Ahmedabad: જાહેરમાં થઈ યુવકની હત્યા, આ કારણે બુટલેગરે છરીના ઘા ઝીકી કરી નાખી હત્યા

|

Oct 19, 2021 | 6:49 PM

Ahmedabad: અમરાઈવાડીમાં પડોસીઓના ઝઘડામાં છોડાવવા ગયેલા યુવકની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Ahmedabad: જાહેરમાં થઈ યુવકની હત્યા, આ કારણે બુટલેગરે છરીના ઘા ઝીકી કરી નાખી હત્યા
Accused Sanjay Chavda

Follow us on

Ahmedabad: અમરાઈવાડીમાં પડોસીઓના ઝઘડામાં છોડાવવા ગયેલા યુવકની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમરાઈવાડી વિસ્તારમાં ન્યુ જ્યભવાની નગરમાં એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. ઘટનાની વાત કરીએ ન્યુ જ્યભવાની નગરમાં રહેતો યોગેન્દ્રભાઈ પરમાર પોતાના ઘર નજીક ઉભા હતા ત્યારે અમૃતાનગરમાં રહેતા સંજય ચાવડાએ યોગેન્દ્ર પર છરીથી હુમલો કર્યો હતો.

યોગેન્દ્રને સારવાર માટે એલ જી હોસ્પિટલમાં લઈ જાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં છે. કારણ કે, યોગેન્દ્રભાઈ એક ઝગડામાં છોડાવવા વચ્ચે પડ્યા હતા. જેની અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી છે.

આરોપી સંજય ચાવડા બુટલેગર હોવાનો પરિવાર આક્ષેપ કર્યો છે. જે દારૂનો ધધો કરીને આતંક મચાવે છે. આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે. જ્યારે મૃતક યોગેન્દ્રભાઈ મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમરાઈવાડીમાં સામાન્ય બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે મૃતક યોગેન્દ્ર ઝઘડામાં વચ્ચે પડીને બન્ને પક્ષને છોડાવ્યા હતા. અને ઝઘડો કરવા બાબતે ઠપકો આપતા આરોપી સંજયે ઝઘડામાં વચ્ચે કેમ આવ્યો તેવું કહીને છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. આ હત્યાને લઈને અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અમરાઈવાડી વિસ્તારમાં આરોપીઓના કારણે રહીશો પરેશાન છે. અગાઉ પણ અનેક લોકો પર હુમલા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી અમરાઈવાડી પોલીસે જુદી જુદી ટીમો બનાવી ને આરોપીની શોધખોળ શરૂ કરી.

Ahmedabad: ફેક્ચર ગેંગના સાગરીતે ફરી નવી ગેંગ બનાવવાનું રચ્યું ષડયંત્ર

શહેરના પુર્વ વિસ્તારની ફેક્ચર ગેંગના સાગરીતે ફરી એક વખત નવી ગેંગ બનાવવાનું ષડયંત્ર રચ્યું. પરતું ગેંગ બનાવી ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયા. કારણ કે, દીકરાને ગુનેનાર બનતા બચાવવા એક માતાએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ગિરફતમાં રહેલ આરોપી હરેન્દ્ર પટેલ અને અલ્પેશ પટેલ છે. જે કુખ્યાત ફેક્ચર ગેંગનો સાગરીત હરેન્દ્ર ઉર્ફે બાદશાહ પટેલ ફરી એક વખત નવી ગેંગ શરૂ કરી રહ્યો હતો. જો કે, એક માતાની સતર્કતા કારણે ચોંકાવનારી હકકિત સામે આવી. જેમાં ધટનાની વિગતવાર વાત કરીએ તો નિકોલમાં રહેતા ધ્વનિબેન પરમારના મોટા દીકરા વિપુલ ઉર્ફે ગોબરને ગુનાહિત પ્રવુતિમાં ધકેલવા આરોપી હરેન્દ્ર પોતાની ગેંગ સામેલ કર્યો હતો અને તેની સાથે સગીર અને અન્ય યુવાનોને ગેંગ માટે તૈયાર કરી રહ્યો હતો. એક માતાએ દીકરાને ગુનાખોરીના રસ્તે જતો બચાવવા માટે પોલીસ સમક્ષ આ ગેંગનો ભાંડો ફોડ્યો.

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Next Article