
અફીણની ખેતી કરવા ઈચ્છતા ઘણા લોકોમાં તેને લઈને અનેક પ્રશ્નો હોય છે. આનું કારણ એ છે કે, અફીણનો ઉપયોગ પીડા દર્દ નાશક અને અન્ય આવશ્યક દવાઓના ઉત્પાદનમાં થાય છે, પરંતુ તેનો દુરુપયોગ નશા તરીકે પણ થાય છે. આ કારણોસર, ભારતમાં અફીણની ખેતી સખત રીતે સરકારી નિયંત્રણ હેઠળ છે. પરવાનગી વિના અફીણ ઉગાડવું એ કાનૂની ગુનો છે અને તેના પર કડક દંડ લાદવામાં આવે છે.
ભારતમાં અફીણની ખેતી સરકાર દ્વારા નિર્ધારિત નીતિ અને નિયમો હેઠળ કરવામાં આવે છે. તેના બીજ ખુલ્લા બજારમાં ઉપલબ્ધ નથી હોતા, ના તો કોઈ ખેડૂત પોતાની જાતે અફીણની ખેતી કરી શકે છે. અફીણની ખેતીથી લઈને ઉત્પાદન સુધી, સરકાર દરેક સ્તરે નજર રાખે છે. તેથી, જો તમે સમજવા માંગતા હોવ કે, અફીણની ખેતી કેવી રીતે થાય છે અને તેનુ લાઇસન્સ ક્યાંથી મેળવવું, તો સમગ્ર પ્રક્રિયાને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય હેઠળ અફીણની ખેતીના લાઇસન્સ ફાળવવામાં આવે છે. આ લાઇસન્સ દેશભરમાં આપવામાં આવતું નથી. અફીણની ખેતી ફક્ત પસંદગીના રાજ્યો અને તેમાય ગણ્યા ગાંઠ્યા જિલ્લાઓમાં જ માન્ય છે. વધુમાં, સરકાર ખેડૂત કેટલી જમીનમાં ખેતી કરી શકે છે તે પણ નક્કી કરે છે. દરેક ખેડૂતને મર્યાદિત વિસ્તારમાં જ અફીણના પાકની ખેતી કરવાની મંજૂરી આપવામાં આવે છે.
અફીણની ખેતીના લાઇસન્સ માટેની બધી આવશ્યકતાઓ, નિયમો અને અરજીને લગતી તમામ માહિતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ક્રાઇમ બ્રાન્ચની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અફીણની ખેતી માટેની અરજી પ્રક્રિયા, પાત્રતા અને જરૂરી દસ્તાવેજો વિશે પણ માહિતી ખેડૂત ત્યાં મેળવી શકે છે. લાઇસન્સ મેળવ્યા પછી જ ખેડૂત કાયદેસર રીતે અફીણની ખેતી કરી શકે છે.
સામાન્ય રીતે ખેતરમાં ઉગાડવામાં આવતા અન્ય પાકના બીજની માફક જ, અફીણના બીજ સહેલાઈથી કે દુકાનોમાં ઉપલબ્ધ નથી હોતા. એકવાર ખેડૂત, અફીણની ખેતી માટેનું સરકારી લાઇસન્સ મેળવી લે છે, પછી નાર્કોટિક્સ વિભાગ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા તેને બીજ પૂરા પાડવામાં આવે છે. આનો અર્થ એ છે કે બીજ વાવણીથી લઈને લણણી સુધીની સમગ્ર વ્યવસ્થા સરકારના નિયંત્રણ હેઠળ છે, જે કોઈપણ દુરુપયોગને અટકાવે છે.
રવિ ઋતુ દરમિયાન એટલે કે શિયાળુ પાક તરીકે અફીણની ખેતી કરવામાં આવે છે. તે સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે વાવવામાં આવે છે. વાવણી પહેલાં ખેતરની યોગ્ય તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, જમીનને 3 થી 4 વખત સારી રીતે ખેડવામાં આવે છે જેથી જમીન પોચી થઈ જાય છે.
સારા પાકના વિકાસ માટે, ખેતરમાં પૂરતા પ્રમાણમાં ગાયનું છાણ ખાતર અથવા વર્મીકમ્પોસ્ટ ઉમેરવામાં આવે છે. આ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને છોડના વિકાસને પ્રોત્સાહન આપે છે. સામાન્ય રીતે, પ્રતિ હેક્ટર જમીનમાં 7 થી 8 કિલો બીજની જરૂર પડે છે.
અફીણની ખેતીમાં, ફક્ત પાક ઉગાડવો પૂરતો નથી. જો ખેડૂતને લાઇસન્સ મળ્યું હોય, તો તેણે સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ ઉપજ મર્યાદા પણ પૂર્ણ કરવી આવશ્યક છે. જો ખેડૂત નિર્ધારિત રકમ કરતાં ઓછું ઉત્પાદન કરે છે, તો તેનું લાઇસન્સ રદ થઈ શકે છે અથવા તેને ભવિષ્યમાં ખેતી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેથી, અફીણ ખેડૂતોએ તેમના પાકની સંભાળમાં અવગણના ન કરવી જોઈએ. સિંચાઈ, નીંદણ અને છોડ સંરક્ષણ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
અફીણમાંથી બનેલી દવાઓ તબીબી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. પરંતુ તેનો દુરુપયોગ સમાજને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ કારણોસર, સરકારે તેની ખેતીને લાઇસન્સ, મર્યાદિત વિસ્તારો અને કડક નિયમો સુધી મર્યાદિત કરી છે. આ દવાઓ માટે કાચો માલ પૂરો પાડે છે. સાથે સાથે ડ્રગ વ્યસનને પણ નિયંત્રિત કરે છે. એકંદરે, અફીણની ખેતી સામાન્ય પાક નથી. તે એક વિશિષ્ટ પાક છે, જે કડક સરકારી દેખરેખ અને નિયમો હેઠળ કરવામાં આવે છે. લાઇસન્સ વિના તેની ખેતી કરવાથી ગંભીર કાનૂની મુશ્કેલી પડી શકે છે, તેથી તે એક ગંભીર બાબત છે.