વડોદરા : ખોડિયારનગરમાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એકનું મોત, લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક માર્યો હતો ઢોરમાર

|

Feb 27, 2023 | 10:00 AM

અપહરણ બાદ આજવા ફાર્મ હાઉસમાં સાળા-બનેવીને ગોંધી રાખવામાં આવ્યા હતા. બંનેને સામસામે બેસાડી તીખા મરચા ખવડાવ્યા હતા.

વડોદરા : ખોડિયારનગરમાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એકનું મોત, લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક માર્યો હતો ઢોરમાર

Follow us on

વડોદરામાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એક શખ્સને ઢોર માર મારતા મોત થયું છે. ખોડિયારનગરના બે શખ્સોએ બનેવી રાજુનાથને લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક ઢોર માર મારતા તેનું મોત થયું છે. ગોલ્ડન ચોકડી નજીક ભંગારનો વેપાર કરતા મૂળ રાજસ્થાનના બે યુવકોનું ચારથી પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. બેટરી ચોરીની શંકાએ એક શખ્સને ઢોર માર માર્યો હતો. અપહરણ બાદ આજવા ફાર્મ હાઉસમાં સાળા-બનેવીને ગોંધી રાખવામાં આવ્યા હતા. બંનેને સામસામે બેસાડી તીખા મરચા ખવડાવ્યા હતા.

આ પણ વાંચો :Tender Today: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ અને ઈલે. મિકે. વિભાગના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની અંદાજીત કિંમત કેટલી

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મરચા ખવડાવીને મૃતકને ગળા અને મોઢામાં અસહ્ય બળતરા થઈ હતી.પછી તેને પાણી ન આપતા તે બેભાન થઈ ગયો હતો. બે દિવસ સુધી અપહરણ દરમિયાન માત્ર એકવાર વડાપાઉં ખવડાવ્યો હતો. રાજુનાથ નામના શખ્સનું મોત થતા તેનો મૃતદેહ હાલોલ નજીક ફેંકી દીધો હતો. જો કે હરણી પોલીસે મૃતદેહ શોધી કાઢયો હતો. હત્યારાઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે હાલ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો

આ અગાઉ નવા વાડજ વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો હતો. સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ફરિયાદને આધારે રણજીત ભરવાડ નામના આરોપીની ધરપકડ કરી હતી. જે વેપારીઓને ધંધો કરવા ખંડણીની માગ કરતો હતો.

Next Article