Unnao Case: ઉન્નાવમાં પોલીસે બે યુવતીઓની હત્યા કરવા બદલ પોલીસે બે યુવાનોની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવકોએ એકતરફી પ્રેમમાં ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે તેમને બાબરાહ ગામની બાજુના ગામમાંથી ધરપકડ કરી હતી. બંને યુવકોએ ત્રણેય યુવતીઓને ઘઉંમાં નાખવાની દવા પીવડાવી હતી. ધરપકડ કરવામાં આવેલા યુવાનોમાંથી એક યુવાન રોશનીને પ્રેમ કરતો હતો, જે કાનપુરની હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. બંને આરોપીઓએ પહેલા ત્રણેય યુવતીઓને પહેલા નમકીન ખવડાવ્યું અને ત્યારબાદ પાણીની જગ્યાએ જંતુનાશક દવા પીવડાવી દીધી.
17 ફેબ્રુઆરીએ બની હતી ઘટના
લખનૌથી આશરે 36 કિલોમીટર દૂર ઔષાના બાબુહારા ગામમાં એક ખેતરમાં 17 ફેબ્રુઆરીને બુધવારે સાંજે ગામના લોકોને 14, 15 અને 16 વર્ષની ત્રણ છોકરીઓ દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવી હતી. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને યુવતીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન ત્રણમાંથી બે છોકરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે ત્રીજી છોકરીઓને તાત્કાલિક ઉન્નાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જતી અને બાદમાં કાનપુર હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.
આ પણ વાંચો: Delhi પોલીસ કમિશનરનું નિવેદન, ખેડૂત સંગઠનોએ અમારો ભરોસો તોડયો, નક્કી કરેલા રૂટનું પાલન ના કર્યું