પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને સરકાર આપશે મોટી ભેટ, ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે 32,500 રૂપિયા

|

Apr 14, 2022 | 5:21 PM

Agriculture: સરકારનું લક્ષ્ય 2026 સુધીમાં 5 થી 6 લાખ હેક્ટર વિસ્તારને પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવાનું છે. આ હેઠળ, નાણાકીય સહાયની રકમ 12,200 રૂપિયાથી વધારીને 32,500 રૂપિયા પ્રતિ હેક્ટર કરી શકાય છે.

પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને સરકાર આપશે મોટી ભેટ, ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે 32,500 રૂપિયા
Farmer - File Photo

Follow us on

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પ્રાકૃતિક ખેતી (Natural Farming) કરતા ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયની રકમમાં બમણાથી વધુ વધારો કરવાની વાત છે. કૃષિ મંત્રાલયે પ્રાકૃતિક ખેતી પર 2,500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને (Farmers) પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે સહાયની રકમમાં વધારો કરી રહી છે. સરકારનું લક્ષ્ય 2026 સુધીમાં 5 થી 6 લાખ હેક્ટર વિસ્તારને પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવાનું છે.

આ હેઠળ, નાણાકીય સહાયની રકમ 12,200 રૂપિયાથી વધારીને 32,500 રૂપિયા પ્રતિ હેક્ટર કરી શકાય છે. અહેવાલ મુજબ, અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે દેશમાં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર 4.09 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો છે. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કેરળ સહિત 8 રાજ્યોના ખેડૂતોને પહેલેથી જ ચાલુ નાણાકીય સહાય યોજનાઓ દ્વારા 49.81 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

આ 290 જિલ્લામાં વધારો આપવામાં આવશે નહીં

દેશના 290 જિલ્લાઓમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા કુલ ખાતરમાંથી 85 ટકા ખાતરનો વપરાશ થાય છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આ જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરશે નહીં, કારણ કે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. શરૂઆતમાં, તેને આદિવાસી અને એવા વિસ્તારોમાં પ્રમોટ કરવામાં આવશે જ્યાં પહેલેથી જ કુદરતી ખેતી થઈ રહી છે. કૃષિ મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે, જે જણાવશે કે પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોના ઉત્પાદનનું ધોરણ શું હોવું જોઈએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે

સરકારની યોજના માત્ર કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની નથી, પરંતુ આ ઉત્પાદનોના બ્રાન્ડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. એક નિષ્ણાતે જણાવ્યું કે આ એક નવો કોન્સેપ્ટ છે. પ્રાકૃતિક ખેતીની સફળતા માટે તેને ઓર્ગેનિકથી ઉપર બ્રાન્ડેડ કરવી પડશે. કુદરતી ખેતી ઉત્પાદનોની નિકાસ માટે અલગ બોર્ડની રચના જરૂરી રહેશે. સરકાર બોર્ડ બનાવે તો નિકાસ સરળ બનશે અને ખેડૂતોને ફાયદો થશે.

આ પણ વાંચો : Animal Husbandry: ઉનાળાની કાળઝાળ ગરમીમાં દુધાળા પશુઓની આ રીતે રાખો કાળજી

આ પણ વાંચો : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કરે છે કુદરતી ખેતી, પહેલા વર્ષ મળી અસફળતા બાદ જાણો શું થયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article