એન્થુરિયમની ખેતી તરફ વળી રહ્યા છે ખેડૂતો, ઓછી ઉપજને કારણે મોંઘા ભાવે થાય છે વેચાણ

|

Jan 31, 2022 | 8:37 AM

એન્થુરિયમ એ અમેરિકન મૂળનો છોડ છે, પરંતુ તેની ખેતી ફ્રાન્સ અને બેલ્જિયમથી શરૂ થઈ હતી. તે બે શબ્દો એન્થેસ અને ઓરાથી બનેલું છે. એન્થસ એટલે ફૂલ જ્યારે ઓરા એટલે પૂંછડી. આ રીતે તમે એન્થુરિયમને પૂંછડીવાળા છોડ તરીકે કહી શકો છો.

એન્થુરિયમની ખેતી તરફ વળી રહ્યા છે ખેડૂતો, ઓછી ઉપજને કારણે મોંઘા ભાવે થાય છે વેચાણ
Anthurium flower farming becoming popular in India

Follow us on

ભારતમાં અનાજની સાથે ફળ, શાકભાજી અને ફૂલોની ખેતી (Flower Farming) પણ મોટાપાયે થાય છે. ધીમે ધીમે ફૂલોની ખેતી તરફ ખેડૂતો (Farmers)નો રસ વધી રહ્યો છે. ફૂલોની ખેતી ખેડૂતોને તેમની આવક વધારવામાં મદદ કરે છે અને ટૂંકા ગાળામાં પાક તૈયાર થવાથી એક વર્ષમાં ઘણી ઉપજ લઈ શકે છે. હવે બજારમાં વિદેશી જાતોના ફૂલોની માગ વધી રહી છે અને તેને જોતા ખેડૂતોએ એન્થુરિયમની ખેતી (Anthurium) શરૂ કરી છે.

એન્થુરિયમ ખૂબ જ સુંદર અને આકર્ષક ફૂલ છે. તે માત્ર ફૂલો માટે જ નહીં પણ પાંદડા માટે પણ ઉગાડવામાં આવે છે. સુંદર આકાર અને વિવિધ રંગોમાં જોવા મળતા એન્થુરિયમની ખેતી પોલી હાઉસમાં આખું વર્ષ થાય છે. તે સદાબહાર ઉષ્ણકટિબંધીય ઘાસનો છોડ છે, જેની ખેતી પશ્ચિમ ઘાટ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં વેગ પકડી રહી છે.

ભારતમાં એન્થુરિયમની ખેતી એક શોખ તરીકે શરૂ થઈ

ખરેખર, એન્થુરિયમ એ અમેરિકન મૂળનો છોડ છે, પરંતુ તેની ખેતી ફ્રાન્સ અને બેલ્જિયમથી શરૂ થઈ હતી. તે બે શબ્દો એન્થેસ અને ઓરાથી બનેલું છે. એન્થસ એટલે ફૂલ જ્યારે ઓરા એટલે પૂંછડી. આ રીતે, તમે એન્થુરિયમને પૂંછડીવાળા છોડ તરીકે કહી શકો છો. 1980માં તે ફૂલ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું અને સમગ્ર વિશ્વમાં ફેલાયું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ભારતમાં, શરૂઆતમાં પશ્ચિમ ઘાટના ખેડૂતો દ્વારા તેને એક શોખ તરીકે ઉગાડવામાં આવતું હતું, પરંતુ હવે તે વ્યવસાયિક રીતે પણ ઉગાડવામાં આવે છે. હાલમાં આંધ્ર પ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ઉગાડવામાં આવે છે. બીજમાંથી એન્થુરિયમ નર્સરી ઉગાડવી શક્ય નથી, તેથી તેને પ્રયોગશાળાઓમાં ટીશ્યુ કલ્ચર દ્વારા તૈયાર કરવામાં આવે છે. એન્થુરિયમ પ્લાન્ટ માટે તાપમાન 15થી 28 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ.

પોલી હાઉસમાં એન્થુરિયમની ખેતી કરવા માટે આધાર તૈયાર કરવો પડે છે. જો તે અઢી ફૂટ ઊંચો અને 25 ફૂટ લાંબો હોય તો તેને યોગ્ય ગણવામાં આવે છે. તૈયાર બેઝ પર એક ખાસ પ્રકારની ટ્રે મૂકવામાં આવે છે. આ ટ્રેમાં પોટ્સ રાખવા માટે મોલ્ડ બનાવવામાં આવે છે.

એન્થુરિયમ કોઈપણ જમીનમાં ઉગી શકે છે. માત્ર જમીનનું pH મૂલ્ય 5થી 6ની વચ્ચે હોવું જોઈએ. ટ્રાન્સપ્લાન્ટિંગ પછી તરત જ એન્થુરિયમ છોડને પાણી આપવું જરૂરી છે. એન્થુરિયમને સ્વચ્છ RO પાણીની જરૂર છે. સિંચાઈ દરરોજ કરવી પડે છે, પરંતુ કુંડાઓમાં પાણી એકઠું ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે.

આ રીતે એન્થુરિયમ માટે ખાતર તૈયાર કરવામાં આવે છે

એન્થુરિયમને બે પ્રકારના ખાતરોની જરૂર પડે છે. તેને 50 લિટર પાણીમાં 1.62 કિલો કેલ્શિયમ નાઈટ્રેટ, 400 ગ્રામ એમોનિયમ નાઈટ્રેટ, 700 ગ્રામ પોટેશિયમ અને 140 ગ્રામ આયર્ન ભેળવીને તૈયાર કરવામાં આવે છે. બીજા ખાતર માટે 50 લિટર પાણીમાં 550 ગ્રામ પોટેશિયમ, 680 ગ્રામ મોનો-પોટેશિયમ, 1.12 કિગ્રા મેંગેનીઝ સલ્ફેટ, 10 ગ્રામ બોરેક્સ, 4.3 ગ્રામ ઝિંક સલ્ફેટ અને 0.56 ગ્રામ કોપર સલફેટની જરૂર પડશે.

બંને તૈયાર કરેલ ખાતરોને 1000 લીટર પાણીમાં ભેળવી એન્થુરિયમ છોડને આપવામાં આવે છે. એન્થુરિયમ પર જંતુઓ દ્વારા ખૂબ જ ઝડપથી હુમલો થાય છે. તેનાથી બચવા માટે દર અઠવાડિયે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. જો ખેડૂતો જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરે તો તે વધુ સારું ગણાશે.

આ પણ વાંચો: Viral: ગોલગપ્પાથી શખ્સે તૈયાર કર્યો IceCream Roll, લોકો બોલ્યા ‘આ ગુના માટે નર્કમાં પણ જગ્યા નહીં મળે’

આ પણ વાંચો: ફોન પર કેવી રીતે ડાઉનલોડ કરવું ચૂંટણી કાર્ડ, જાણો શું છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Published On - 8:36 am, Mon, 31 January 22

Next Article