Rajasthan: સૂતેલી પત્ની અને 2 દીકરીઓને પથ્થરથી કચડીને પતિ ફરાર, ત્રણેયના મોત

|

Jun 06, 2022 | 1:04 PM

ઉદયપુરના કોટાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સુબારી ગામમાં એક પતિએ તેની પત્ની અને બે પુત્રીઓની નિર્દયતાથી હત્યા(MURDER)કરી. રવિવારે રાત્રે સૂતી વખતે પતિએ તેની પત્ની અને પુત્રીઓના માથાને પત્થરથી કચડી નાખ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો.

Rajasthan: સૂતેલી પત્ની અને 2 દીકરીઓને પથ્થરથી કચડીને પતિ ફરાર, ત્રણેયના મોત
પ્રતિકાત્મક ઇમેજ

Follow us on

Rajasthan : ઉદયપુરના(Udaipur) કોટાડા વિસ્તારમાં એક વ્યક્તિએ તેની પત્ની અને બે પુત્રીઓની નિર્દયતાથી હત્યા કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે સૂતી વખતે પતિએ તેની પત્ની અને પુત્રીઓના માથાને પથ્થરથી કચડી (wife murder) નાખ્યા, ત્યારબાદ ત્રણેયના મોત થયા. તે જ સમયે, ઘટનાને અંજામ આપ્યા બાદ પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પતિએ ત્રણેય પર તે સમયે હુમલો કર્યો જ્યારે તેઓ રાત્રે ગાઢ નિંદ્રામાં હતા. આરોપી પતિએ ત્રણેય પર પથ્થરો વડે હુમલો કર્યો, ત્યારપછી વધારે લોહી વહી જવાને કારણે ત્રણેયના મોત થયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે (husband wife fight)દરરોજ પરસ્પર ઝઘડો થતો હતો, જેના કારણે પતિએ આ ભયાનક પગલું ભર્યું. તે જ સમયે, ઘટનાની માહિતી મળતાં, પોલીસ બીજા દિવસે સવારે સ્થળ પર પહોંચી અને ત્રણેય મૃતદેહોને કબ્જે કર્યા હતા.

આપને જણાવી દઈએ કે ઘટનાની જાણ પડોશીઓએ સોમવારે સવારે પોલીસને કરી હતી. જેમાં પડોશીઓએ જણાવ્યું હતું કે કોટરા પોલીસ સ્ટેશન વિસ્તારના સુબારી ગામમાં રહેતા બે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. આ મહિલા ગુજરાતની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પત્ની અને પુત્રીઓનું માથું કચડી નાખ્યું

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઘટના વિશે માહિતી આપતા એસએચઓ પવન સિંહે જણાવ્યું કે સુબારી ગામનો રહેવાસી પોપટ તેની પત્ની કાલી દેવી (25) સાથે દરરોજ ઝઘડા કરતો હતો. રવિવારે રાત્રે ઉગ્ર બોલાચાલી બાદ પોપટે તેની પત્ની અને પુત્રી સુમિત્રી (7) અને બાયા કુમારી (4)ની પથ્થર વડે હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ પોપટ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેની શોધ કરવામાં આવી રહી છે.

3 લોકોના ઘરકંકાસમાં જીવ ગયા

પોલીસના જણાવ્યા અનુસાર તેમની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પરસ્પર ઝઘડો હતો. પોલીસને જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. બીજી તરફ, રવિવારે બનેલી ઘટના પહેલા પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ગુસ્સે ભરાયેલા આરોપી પોપટે તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે ગુજરાતમાં રહેતા મૃતક કાલીદેવીના સંબંધીઓને જાણ કરી છે અને સંબંધીઓ રાજસ્થાન આવશે ત્યારે જ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

Published On - 1:04 pm, Mon, 6 June 22

Next Article