Government Scheme: સરકારે શરૂ કરી પશુપાલન ઋણ યોજના, પશુપાલન માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન

|

Aug 16, 2023 | 6:02 PM

જો તમારી પાસે 5 થી વધારે પશુ છે, તો તમે આ પશુપાલન લોન યોજના 2023 નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે.

Government Scheme: સરકારે શરૂ કરી પશુપાલન ઋણ યોજના, પશુપાલન માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન
Animal Husbandry Scheme

Follow us on

રાજ્ય સરકારે બેરોજગારીની સમસ્યાને ઘટાડવા માટે નવી યોજના (Government Scheme) શરૂ કરી છે. તેનાથી રાજ્યમાં બેરોજગારી ઘટાડી શકાશે અને સાથે જ લોકોમાં પશુપાલનને (Animal Husbandry) પ્રોત્સાહન મળશે. આ પશુપાલન લોન યોજના દ્વારા, સરકાર યુવાનોને પશુપાલન શરૂ કરવા માટે લોન આપી રહી છે. મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે, રાજ્યમાં સતત વધી રહેલી બેરોજગારીની સમસ્યાને ઘટાડવા માટે સરકાર આ યોજના લઈને આવી છે. આ યોજનાનું મુખ્ય કેન્દ્રબિંદુ રાજ્યના યુવાનો છે.

શું છે પશુપાલન લોન યોજના?

જો તમારી પાસે 5 થી વધારે પશુ છે, તો તમે આ પશુપાલન લોન યોજના 2023 નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો.

યોજનાનો હેતુ

આ લોન યોજનાના હેતુથી મધ્યપ્રદેશ સરકાર રાજ્યના નાગરિકોને રોજગાર આપવા માંગે છે. તે રાજ્યના તે નાગરિકોને પશુપાલન રોજગાર શરૂ કરવા માટે બેંકમાંથી લોન આપશે. તેની મદદથી લોકો ભેંસ ઉછેર, ગાય ઉછેર અને બકરી ઉછેર કરી શકશે. આ માટે, તમે પશુપાલન અને ડેરી વિભાગની સત્તાવાર વેબસાઇટ www.mpdah.gov.in પર જઈને અરજી માટે અરજી કરી શકો છો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : Success Story: સરકારી નોકરી છોડીને શરૂ કરી એલોવેરાની ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી

યોજનાના મુખ્ય તથ્યો

તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ પર આપવામાં આવશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article