Surat : મૃત પરિણીતાના પતિનો સંપર્ક ન થતાં હત્યાની આશંકા, ગોડાદરામાં શંકાસ્પદ હાલતમાં મળી આવી લાશ
આજે સવારે કાજલબેન દ્વારા ઘરનો દરવાજો ન ખોલવામાં આવતાં પડોશીઓને શંકા જવા પામી હતી. જેને પગલે તાત્કાલિક પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી.
Surat : શહેરના ગોડાદરા વિસ્તારમાં આજે ઘરમાંથી વિવાહિતાનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલના તબક્કે વિવાહિતાની હત્યા (Murder) કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ વિવાહિતાના પતિનો (Husband) કોઈ સંપર્ક ન થતાં પોલીસ (Police) દ્વારા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગોડાદરા ખાતે આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસે પ્રિયંકા પાર્ક સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી એક દંપત્તિ ભાડે રહેતું હતું. પતિ આનંદસિંગ નોકરી કરતો અને તેની પત્ની કાજલબેન ગૃહિણી હોવાનું પડોશીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આજે સવારે કાજલબેન દ્વારા ઘરનો દરવાજો ન ખોલવામાં આવતાં પડોશીઓને શંકા જવા પામી હતી. જેને પગલે તાત્કાલિક પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી.ગોડાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતાં 25 વર્ષીય કાજલબેનનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ દ્વારા આ સંદર્ભે વધુ તપાસ માટે કાજલબેનના પતિ આનંદસિંગનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આનંદ સિંગ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન થતાં પોલીસ દ્વારા મૃતક કાજલબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. હાલના તબક્કે કાજલબેનની હત્યા કરીને પતિ આનંદસિંગ ફરાર થઈ ગયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.