ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણનને જાસુસી કેસમાં કોણે ફસાવ્યા? સુપ્રીમ કોર્ટે CBI તપાસનાં કર્યા આદેશ

|

Apr 15, 2021 | 4:57 PM

ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણ (Nambi Narayan) સાથે જોડાયેલા 1994નાં જાસુસી મામલામાં ભૂલ કરવાવાળા પોલીસ અધિકારીઓની ભૂમિકા પર ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર વિચાર કરવા સંબંધી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ.

ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણનને જાસુસી કેસમાં કોણે ફસાવ્યા? સુપ્રીમ કોર્ટે CBI તપાસનાં કર્યા આદેશ
ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણનને જાસુસી કેસમાં કોણે ફસાવ્યા? સુપ્રીમ કોર્ટે CBI તપાસનાં કર્યા આદેશ

Follow us on

ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણ (Nambi Narayan) સાથે જોડાયેલા 1994નાં જાસુસી મામલામાં ભૂલ કરવાવાળા પોલીસ અધિકારીઓની ભૂમિકા પર ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર વિચાર કરવા સંબંધી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. આ સુનાવણીમાં ત્રણ સદસ્યવાળી પેનલે CBI તપાસ માટેનો આદેશ આ કેસમાં આપ્યો હતો. કેન્દ્રએ આ મુદ્દો રાષ્ટ્રીય બતાવીને પેનલની રીપોર્ટ પર તાત્કાલિક સુનાવણી કરવાનો અનુરોધ કર્યો હતો.

સુપ્રીમનાં સેવાનિવૃત જજ ડી કે જૈનની રીપોર્ટને રેકોર્ડ પર લેવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે સીબીઆઈનાં નિદેશકને આદેશ આપ્યો હતો કે જૈન સમિતિની રીપોર્ટને પ્રાથમિક તપાસની રીતે લે અને તપાસને આગળને વધારે. જણાવી દઈએ કે 1994 જાસુસી મામલામાં વૈજ્ઞાનિક નાંબી નારાયણનને ના માત્ર છોડી મુકવામાં આવ્યા છે પરંતુ કેરળ સરકારને 50 લાખ રૂપિયા ચુકવવાનો પણ આદેશ કર્યો હતો.

કોર્ટે વૈજ્ઞાનિકને 50 લાખ રૂપિયા આપવાનો કર્યો હતો આદેશ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોર્ટે 14 સપ્ટેમ્બર 2018નાં રોજ પેનલ બનાવીને કેરળ સરકારને 50 લાખ રૂપિયા મહેનતાણું ચુકવવાનો આદેશ કર્યો હતો. નાંબી નારાયણનને ઘણાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. પેનલ બનાવ્યા બાદ કોર્ટે ખરી ભૂલ કરવાવાળા અધિકારીઓ સામે પગલા ભરવા માટે આદેશ કર્યો હતો કે જેને લઈને નારાયણને ઘણું ભોગવવાનો વારો આવ્યો હતો.

અવકાશ કાર્યક્રમ સાથે જોડાયેલા અગત્યનાં ગુપ્ત દસ્તાવેજોનો હતો મામલો 

1994માં મીડિયામાં છવાઈ ગયેલા આ જાસુસી મામલામાં આરોપ હતો કે ભારતનાં અવકાશી મિશન સાથે જોડાયેલા કેટલાક ગુપ્ત દસ્તાવેજને બે વૈજ્ઞાનિકો અને માલદીવની બે મહિલાઓ સહિત બીજા ચાર લોકો દ્વારા અન્ય દેશોમાં તેને મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં વૈજ્ઞાનિક નારાયણનની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે તે સમયે કેરળમાં કોંગ્રેસની સરકાર હતી. ત્રણ સદસ્ય વાળી તપાસ પેનલે સીલબંધ કવરમાં પોતાની રીપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપી દીધી છે. બીજી તરફ CBIએ પોતાની તપાસમાં કહ્યું હતું કે 1994માં કેરળ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ નારાયણનની ખોટી ધરપકડ માટે જવાબદાર હતા.

એ બે મહિના અને જેલની અંધારી રાત

નવેમ્બર 1994માં ધરપકડ પછી ડિસેમ્બરમાં તપાસ સીબીઆઈને સોંપવામાં આવી

પોલીસની સાથે સીબીઆઈ પણ પુરાવાને શોધી નહી શકી

50 દિવસની જેલ પછી નારાયણનને જાન્યુઆરી 1995માં જામીન મળ્યા

એપ્રિલ 1996માં સીબીઆઈએ માન્યું કે મામલો ખોટો છે અને તેને બંધ કરવામાં આવે

મે 1996માં મેજીસ્ટ્રેટ કોર્ટે મામલાને હટાવીને તમામને છોડી મુક્યા

1996માં માકપા સરકારે મામલામાં બીજીવાર તપાસ કરવાની પહેલ કરી

1998માં સુપ્રીમ કોર્ટે તમામને નિર્દોષ મુક્ત કરીને મામલાને જ રદ્દ કરી નાખ્યો

 

Next Article