આયેશાની આત્મહત્યાના કિસ્સાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. ફરી એક વખત અનૈતિક સંબંધએ એક પરિવારનું દામ્પત્યજીવનને વિખેરી દીધું હતું. પતિના અનૈતિક સંબંધથી કંટાળીને ગર્ભવતી મહિલાએ એક વર્ષના દીકરા સાથે નદીમાં ઝપલાવ્યું હતું. પોલીસે પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને પતિની ધરપકડ કરી છે.
શાહપુરમાં પતિની બેવફાઈથી કંટાળીને ગર્ભવતી પત્નીએ એક વર્ષના દીકરા સાથે સાબરમતી નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો છે. ઘટનાની વાત માંડીએ તો સુનિતા દંતાણી નામની મહિલાને પોતાના પતિ દિપકનુ અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધની જાણ થઈ હતી. બન્ને પતિ પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો હતો. જેથી ગર્ભવતી સુનિતાને એક વર્ષના દીકરા અંશુ સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી સુનિતાને મનમાં લાગી આવતા રીવરફ્રન્ટ નજીક નદીમાં પોતાના દીકરા સાથે નદીમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે માતા પુત્રનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અને રિવરફ્રન્ટ પોલીસે પતિ દિપક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી.
અઢી વર્ષ પહેલાં સુનિતા દંતાણીએ દિપક દંતાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સુખી દામ્પત્યજીવનમાં તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો. છ મહિના બાદ દિપકનું તેની ભાભી અને પડોશમાં રહેતી અન્ય સ્ત્રી સાથે આડા સબંધની જાણ સુનિતાને થઈ હતી. ત્યાર બાદથી બન્ને પતિ પત્ની વચ્ચે મનભેદ શરૂ થયો. સુનિતા રિસાઈને પિયર આવી ગઈ હતી. થોડા સમય બાદ દિપક મનાવીને ઘરે લઈ ગયો. પતિ દીપકના અન્ય સ્ત્રી સાથે સબંધ ખતમ થઈ ગયા હોવાનો વિશ્વાસ આપીને દિપક ઘરે તો લઈ ગયો. પણ થોડા દિવસમાં જ પતિની પોલ ખુલી ગઈ. અને ફરી એક વખત સુનિતાએ પતિના અનૈતિક સબંધ પકડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. અને દીપકે ગર્ભવતી પત્નીને દીકરા સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી.
પતિ, પત્ની અને વોના કિસ્સામાં ફરી એક પરિવારનું માળખું વિખેરાય ગયું હતું. પતિ-પત્નીના ઝઘડાની સજા સંતાનને મળી છે. આ કેસમાં તો માતાએ જ પુત્રની હત્યા કરીને આત્મહત્યા કરી. રિવરફ્રન્ટ પોલીસે આરોપી પતિ દિપક દંતાણીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : ઘર કંકાસ કારણે માતાને હત્યારી બનવા મજબૂર થવું પડ્યું હતું અને ફૂલ જેવી બાળકીની હત્યા કરી દીધી હતી અને બાદમાં ……….
Published On - 7:29 pm, Mon, 19 April 21