Jamnagar માં વધુ વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપીંડી થયાની પોલિસ ફરીયાદ નોંધાઈ છે. Jamnagar ના અંદાજે 200થી વધુ લોકોના નાણા મેળવીને આશરે 10 કરોડની છેતરપીંડી કર્યાની પોલિસ ફરીયાદ નોંધાઈ છે. જામનગરમાં ઓમ ટ્રેડીંગના નામે પેઢી કાર્યરત કરીને લોકોને વધુ વળતરની લાલચ આપી અને કરોડોની છેતરપીંડી કર્યાની સીટી બી ડીવીઝનમાં પોલિસ ફરીયાદ નોંધાઈ છે. લોકોને શેરબજારમાં લોભામણી યોજના અંગે સમજાવીને લાખો રૂપિયા પડાવ્યા. જેમાં રોકાણકારે મીનીમન 1 લાખ રૂપિયાનુ રોકાણ 11 માસ માટે કરવાનુંં અને તેમાં ઓછામાં ઓછા 10 ટકા ફીકસ વળતરની લાલચ આપવામાં આવી.
જે લોભામણી લાલચમાં અનેક ફસાયા અને લેખીત કરાર કરીને લાખો રૂપિયા રોકાણ કર્યા અને કેટલાક માસ સુધી 10 ટકા વળતરમાં મેળવ્યુંં બાદ મે 2020 થી વળતરના મળતા લોકોને છેતર્યા હોવાનો અનુભવ થતા પોલિસને ફરીયાદ નોંધાવી છે. હાલ સુધીમાં પોલિસ મથકે 50 જેટલા લોકોએ 3 કરોડ રૂપિયા આપીને છેતરાર્યા હોવાનુ જણાવ્યુંં છે. સાથે અંદાજીત કુલ 200થી વધુ લોકો આ યોજનામાં ફસાયા હોવાનુ પ્રાથમિક તારણ છે. જેમાં કુલ 10 કરોડથી વધુની રકમની છેતરપીંડી કર્યાની સામે આવ્યુ છે.
આ પણ વાંચો: T Natarajan: ઓસ્ટ્રેલીયાથી પહોંચતા ગામમાં કરાયુ જબરદસ્ત સ્વાગત, રથ પર લઇ જવાયો ઘરે, જુઓ વિડીયો
Published On - 10:33 am, Fri, 22 January 21