West Bengal: પુરુલિયામાં ફરીથી મળ્યા માઓવાદીઓના પોસ્ટર, નેતાઓને નક્સલવાદીઓ દ્વારા અપાઈ ધમકી

|

Aug 17, 2021 | 5:19 PM

સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં માઓવાદીઓના પોસ્ટરો મળ્યાના બે દિવસ બાદ મંગળવારે ફરી પુરુલિયામાં માઓવાદી પોસ્ટરો મળી આવ્યા હતા.

West Bengal: પુરુલિયામાં ફરીથી મળ્યા માઓવાદીઓના પોસ્ટર, નેતાઓને નક્સલવાદીઓ દ્વારા અપાઈ ધમકી
Photo: Maoists threaten TMC leaders by writing posters in red ink in Purulia.

Follow us on

સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે (Independence Day) પશ્ચિમ બંગાળના (West Bengal) પુરુલિયામાં (Purulia) માઓવાદીઓના પોસ્ટરો (Maoists Poster) મળ્યાના બે દિવસ બાદ મંગળવારે ફરી પુરુલિયામાં માઓવાદી પોસ્ટરો મળી આવ્યા હતા. આ પોસ્ટરમાં ટીએમસી નેતાઓને (TMC Leaders) સીધી ધમકી આપવામાં આવી છે. પોસ્ટરમાં ટીએમસી નેતાઓને ચેતવણી આપવામાં આવી છે. જો તેઓ પાર્ટી નહીં છોડે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, 15 ઓગસ્ટના રોજ પણ પુરૂલિયાના અયોધ્યા પહાડ વિસ્તારમાં મળેલા માઓવાદીઓના પોસ્ટરમાં (Maoist posters) મહિલાઓ પરના અત્યાચાર સહિત ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.

આ સિવાય વિવિધ જગ્યાએ કાળા ઝંડા (Black Flag) લગાવવામાં આવ્યા હતા. ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. લાંબા સમય પછી માઓવાદીઓ હવે જંગલમહેલ વિસ્તારમાં નથી, પરંતુ જે રીતે માઓવાદીઓના પોસ્ટરો વારંવાર આવવા લાગ્યા છે. વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ વહીવટીતંત્રે પોસ્ટર હટાવીને તપાસ શરૂ કરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

લાલ શાહીથી લખાયા છે પોસ્ટર

પોસ્ટર પર લાલ શાહી દ્વારા લખવામાં આવ્યું છે. પોસ્ટરના તળિયે CPI (માઓવાદી) લખેલું છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, TMC (All India Trinamool Congress) નેતાઓએ તરત જ પાર્ટી છોડવી પડશે. નહિંતર તેમને કડક સજા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2011 પહેલા એટલે કે TMCના શાસન પહેલા, આ વિસ્તારોમાં માઓવાદીઓનું વર્ચસ્વ હતું. પરંતુ મમતા બેનર્જીના શાસનમાં માઓવાદી નેતા કિશન જીની પોલીસે હત્યા કરી હતી. ત્યારથી આ વિસ્તારમાં માઓવાદીઓ નહોતા, પરંતુ એવું લાગે છે કે, માઓવાદીઓએ ફરી વિસ્તરણ શરૂ કર્યું છે.

સ્વતંત્રતા દિવસે પણ પોસ્ટર લાગ્યા હતા

પુરુલિયાની અયોધ્યા પર્વતોમાં ઉસુલડુંગરી ખાતે સ્વતંત્રતા દિવસ પર એક રહસ્યમય પોસ્ટર મળી આવ્યું હતું. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, પોસ્ટરો કાળી શાહીમાં લખેલા હતા. તે આદિવાસી લોકો વિશે લખાયેલ છે. પંચાયતથી રાજ્યકક્ષા સુધી તેને કોઈ પણ સંજોગોમાં વંચિત ન રાખવાની માંગણી કરવામાં આવી છે.

બાગમુંડી બલરામપુરના ભૂતપૂર્વ માઓવાદીઓને નોકરી આપવામાં નહીં આવે તો ફરીથી માઓવાદી ટુકડીમાં જોડાવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક ભૂતપૂર્વ માઓવાદીઓ નોકરી મેળવવા માટે આ કરી રહ્યા છે. અગાઉ ઝાલાડા વિસ્તારમાંથી આવા જ પોસ્ટરો મળી આવ્યા હતા.

આ પણ વાંચો: Bank Job 2021: IDBI બેંકમાં એક્ઝીક્યૂટીવના 920 પદ પર વેકેન્સી, જાણો કેવી રીતે કરશો એપ્લાય

Next Article