AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Schools Reopening: ટૂંક સમયમાં દેશભરમાં ખુલશે તમામ શાળાઓ, કેન્દ્ર સરકારે આ અંગે લીધો નિર્ણય

ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં તમામ શાળાઓ ખોલવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે તૈયારી કરી રહી છે. જાણો આ અંગે મંત્રાલય, શાળાઓ અને વાલીઓનું શું કહેવું છે?

Schools Reopening: ટૂંક સમયમાં દેશભરમાં ખુલશે તમામ શાળાઓ, કેન્દ્ર સરકારે આ અંગે લીધો નિર્ણય
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 10:18 PM
Share

શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના માતા-પિતા માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) શક્ય તેટલી વહેલી તકે બાળકોની શાળાઓ ખોલવાની (School Reopening) તૈયારીમાં છે. મંત્રાલય આ મામલે રાજ્યોને પત્ર લખવાની તૈયારી કરી રહ્યું છે. TV9 ભારતવર્ષને મળેલી માહિતી મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ દ્વારા તમામ રાજ્યોને પત્ર લખવામાં આવી રહ્યો છે કે તેમના રાજ્યમાં તાત્કાલિક અસરથી બાળકોની શાળાઓ ખોલવામાં આવે. કેન્દ્ર સરકાર માને છે કે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે શાળા ખોલવી જરૂરી છે (State wise school reopening). તેથી, રાજ્યોએ આ કામમાં કોઈ આળસ ન દાખવવી જોઈએ અને તાત્કાલિક અસરથી શાળાઓ ખોલવાની વ્યવસ્થા કરવી જોઈએ.

આ અંગે અમે કેટલીક શાળાના વડાઓ સાથે પણ વાત કરી હતી. કોરોના વાયરસના કારણે લગભગ બે વર્ષથી શાળા બંધ રહ્યા બાદ, પહેલાની જેમ નિયમિત શારીરિક વર્ગો શરૂ કરવા અંગે શાળાઓ અને વાલીઓનો શું અભિપ્રાય છે ?

શા માટે કેન્દ્રના હસ્તક્ષેપની પડી જરૂર

તાજેતરના સમયમાં, એવું જોવામાં આવ્યું છે કે દેશમાં કોરોના ચેપના કેસ (Corona Cases In India) નોંધપાત્ર રીતે ઘટ્યા છે. આ હોવા છતાં, ઘણા રાજ્યો એવા છે જે શાળાઓ ખોલવામાં ઢીલ બતાવી રહ્યા છે. તેનાથી વિપરીત, કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશમાં વહેલી તકે શાળાઓ ખોલવામાં આવે. કેન્દ્રની ચિંતા એ છે કે જો આગામી દિવસોમાં કોરોનાનું નવું સ્વરૂપ આવે છે અને સ્થિતિ ફરી વધુ ખરાબ થાય છે તો પ્રતિબંધ લાગશે.

શાળાના હેડનું શું કહેવું છે

નવી દિલ્હીની કાલકા પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ ઓનિકા મલ્હોત્રા કહે છે કે ‘મને લાગે છે કે સ્કૂલો વહેલી તકે ખોલવી જોઈએ. આ માટે સરકારે ધ્યાન આપવું જોઈએ. સમય જતાં, બાળકોને પણ રસી મળવા લાગી છે. ઘણા સમયથી બાળકો ઘરે બેઠા છે જ્યારે બહાર તેમની અવરજવર ચાલી રહી છે. શાળાઓ ખોલવી જોઈએ જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે.

એઈમ્સના ભૂતપૂર્વ ડિરેક્ટરનો અભિપ્રાય

AIIMS ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. એમસી મિશ્રા (AIIMS નિયામક) એ કહ્યું કે ‘તાજેતરના સમયમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘણો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શાળાઓમાં ફરીથી શિક્ષણ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે, તેથી શાળાઓ ખોલવામાં કોઈ સમસ્યા નથી.

વાલીઓમાં ચિંતા

નિષ્ણાતોના મતે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ઘરની બહાર જવું અને શાળાએ જવું જરૂરી છે. ઘરમાં બંધ હોવાને કારણે શારીરિક પ્રવૃત્તિ થતી નથી અને અભ્યાસ ખોવાઈ રહ્યો છે. આ બાબતો વાલીઓને પણ પરેશાન કરી રહી છે. કોરોનાના કારણે દેશમાં અનેક પ્રતિબંધો વચ્ચે લોકોની દિનચર્યા સામાન્ય થવા લાગી છે. ઘણી જગ્યાએથી પ્રતિબંધો પણ હટાવી દેવામાં આવ્યા છે.

ઘણા રાજ્યોએ શાળાઓ પણ ખોલી છે. હવે કોલેજો પણ ખુલી રહી છે. પરંતુ ઘણા રાજ્યોમાં શાળાઓ ખુલી હોવા છતાં, વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલવામાં અચકાય છે. કેન્દ્રને ચિંતા છે કે જો નવું વેરિઅન્ટ આવશે તો ફરી એક વખત પ્રતિબંધ આવશે અને શાળાએ ન જવાથી બાળકોના વિકાસ પર અસર પડશે.

આ પણ વાંચો: ગુજરાતમાં સોમવારથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ ચાલુ થશે : શિક્ષણ મંત્રી

આ પણ વાંચો: Jammu and Kashmir : શોપિયાં જિલ્લાના કીગનમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી કર્યો હુમલો

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">