પોલીસ ઈન્સ્પેક્ટર પતિએ આ કારણે 5 મહિનાની ગર્ભવતી પત્નીની કરી નાખી હત્યા, કાવતરું બહાર આવતા થઈ ધરપકડ

|

Oct 16, 2021 | 5:38 PM

પોલીસના સબ-ઇન્સ્પેક્ટરે તેની જ ગર્ભવતી પત્નીની હત્યા કરાવી દીધી છે. પોલીસે તેની પત્નીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર પતિએ આ કારણે 5 મહિનાની ગર્ભવતી પત્નીની કરી નાખી હત્યા, કાવતરું બહાર આવતા થઈ ધરપકડ
sub-inspector killed his own pregnant wife

Follow us on

હરિયાણા રેલવે પોલીસના સબ-ઇન્સ્પેક્ટરે તેની જ ગર્ભવતી પત્નીની હત્યા કરાવી દીધી છે. પોલીસે તેની પત્નીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અલી રેલવેમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત હતો. પોલીસ અધિકારી કમલદીપ ગોયલે જણાવ્યું હતું કે, આરોપી પોલીસકર્મીએ તેના પિતરાઇ ભાઇ સાથે મળીને તેની જ પત્નીની હત્યા કરી નાખી હતી. તેણે 5 મહિનાની ગર્ભવતી પત્નીને કાર દ્વારા કચડી નાખી હતી.

મળતા અહેવાલો અનુસાર અલીએ 2019 માં બરેલીની નઝમા સાથે પ્રેમ-સંબંધ બાદ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે અંગત વિવાદ શરૂ થયો. તેઓ નાની નાની બાબતો પર ઝઘડવા લાગ્યા. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે નઝમા પરસ્પર સંમતિથી તેના ઘરે ગઈ. નજમાના પરિવારે આરોપી પોલીસ ઈન્સ્પેક્ટર (Railway Police SI) વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી. જે બાદ અલી તેની પત્નીને તેના ઘરેથી પાછો લઈ આવ્યો.

5 મહિનાની ગર્ભવતી પત્નીની હત્યા

અફર અલી અને નજમા પૃથ્વી નગર ફરકપુરમાં સાથે રહેવા લાગ્યા. નઝમા ગર્ભવતી થયા બાદ પણ બંને વચ્ચે ઝઘડો ખતમ થયો ન હતો. ઇન્સ્પેક્ટર અલીએ પત્નીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો. આ કામમાં તેના પિતરાઈ ભાઈએ તેને ટેકો આપ્યો. 24 સપ્ટેમ્બરના રોજ અધિકારી તેની ગર્ભવતી પત્નીને ફરવા માટે બહાર લઈ ગયો હતો. તે જ સમયે, આયોજન હેઠળ, તેના પિતરાઇ ભાઇએ તેને પાછળથી સ્કોર્પિયો સાથે કચડી નાખી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પિતરાઈ ભાઈ સાથે મળી કર્યું હત્યાનું આયોજન

આ ઘટનામાં તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. જોકે પોલીસ નજમાના મોતની તપાસ કરી રહી હતી. બ્રિમ શાખાએ આ મામલે ઘણી તપાસ કરી. તપાસ બાદ જાણવા મળ્યું કે, આ અકસ્માત નથી પરંતુ એક સુનિયોજીત કાવતરું છે. બીજું કોઈ નહીં પણ નજમાના પતિએ આ કાવતરું કર્યું. આ કેસ જાહેર થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો: રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

Next Article