Unnao Case: છોકરીઓની હત્યાના કેસમાં બે યુવાનોની ધરપકડ, એક તરફી પ્રેમમાં ઘટનાને અંજામ આપ્યો

|

Feb 19, 2021 | 8:16 PM

ઉન્નાવમાં પોલીસે બે યુવતીઓની હત્યા કરવા બદલ પોલીસે બે યુવાનોની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવકોએ એકતરફી પ્રેમમાં ઘટનાને અંજામ આપ્યો છે.

Unnao Case: છોકરીઓની હત્યાના કેસમાં બે યુવાનોની ધરપકડ, એક તરફી પ્રેમમાં ઘટનાને અંજામ આપ્યો

Follow us on

Unnao Case: ઉન્નાવમાં પોલીસે બે યુવતીઓની હત્યા કરવા બદલ પોલીસે બે યુવાનોની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવકોએ એકતરફી પ્રેમમાં ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે તેમને બાબરાહ ગામની બાજુના ગામમાંથી ધરપકડ કરી હતી. બંને યુવકોએ ત્રણેય યુવતીઓને ઘઉંમાં નાખવાની દવા પીવડાવી હતી. ધરપકડ કરવામાં આવેલા યુવાનોમાંથી એક યુવાન રોશનીને પ્રેમ કરતો હતો, જે કાનપુરની હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. બંને આરોપીઓએ પહેલા ત્રણેય યુવતીઓને પહેલા નમકીન ખવડાવ્યું અને ત્યારબાદ પાણીની જગ્યાએ જંતુનાશક દવા પીવડાવી દીધી.

 

17 ફેબ્રુઆરીએ બની હતી ઘટના

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લખનૌથી આશરે 36 કિલોમીટર દૂર ઔષાના બાબુહારા ગામમાં એક ખેતરમાં 17 ફેબ્રુઆરીને બુધવારે સાંજે ગામના લોકોને 14, 15 અને 16 વર્ષની ત્રણ છોકરીઓ દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવી હતી. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને યુવતીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન ત્રણમાંથી બે છોકરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે ત્રીજી છોકરીઓને તાત્કાલિક ઉન્નાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જતી અને બાદમાં કાનપુર હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.

 

આ પણ વાંચો: Delhi પોલીસ કમિશનરનું નિવેદન, ખેડૂત સંગઠનોએ અમારો ભરોસો તોડયો, નક્કી કરેલા રૂટનું પાલન ના કર્યું

Next Article