેવા સંજોગોમાં કપાસ આધારિત પાક પદ્ધતિઓ જેવી કે આંતરપાક પદ્ધતિ ખેડૂતો અપનાવવી જોઈએ.

તલનું આગોતરું આયોજન

1. મૂળખાઈ તથા સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હારજીયાનમનો બીજને પટ આપવો.

2. તલ ગુજરાત-૧, ૨, ૪(સફેદ) અથવા ગુજરાત તલ-૧૦ (કાળા)નું વાવેતર કરવું.

3. આંતરપાક પદ્ધતિમાં એક હાર તુવેર વચ્ચે બે હાર તલનું વાવેતર કરવું.

4. તલનું બીજ ઝીણું હોવાથી વાવણી વખતે તેમાં રેતી ભેળવીને વાવેતર કરવું.

5. એક હેક્ટરના વાવેતર માટે ૨.૫ થી ૩ કિ.ગ્રા. બીજ પુરતુ છે.

6. એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપીને વાવેતર કરવું.

7. તલના પાકમાં ૫૦ કિલો નાઈટ્રોજન અને ૨૫ કિલો ફોસ્ફરસ આ ઉપરાંત ૧૫ કિલો ગંધક, જીપ્સમ કે સીંગલ સુપર ફોસ્ફેટ આપવું.

8. બીજના સારા ઉગાવા માટે બીજને ૨ થી ૩ સે.મી. ઉંડાઈએ વાવણી કરવી.

9. સારા ઉગાવા માટે જમીનને પોચી અને ભરભરી બનાવો અને ઢેફા બીલકુલ હોવા જોઈએ નહિ.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Published On - 3:31 pm, Fri, 3 June 22

Next Article