AHMEDABAD : વૈષ્ણવદેવી સર્કલ પાસે જૈન દેરાસરમાં ચોરી, તસ્કરો CCTV કેમેરામાં કેદ

|

Aug 06, 2021 | 1:23 PM

ચાંદખેડાના શિવ મંદિરમાં ચોરી અને લૂંટની ઘટનાને હજી અઠવાડિયું જ થયું છે ત્યાં હવે જૈન દેરાસરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે.

AHMEDABAD : શહેરમાં તસ્કરોને જાણે કે પોલીસનો ડર જ નથી રહ્યો. ચાંદખેડાના શિવ મંદિરમાં ચોરી અને લૂંટની ઘટનાને હજી અઠવાડિયું જ થયું છે ત્યાં હવે જૈન દેરાસરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ પાસે જૈન દેરાસરમાં ચોરી થઇ છે. બે તસ્કરોએ વહેલી સવારે 3 વાગ્યે દેરાસરમાં ઘુસી ચોરી કરી છે. આ તસ્કરોએ દેરાસરના બે મોટા ભંડારા એટલે કે દાનપેટીની ચોરી કરી છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઉલ્લેખનીય છે કે હજી 6 દિવસ પહેલા જ શહેરના ચાંદખેડામાં સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો : Khel Ratna Award : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, ખેલ રત્ન એવોર્ડ હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે અપાશે

આ પણ વાંચો : VADODARA : MLA મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરી સાતમી વાર પણ ધારાસભ્ય બનવાનો દાવો કર્યો 

Next Video