Drumstick cultivation: સરગવાની ખેતીમાં રોગો અને તેનું સંચાલન, જાણો વિગતવાર

|

Sep 10, 2023 | 11:42 PM

કુદરતી રીતે ઊગતી તમામ વસ્તુઓમાં જો તેની યોગ્ય જાળવણી ન કરવામાં આવે તો તેમાં  રોગ લાગવાનો ભય રહેલો છે. ત્યારે સરગવાની ખેતીમાં પણ આ પ્રકારના રોગ લાગવાની શક્યતા છે. જોકે તેના થી બચવા માટે કેટલાક ઉપાયો છે. અહી આપને સરગવાની ખેતીમાં જંતુ અને રોગનું સંચાલન કઈ રીતે કરવું તેની સમગ્ર માહિતી આપવામાં આવ્યા છે. 

Drumstick cultivation: સરગવાની ખેતીમાં રોગો અને તેનું સંચાલન, જાણો વિગતવાર

Follow us on

સરગવો એક ઔષધીય વનસ્પતિ છે. તેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દેશના લગભગ તમામ ભાગોમાં ઉગાડવામાં આવે છે. આયુર્વેદમાં સરગવા પ્લાન્ટના તમામ ભાગોનો ઉપયોગ થાય છે. તેની ખેતી કરતા ખેડૂતોની આવક ઘણી સારી છે. સરગવાના ફૂલો , ફળો અને પાંદડાઓનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને તેની છાલ , પાંદડા , બીજ અને મૂળમાંથી દવાઓ બનાવવામાં આવે છે . સરગવાના પાકમાં જીવાતો અને રોગોનું બહુ ઓછું જોખમ હોય છે , પરંતુ કેટલીક જીવાતો અથવા રોગો છે જે પાકને નોંધપાત્ર રીતે અસર કરે છે. ચાલો આજે જાણીએ આ રોગોરીઓથી સરગવાની ખેતીને બચવાના ઉપાયો વિશે.

સોટી જંતુ

આ જંતુનો ઉપદ્રવ સરગવામાં સૌથી વધુ જોવા મળે છે. આ જંતુ છોડના પાંદડા પર એટેક કરે છે અને પછી ધીમે ધીમે આખા છોડમાં ફેલાય છે. આ રોગને મટાડવા માટે, ડિક્લોરોવાને યોગ્ય માત્રામાં પાણીમાં ઓગાળીને છોડ પર છંટકાવ કરવો જોઈએ.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ઉધઈ

છોડ પર ઉધઈ જમીનની ગુણવત્તા પર આધાર રાખે છે. જો ડ્રમસ્ટિકના ખેતરમાં ઉધઈની સમસ્યા હોય તો ઈમિડાક્લોપ્રિડ 600 એફએસ પાણીમાં ભેળવીને જમીનમાં છંટકાવ કરવો જોઈએ. આ સિવાય તમે ફિપ્રોનિલ પ્રતિ કિલો બીજની સારવાર કરી શકો છો. તમે એક કિલોગ્રામ ઓર્ગેનિક ફૂગનાશક બોવેરિયા અથવા મેટાર્હિઝિયમ એનિસોપોલીને 100 કિલોગ્રામ ગાયના છાણના ખાતર સાથે ભેળવીને ખેતરમાં ખેડાણ કરી શકો છો.

રસ ચૂસનાર જંતુ

સત્વ ચૂસનાર જંતુઓ મુખ્યત્વે છોડના પાંદડા ખાય છે. આનાથી બચવા માટે તમારે 80 ગ્રામ એસેટામિપ્રિડ અથવા 100 ગ્રામ થિયામેન્ટોક્સમ 500 લિટર પાણીમાં ભેળવીને આખા પાક પર છાંટવું જોઈએ.

ફ્રુટ ફ્લાય રોગ

આ માખીઓના એટેકને કારણે સરગવો સડવા લાગે છે. આ ફળ પર માખીઓના નિયંત્રણ માટે, તમે એક લિટર પાણીમાં 5 મિલી ડિક્લોરોવસ ઓગાળી શકો છો અને છોડ પર છંટકાવ કરી શકો છો.

આ પણ વાંચો : Nutmeg cultivation: કુદરતી પદ્ધતિથી જાયફળની ખેતી કરવાથી મળી શકે છે બમણી આવક

સડાનો રોગ

જો સરગવામાં મૂળ સડવાની સમસ્યા હોય, તો તમે તેના નિયંત્રણ માટે 5 થી 10 ગ્રામ ટ્રાઇકોડર્મા દ્વારા આ રોગ નિયંત્રણ કરી શકો છો . આ સિવાય તમે કાર્બેન્ડાઝીમને પાણીમાં ભેળવીને જમીનમાં મૂળ પાસે નાખી શકો છો. તેનાથી ત્યાં ઉગતા કીટાણુઓનો નાશ થશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article