School Reopening : કોરોનાની બીજી લહેર ધીમી પડી, હવે ક્યારે ખુલશે સ્કુલ? સરકારે આપ્યો જવાબ

School Reopening : કોરોનાની બીજી લહેરમાં કેસો વધ્યા હતા, જો કે હવેઆ કેસો ઘટતા ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ચાલી રહ્યો છે કે દેશમાં શાળાઓ ક્યારે ખુલશે? આ અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.

School Reopening : કોરોનાની બીજી લહેર ધીમી પડી, હવે ક્યારે ખુલશે સ્કુલ? સરકારે આપ્યો જવાબ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 8:35 PM

School Reopening : છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. કેટલાક રાજ્યોએ આ દરમિયાન તેમના નિયંત્રણો પણ ઘટાડ્યા છે. કોરોનાની બીજી લહેરમાં કેસો વધ્યા હતા, જો કે હવેઆ કેસો ઘટતા ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ચાલી રહ્યો છે કે દેશમાં શાળાઓ ક્યારે ખુલશે? આ અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.

હવે ક્યારે ખુલશે સ્કુલ? નીતિ આયોગના અધિકારી ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપી છે. ડો.વી.કે.પૌલે જણાવ્યું છે કે કોવિડ-19 રોગચાળાને કારણે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોનાકાળમાં બંધ થયેલી શાળાઓ ફરીથી ખોલવા (School Reopening)નું ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે વધુમાં વધુ શિક્ષકોનું રસીકરણ પૂર્ણ થશે. આ સિવાય, કોવિડના બાળકો પરની અસર વિશેની વધુ માહિતી પછી જ શાળા ખોલવા માટે વિચારણા કરવામાં આવશે.

વિદેશોની સ્થિતિ પરથી સમજવું જોઈએ શાળાઓ ફરીથી ખોલવા (School Reopening) અંગે નીતિ આયોગના અધિકારી ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ કહ્યું કે તે સમય જલ્દીથી આવવો જોઈએ. પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદેશમાં શાળાઓ ખોલવામાં આવી હતી અને તે પછી કોરોના કેસ વધ્યા પછી તેમને ફરીથી બંધ કરવી પડી હતી. આપણે આપણા વિદ્યાર્થી અને શિક્ષકોને આવી સ્થિતિમાં મૂકવા માંગતા નથી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સાવધાની રાખવી ખુબ જરૂરી ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ કહ્યું કે સ્કુલ ફરીથી ખુલે (School Reopening) તો તેનો અર્થ એ નથી કે બાળકોને સામાજિક અંતર અનુસરવાની જરૂર નથી. ‘ઘણી બધી બાબતો છે જેના વિશે આપણે હજી સુધી જાણતા નથી. શાળાઓ ફરી શરૂ કરવી એ એક અલગ મુદ્દો છે. તે ફક્ત વિદ્યાર્થીઓ વિશે જ નથી પરંતુ તેમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીનો પણ સમાવેશ થાય છે. વાયરસ જે રીતે તેનું સ્વરૂપ બદલી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખવું પડશે. આજે તે બાળકોમાં ઓછું અસરકારક છે પરંતુ કાલે તે વધુ ચેપી બને તો શું થશે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને AIIMS એ એક અધ્યયનમાં જણાવ્યું છે કે કોવિડ-19 સામે લડતા એન્ટિબોડીઝ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વિકસ્યા છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેરની અસર બાળકો પર વધુ નહીં પડે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">