હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે, બાર કાઉન્સિલનો મોટો નિર્ણય

બાર કાઉન્સિલના નિર્ણયના પગલે કોર્ટમાં સચિન તરફથી કોઈ વકીલ હાજર રહ્યાં ન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:35 PM

GANDHINAGAR : 10 મહિનાના બાળક શિવાંશને તરછોડવો અને એ પહેલા શિવાંશની માતા હિના પેથાણીની હત્યા કેસના હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે. બાર કાઉન્સીલે આ નિર્ણય લીધો છે. હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે બાર કાઉન્સિલના નિર્ણયને કારણે એક પણ વકીલ સચિનના કેસ માટે હાજર ન હતા રહ્યાં. પોલીસે સચિનના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે સચિન દીક્ષિત પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શિવાંશને તરછોડનાર સચિન દિક્ષિતના વકીલ તરીકે કોઈ રહેવા તૈયાર નથી.માસુમ બાળક શિવાંશનો મુદ્દો લાગણીશીલ હોવાથી બાર કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવાયો છે.જેને પગલે કોઇ વકીલ સચીનનો કેસ નહીં લડે.મફત કાનૂની સહાય કોર્ટ દ્વારા ઉપલબ્ધ કરવવામાં આવી હતી. પરંતુ ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી.

શિવાંશની માતાની હત્યાના કેસ (Mehndi murder case)માં આખરે હત્યારા સચિન (Sachin Dixit) સામે ગુનો નોધવામાં આવ્યો છે. ગાંધીનગર SOG પી.આઈ. પવારે ફરિયાદી બની સચિન દીક્ષિત વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ હત્યાકેસની તપાસ બપોદ પી.આઈ. કરશે. વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે.

આ પણ વાંચો : સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી GTUમાં આ વર્ષે પણ 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા

આ પણ વાંચો : હિના પેથાણીની હત્યા કેસમાં વધુ એક ખુલાસો: હત્યા અને બાળકને તરછોડ્યા બાદ આ જગ્યાએ ગયો હતો સચિન દિક્ષિત

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">