ખેડૂતોને રાહત આપવા માટે આ રાજ્ય પેટ્રોલ-ડીઝલ પર આપશે સબસિડી, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય

|

Oct 18, 2021 | 5:38 PM

સરકાર કૃષિમાં વપરાતા ડીઝલ-પેટ્રોલ પર 20 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવાની યોજના પર કામ કરી રહી છે. જો આ યોજના અમલમાં આવશે તો ખેડૂતોને ઘણી રાહત મળશે.

ખેડૂતોને રાહત આપવા માટે આ રાજ્ય પેટ્રોલ-ડીઝલ પર આપશે સબસિડી, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય
Farmer - File Photo

Follow us on

તાજેતરના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel Price) ઘણો વધારો થયો છે. ભાવમાં વધારો થવાને કારણે મોંઘવારી વધી રહી છે. કૃષિ કાર્ય અને ખેડૂતો (Farmers) પણ તેનાથી બાકાત નથી.

ખેતી માટે વપરાતી મોટાભાગના મશીનો ડીઝલ પર ચાલે છે. તેના કારણે ખેતીના ઈનપુટ કોસ્ટમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. હવે કર્ણાટક સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી ખેડૂતોને રાહત આપવાની યોજના પર કામ કરી રહી છે. સરકારનું કહેવું છે કે સરકાર કૃષિ હેતુ માટે વપરાતા ડીઝલ-પેટ્રોલ પર સબસિડી આપવાનું વિચારી રહી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

ખેડૂતોને સબસિડીથી રાહત મળશે
એક અહેવાલ અનુસાર, કર્ણાટકના કૃષિ મંત્રી બી.સી. પાટીલે કહ્યું છે કે સરકાર કૃષિમાં વપરાતા ડીઝલ-પેટ્રોલ પર 20 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવાની યોજના પર કામ કરી રહી છે. જો આ યોજના અમલમાં આવશે તો ખેડૂતોને ઘણી રાહત મળશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કર્ણાટકમાં અત્યારે પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 100 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા કૃષિ મંત્રી બી.સી. પાટીલે કહ્યું કે અમે ટૂંક સમયમાં આ મુદ્દે મુખ્યમંત્રી સાથે વાત કરીશું. ખેડૂતો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો પેટ્રોલ અને ડીઝલ પર 20 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવાની યોજના મંજૂર કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળશે.

છેલ્લા એક વર્ષમાં કૃષિ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે
છેલ્લા એક વર્ષમાં ડીઝલની કિંમતોમાં વધારો થવાને કારણે કૃષિ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેતર ખેડવાથી લઈને સિંચાઈ સુધી, પહેલા કરતા દોઢ ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. લણણીના કામમાં ઉપયોગમાં લેવાતા કમ્બાઈન મશીન પણ ડીઝલ પર ચાલે છે, તેથી એકંદરે છેલ્લા એક વર્ષમાં કૃષિ ખર્ચમાં વધારો ખેડૂતો પર ભારે પડી રહ્યો છે.

કર્ણાટક સરકાર ખેડૂતોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પર સબસિડીની યોજના શરૂ કરે તો આ પ્રકારની યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને પણ ફાયદો થશે. સબસિડી મળવાથી ખેડૂતોને ઈનપુટ કોસ્ટમાં ઘટાડો થશે અને તેની આવક વધતા નફામાં વધારો થશે.

આ પણ વાંચો : ખેતર અને પશુઓની સુરક્ષા માટે ફેન્સીંગ જરૂરી છે, જાણો ફેન્સીંગના પ્રકાર અને તેના ફાયદા વિશે

આ પણ વાંચો : Walnut Cultivation: અખરોટની ખેતીથી ચમકી રહ્યું છે ખેડૂતોનું નસીબ, થાય છે અઢળક કમાણી

Next Article