નિર્ભયા કેસના 4 ગુનેગારોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે પણ તે સજાથી બચવા માટે તમામ રસ્તાઓ અજમાવી રહ્યા છે. ત્યારે હવે દોષી વિનય શર્માના વકીલે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી છે.
વિનય શર્માના વકીલે અરજીમાં કહ્યું છે કે જ્યારે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિની પાસે દોષીની અરજી રદ કરવાની ભલામણ કરી તો તે મંત્રી કે ધારાસભ્ય પદ પર નહતા. વકીલે કહ્યું કે સત્યેન્દ્ર જૈને 30 જાન્યુઆરીએ વોટસએપ દ્વારા પોતાના હસ્તાક્ષર મોકલ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અરજીમાં વકીલે દાવો કર્યો છે કે દિલ્હીમાં તે દરમિયાન ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા ચાલી રહી હતી. ત્યારે દયા અરજી રદ કરવી ગેરકાયદેસર છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચ ધ્યાન આપી મામલા પર કાર્યવાહી કરે.
વિનય શર્માએ ફાંસીની સજાથી બચવા માટે જેલની દિવાલ સાથે માથું ભટકાવ્યું. જેનાથી તેના માથા પર સામાન્ય ઈજા થઈ છે. આ પહેલા વિનય તિહાડ જેલમાં ભૂખ હડતાળ પર ગયો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિનયને ગંભીર માનસિક બીમારીઓ છે. તેને પોતાને ઈજા પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. તેના માથા અને જમણા હાથમાં ઈજાઓ થઈ છે. વિનયની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને ઉચ્ચ સ્તરની સારવાર આપવી જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ, પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર સામે ઉઠાવ્યા સવાલો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]