Covid -19 : કેરળમાં ઓમિક્રોનનો હાહાકાર, પોઝિટિવિટી રેટ વધીને 37.17 ટકા થયો, આરોગ્ય પ્રધાને કહ્યું – આગામી ત્રણ અઠવાડિયા મહત્વપૂર્ણ

|

Jan 19, 2022 | 9:26 PM

કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ અત્યંત ચેપી છે અને ICU અને વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યા ગમે ત્યારે ઝડપથી વધી શકે છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 6 ગણો વધુ ચેપી છે.

Covid -19 : કેરળમાં ઓમિક્રોનનો હાહાકાર, પોઝિટિવિટી રેટ વધીને 37.17 ટકા થયો, આરોગ્ય પ્રધાને કહ્યું - આગામી ત્રણ અઠવાડિયા મહત્વપૂર્ણ
Omicron in Kerala (symbolic image)

Follow us on

કેરળ (Keral) માં કોરોના વાયરસ (corona virus) ની ત્રીજી લહેરની વ્યાપક અસર જોવા મળી રહી છે. બુધવારે, રાજ્યમાં કોરોનાના 34,199 નવા કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટમાં 37.17 ટકા હતો (એટલે ​​​​કે પરીક્ષણ કરાયેલા 100 લોકોમાંથી 37 ચેપગ્રસ્ત છે).  છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે 134 લોકોના મોત થયા છે, જેના કારણે રાજ્યમાં કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 51,160 થઈ ગઈ છે. આ પહેલા મંગળવારે રાજ્યમાં 28,481 નવા કેસ સામે આવ્યા હતા. તે જ સમયે, રાજ્યમાં કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનના 54 કેસ પણ નોંધાયા હતા, જેનાથી આ પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા 645 થઈ ગઈ છે.

કેરળ રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,68,383 થઈ ગઈ છે, જેમાં માત્ર 3.2 ટકા લોકો હોસ્પિટલમાં દાખલ છે. બુધવારે એર્નાકુલમમાં સૌથી વધુ 5,953, તિરુવનંતપુરમમાં 5,684 અને કોઝિકોડમાં 3,386 નવા કેસ નોંધાયા હતા.

તિરુવનંતપુરમમાં, સકારાત્મકતા દર 45.8 ટકા નોંધવામાં આવ્યો છે, એટલે કે, લેવામાં આવેલા કુલ નમૂનાઓમાંથી લગભગ અડધા સકારાત્મક છે. આ સિવાય એર્નાકુલમમાં ચેપ દર 44.59 ટકા, કોઝિકોડમાં 40.53 ટકા અને કોટ્ટયમમાં 39.05 ટકા હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મીડિયા રીપોર્ટ મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સંક્રમણના નવા કેસોમાં 211 ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) ના ફેલાવાની અસર રાજ્યમાં દેખાઈ રહી છે. “પ્રથમ અને બીજી લહેરમાં ટોચ પર પહોંચવામાં વિલંબ થયો હતો, પરંતુ ત્રીજી લહેરની શરૂઆતમાં જ ઝડપથી વધી રહયા છે. આગામી ત્રણ સપ્તાહ કેરળ માટે અત્યંત મહત્વના સાબિત થવાના છે.

‘ICU અને વેન્ટિલેટરના દર્દીઓની સંખ્યા વધી શકે છે’

આરોગ્ય મંત્રીએ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ અત્યંત ચેપી છે અને ICU અને વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યા ગમે ત્યારે ઝડપથી વધી શકે છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 6 ગણો વધુ ચેપી છે. રાજ્યમાં કોવિડના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે, સરકારે પ્રતિબંધોને વધુ કડક રીતે લાગુ કરવા માટે ગુરુવારે સમીક્ષા બેઠક યોજવાનું નક્કી કર્યું છે.

રાજ્ય સરકારે કહ્યું કે ગુરુવારની બેઠકમાં કોલેજો અને ઓફિસો બંધ રાખવા, જાહેર પરિવહન અને અન્ય પ્રતિબંધો પર ચર્ચા કરવામાં આવશે. સારવાર માટે વિદેશ ગયેલા મુખ્યમંત્રી પિનરાઈ વિજયન ઓનલાઈન બેઠકની અધ્યક્ષતા કરશે. કર્મચારીઓમાં સંક્રમણના ફેલાવાને કારણે કેટલાક મંત્રાલયોની કચેરીઓ આંશિક રીતે બંધ કરી દેવામાં આવી છે, જેનાથી સરકારના કામકાજ પર અસર પડી છે.

આ પણ વાંચો:

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યુ, ”ગુજરાતમાં ત્રીજી લહેર પીક પર છે, હાલ સામે આવતા 80 ટકા કેસ ઓમિક્રૉનના”

આ પણ વાંચો:

Vaccine On Wheels : મહારાષ્ટ્રમાં વેક્સિનેશનને વેગ આપવા અનોખી પહેલ, શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય

 

Next Article