AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોની આવકમાં થશે વધારો, ફળ અને શાકભાજી પાકોની સરળતાથી થઈ શકશે વિદેશમાં નિકાસ

સરકાર ફળ પાકના છોડની ખેતી પર ખેડૂતોને સબસિડી આપી રહી છે. 1 હેક્ટરમાં બગીચા માટે પ્રથમ વર્ષમાં 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. જો છોડ બીજા વર્ષે અને ત્રીજા વર્ષમાં ટકી રહે તો તેના માટે 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. રાજ્ય સરકારની આ યોજના હેઠળ ખેડૂતો પોતાની જમીન પર બાગાયતી પાકનું વાવેતર કરી શકે છે. ફળ પાક અને શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોની આવકમાં વધારો થશે.

બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોની આવકમાં થશે વધારો, ફળ અને શાકભાજી પાકોની સરળતાથી થઈ શકશે વિદેશમાં નિકાસ
Farmers Income
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 1:47 PM
Share

બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ફળ પાક અને શાકભાજીની ખેતી (Vegetables Framing) કરનારા ખેડૂતોની આવકમાં (Farmers Income) વધારો થશે. હવે બિહારમાંથી ફળો અને શાકભાજીની સીધી વિદેશમાં નિકાસ થશે. આ માટે દરભંગામાં એક્સપોર્ટ પેક હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. કૃષિ વિભાગે તેને મંજૂરી આપી દીધી છે. તેનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે. અત્યારે બિહારમાંથી ફળ અને શાકભાજીના ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવા માટે અન્ય રાજ્યોની મદદ લેવી પડે છે.

પાકોની નિકાસ કરવામાં સરળતા રહેશે

સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ખેડૂતોને પાક ઉત્પાદનોના વધારે સારા ભાવ મળશે જેના કારણે તેની આવકમાં વધારો થશે. બિહારમાં શાકભાજી અને ફળોનું ઉત્પાદન થાય છે, તેની વિદેશમાં નિકાસ કરવા માટે અત્યારે કોઈ પેક હાઉસ નથી. પટનામાં પેક હાઉસ બનાવવાનો દરખાસ્ત છે. આ પહેલા દરભંગામાં પેક હાઉસની મંજૂરી મળ્યા બાદ શાકભાજી અને ફળ પાકોની નિકાસ કરવામાં સરળતા રહેશે.

પેક હાઉસ હશે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ

બિહાર સરકારના કૃષિ વિભાગના જણાવ્યા મૂજબ શિવધારા બજાર સમિતિ, દરભંગામાં જે પેક હાઉસ બનાવવામાં આવી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ હશે. પેકિંગ અને સ્ટોરેજ વગેરેની સુવિધા આપવામાં આવશે. પેક હાઉસના નિર્માણ બાદ બિહાર અગ્રણી નિકાસ કરતા રાજ્યોમાં સામેલ થશે. શાહી લીચી, મખાના, ભાગલપુરની જરદાલુ કેરી, કતરણી ચોખા, ડાંગર, બિહારના મગહી પાનની પણ વિદેશી બજારમાં માગ છે. તેને GI ટેગ મળ્યો છે.

આ પણ વાંચો : સફરજનની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય, લાખો ખેડૂતોને થશે ફાયદો

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને 30,000 રૂપિયાની સબસિડી

બિહાર સરકાર ફળ પાકના છોડની ખેતી પર ખેડૂતોને સબસિડી આપી રહી છે. 1 હેક્ટરમાં બગીચા માટે પ્રથમ વર્ષમાં 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. જો છોડ બીજા વર્ષે અને ત્રીજા વર્ષમાં ટકી રહે તો તેના માટે 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. રાજ્ય સરકારની આ યોજના હેઠળ ખેડૂતો પોતાની જમીન પર બાગાયતી પાકનું વાવેતર કરી શકે છે. તેનાથી ખેડૂતની આવકમાં વધારો થશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">