UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા

UttarPradesh conversion case : ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તનના આરોપમાં પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ બાદ 32 જિલ્લાની પોલીસ તાપસમાં લાગી ગઈ છે. આ ત્રણ આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 5:13 PM

UttarPradesh conversion case : ઉત્તરપ્રદેશના ચકચારી ધર્મ પરિવર્તન કેસમાં ED એ મોટી કાર્યવાહી કરી છે. એક બાજુ આરોપીઓની પૂછપરછ બાદ ઉત્તરપ્રદેશની 32 જિલ્લાની પોલીસ તપાસમાં લાગી છે તો બીજી બાજુ આ કેસમાં PMLA એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરતા ED એ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા છે.

દિલ્હી, ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ દરોડા ઉત્તરપ્રદેશમાં કેટલાક બહેરા વિદ્યાર્થીઓ અને ગરીબ લોકોના કથિત ધર્મપરિવર્તન (conversion) અને અ કામ માટે વિદેશથી ફંડિંગ મેળવવાના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 3 જુલાઈને શનિવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા.

શનિવારે ઇડીના અધિકારીઓએ દિલ્હીમાં જે સ્થળો પર દરોડા પાડ્યા તેમાં આઈડીસીની ઓફિસ તેમજ મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમીના રહેઠાણો શામેલ છે. આ તમામ જગ્યાઓ દિલ્હીના જામિયાનગરમાં આવેલી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઉત્તરપ્રદેશમાં (ED) એ લખનૌ સ્થિત અલ હસન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન અને ગાઇડન્સ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંગઠનો ઉમર ગૌતમ ચલાવે છે અને આ કથિત ગેરકાયદેસર ધર્મ પરિવર્તન (conversion) કરવામાં મદદરૂપ છે.

મની લોન્ડરિંગનો કેસ કરી તપાસ શરૂ કરાઈ ઇડીએ ઉત્તરપ્રદેશના કેટલાક બહેરા વિદ્યાર્થીઓ અને ગરીબ લોકોના કથિત ધર્મપરિવર્તન કરવાના મામલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી કથિત ભંડોળ આપવા મામલે મની લોન્ડરિંગ (money laundering) નો ગુનાહિત કેસ નોંધ્યો છે.

શુક્રવારે આ વિશે માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ FIRની સમકક્ષ ગણાતા એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ને મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવી છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ તપાસ એ આરોપો પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવશે કે ગેરકાયદેસર નાણાં વિદેશી કે દેશી સ્રોતો પાસેથી મેળવવામાં આવ્યા હતા.

1000 લોકોનું ધર્મપરિવર્તન કર્યાનો દાવો ઉત્તરપ્રદેશ પોલીસ (UttarPradesh Police) ના એડીજી પ્રશાંત કુમારે મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમી અને મોહમ્મદ ઉમર ગૌતમની ધરપકડ બાદ મીડિયાને જણાવ્યું હતું કે ગૌતમ, જેમણે પોતે હિન્દુ ધર્મમાંથી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો, તેણે પોલીસ પૂછપરછમાં કબુલ્યું હતું કે લગ્ન, પૈસા અને નોકરીની લાલચથી તેણે ઓછામાં ઓછા 1000 લોકોનું ઇસ્લામમાં ધર્મપરિવર્તન (conversion) કરાવ્યું છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">